________________
શ્રી નવકારમાં નવ રસો
સાહિત્યના ક્ષેત્રમાં “રસ' એક અગત્યની વસ્તુ છે. કાવ્યશાસ્ત્રમાં તેને મહત્ત્વનું સ્થાન છે, રસશાસ્ત્ર ઉપર મોટાં મોટાં વિવેચનો લખાયાં છે. આ રસો નવની સંખ્યામાં છે અને તેમાં નવમો “શાંત' રસ છે. કેટલાક આચાર્યો તેને રસ માનતા નથી. તેમના મતે રસોની સંખ્યા માત્ર આઠની છે. કેટલાક તે આઠની સાથે નવમો શાંત રસ પણ માને છે અને વળી કેટલાક આચાર્યોએ નવ રસો ઉપરાંત વાત્સલ્ય” નામનો દસમો રસ પણ સ્વીકાર્યો છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં આ રસો કેવી રીતે અંતર્ભાવ પામે છે એ વિચારવાનું અહીં પ્રસ્તુત છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ “વાત્સલ્ય” રસને સ્વતંત્રરસ નહિ માનતાં શાંત સહિત માત્ર નવ રસોને જ રસ તરીકે સ્વીકારે છે. તે નવ રસોનાં નામો અનુક્રમે ૧. શૃંગાર, ૨. હાસ્ય, ૨. કરુણ, ૪. રૌદ્ર, ૫. વીર, દ. ભયાનક, ૭, બીભત્સ, ૮. અદ્દભુત અને ૯. શાંત છે. તે પ્રત્યેકના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવો કાવ્યાનુશાસન નામની અનુપમતિમાં તેમણે વિસ્તારથી બતાવેલા છે. નવરસના સ્થાયીભાવોનાં નામો પણ ત્યાં કહ્યાં છે, તે અનુક્રમે ૧. રતિ, ૨. હાસ, ૩. શોક, ૪. ક્રોધ, ૫. ઉત્સાહ, ડ. ભય, ૭. જુગુપ્સા, ૮. વિસ્મય અને ૯. શમ છે.
આ નવ સ્થાયીભાવો દરેક મનુષ્યમાં જન્મજાત રહેલા હોય છે, તેથી તેને સ્થાયી અર્થાત્ સ્થિરભાવો કહેલા છે. એ સ્થાથીભાવો જે નિમિત્તોને પામીને અભિવ્યક્ત થાય તે આલંબનવિભાવ અને જે નિમિત્તોને પામીને વૃદ્ધિ પામે તે ઉદીપનવિભાવ કહેવાય છે. એ અભિવ્યક્તિ અને વૃદ્ધિ વખતે થતી ભિન્ન ભિન્ન શારીરિક ચેષ્ટાઓને સાત્ત્વિકભાવ અથવા અનુભાવ કહેવાય છે અને તે વખતે અનુભવાતી જુદી જુદી માનસિક વૃત્તિઓને વ્યભિચારીભાવ અથવા સંચારીભાવ કહેવાય છે. આથી એ નક્કી થયું કે ચોક્કસ નિમિત્તોને પામીને થતા આંતર-બાહ્ય અનુભવોનું પુનઃ પુનઃ પરિશીલન એ જ રસરૂપે પરિણમે છે. આ રસાનુભવ અનુભવકાળે અલૌકિક આનંદને આપે છે, તેથી તેને “ બ્રહ્માસ્વાદસોદર' પણ કહે છે. અહીં “ બ્રહ્મ” એટલે આત્મસ્વરૂપ, તેનો આસ્વાદ એટલે અનુભવ, તેનો સોદર એટલે તેની સમાન અર્થાત સાક્ષાત્ આત્મસ્વરૂપના આસ્વાદતુલ્ય જેનો અનુભમ છે. તે “બ્રહ્માસ્વાદસોદર' કહેવાય છે.
કેવળ માનસિકભાવોના આવેગને જ અહીં રસ કહ્યો નથી, કિન્તુ તેના રસનને આસ્વાદનને રસ કહ્યો છે. જુદા જુદા ભાવોની સાથે તે ભાવોને અનુભવ લેનાર આત્માનું પણ રસન-સ્મરણ જેમાં છે તે રસ છે. કહ્યું છે કેભાવમાં ર૩:” અર્થાત ભાવોનું સ્મરણ તે રસ છે. તાત્પર્ય કે કેવળ આવેગોનો અનુભવ નહિ, પણ એ અનુભવોનું સ્મરણ કરનાર આત્માનો અનુભવ તે રસ છે. મેં કહ્યું ઢોધવાનશકવાનભ, થં ત્તિમનજિ ' વગેરે સ્મરણાત્મક અનુભવ એ જ રસનું રસત્વ છે. ટૂંકમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારીભાવો વડે અભિવ્યક્ત થતો સ્થાયીભાવ તે રસ છે.
અહીં વિભાવ એટલે વિશેષ કારણો. તેના બે ભેદ છે : આલંબનવિભાવ અને ઉદ્દીપનવિભાવ. જે આલંબનોને અર્થાત્ નિમિત્તોને પામીને રસની ઉત્પત્તિ થાય તેને “આલંબનવિભાવ’ અને જે નિમિત્તોને પામીને રસની અભિવૃદ્ધિ થાય તેને “ઉદ્દીપનવિભાવ' કહ્યો છે. બીજ અનુભાવને સાત્ત્વિકભાવ પણ કહે છે. તે મોટા ભાગે રસાનુભવ વખતે થતી ભિન્ન ભિન્ન પ્રકારની શારીરિક ચેષ્ટારૂપ છે. ત્રીજા વ્યભિચારીભાવને સંસારીભાવ પણ કહે છે, કારણ કે તે દરેક રસના અનુભવમાં એક સરખો નથી રહેતો, પણ ફરી જનારો હોય છે. કાવ્યશાસ્ત્રોમાં તેના હેતુ, સ્વરૂપ અને ફલ વિસ્તારથી વર્ણવેલાં છે. અહીં તો તેનું સૂચન માત્ર કરીને શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ અને જાપ વખતે દરેક રસનો અનુભવ કેવી રીતે કરી શકાય તેનું જ માત્ર સંક્ષેપથી
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ N
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org