SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ વધારનારો થાય છે, તે જ રાગ જે પ્રશસ્ત સ્થાનો ઉપર કેળવવામાં આવે તો જ્ઞાન-દર્શન-ચારિત્રને વધારનારો થાય છે. રાગના સાધનને પણ વૈરાગ્યનાં સાધન બનાવવાની આ એક અપૂર્વ યુક્તિ છે. એ યુક્તિનો આશ્રય લઈને જ શાસ્ત્રકાર ભગવંતોએ તીવ્ર રાગ વાસનાવાળા ગૃહસ્થો માટે દ્રવ્યસ્તવનું વિધાન કર્યું છે. વિવિધ પ્રકારનાં દ્રવ્યો ઉપર રહેલી રાગ દ્વેષની વાસના એક એ ક્રમે નાશ કરી શકાય છે. પરમેષ્ઠિનમસ્કારને પણ ભાવનમસ્કાર બનાવવા માટે ભક્તિમાર્ગની આ સુંદર યોજના છે. શ્રી અરિંતભગવંતોની ધર્મદેશના અને તેમના મુખ કમળમાંથી નીકળતો આષાઢી મેઘના જેવો ગંભીર તથા ધીર ધ્વનિ એક એવા પ્રકારનો શબ્દ છે કે શબ્દનું શ્રવણ, મનન, ચિંતન, સ્મરણ અને ધ્યાન કરવાથી રાગના બદલે જ્ઞાન, અવિવેકના બદલે વિવેક તથા મૂચ્છના બદલે ત્યાગ વધે છે. એ જ ન્યાય શ્રી સિદ્ધિભગવંતોનાં રૂપને, શ્રી આચાર્યભગવંતોની શીલસુગંધને શ્રી ઉપાધ્યાયભગવંતોના સ્વાધ્યાયરસને તથા શ્રી સાધુભગવંતોના ગાત્રસ્પર્શને લાગુ પડે છે રાગના સાધનભૂત તે બધા વિષયો વૈરાગ્યના હેતુભૂત બની જાય છે. શ્રી સિદ્ધભગવંતને બાહ્યરૂપ નથી, તોપણ આંતરરૂપ છે. શ્રી આચાર્યભગવંતને બાહ્ય પદાર્થોની સુગંધ નથી તોપણ શીલ અને સદાચારના પાલનથી પ્રગટેલી આંતર સુગંધ અવશ્ય છે. શ્રી ઉપાધ્યાયભગવંત પાસે બાહ્ય રસ નથી તોપણ દ્વાદશાંગ પ્રવચનના નિત્ય સ્વાધ્યાયથી ઉત્પન્ન થતો નિર્મળ જ્ઞાનનો અને પવિત્ર વચનનો રસ અવશ્ય છે. શ્રી સાધુભગવંત પાસે કામિનીઓના જેવા કોમળ અંગસ્પર્શ નથી, તો પણ ઉગ્રતપને કઠોર સંયમના પાલનથી ઉત્પન્ન થયેલો નિર્મળ અને પવિત્ર સ્પર્શ અવશ્ય છે, પછી ભલે તે તેમની પવિત્ર કાયાનો હો! અથવા તો કાયાને સ્પર્શેલા પવિત્ર વાયુ અને વાતાવરણનો હો ! આ રીતે પાંચે પરમેષ્ઠિઓના ધ્યાનમાં, ચિંતનમાં કે સ્મરણમાં મનને પાંચે ઈન્દ્રિયોના વિષયો મળી રહે છે. તેથી મને પોતાની સહજ ચપળતાનો ત્યાગ કરી સ્થિરત્વને પામે છે. આ સ્થળે સાધુભગવતોનો સ્પર્શ પવિત્ર હોવાનાં અનેક કારણોમાંનાં કેટલાંક કારણો આ છેઃ સાધુપણું અંગીકાર કરવાના પ્રથમ દિવસથી જ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત પાંચ મહાવ્રતોનું તેઓ સતત પાલન કરે છે. પાંચ પ્રકારના સ્વાધ્યાય સહિત પાંચ પરમેષ્ઠિઓનું સતત ધ્યાન કરે છે. પાંચે જ્ઞાનના આરાધન વડે પંચમી ગતિને પ્રાપ્ત કરવા માટે સતત ઉદ્યમી રહે છે. આ વગેરે કારણોથી સાધુ ભગવંતોની કાયા, તેમની ઈન્દ્રિયો અને મન, તેમના વિચારો તથા તેમની આસપાસનું વાતાવરણ હંમેશાં વિશુદ્ધ રહે છે. આ વાતાવરણને સ્પર્શનાર અથવા તેનું માત્ર મનથી ધ્યાન કરનાર, ચિંતન અને સ્મરણ કરનાર આત્મા સ્પર્શનેન્દ્રિયના અયોગ્ય અનુરાગથી મુક્ત થાય છે, એટલું જ નહિ પણ દેવાંગનાઓનાં સ્પર્શને પણ તેની આગળ તુચ્છ સમજે છે, તાલપુટ વિષતુલ્ય સમજે છે. જે સ્પર્શનેન્દ્રિયનો વિષય દુઃખ અને દુર્ગતિનો હેતુ છે, તેને જ જો સ્થાન પલટો આપવામાં આવે તો તે સુખ અને સદ્ગતિનો હેતુ થઈ જાય છે. વસ્તુતઃ સુખ અને સદ્ગતિનું સાધન શુભધ્યાન છે. સાધુનો સ્પર્શ અથવા સાધુને સ્પર્શેલા વાતાવરણનો સ્પર્શ અથવા એ પવિત્ર સ્પર્શનો માત્ર માનસિક વિચાર પણ જીવના શુભધ્યાનને ઉત્તેજે છે. આ શુભધ્યાનના બળે જીવ સદ્ગતિનો અધિકારી થાય છે. અપ્રશસ્ત વિષયો જેમ અશુભધ્યાનને જગાડે છે તેમ પ્રશસ્ત વિષયો શુભધ્યાનને જગાડવાનું સામર્થ્ય ધરાવે છે. કહ્યું છે કેसल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जंति दुग्गइं ॥१॥ અર્થ- વિષયો એ શલ્ય છે, વિષ છે અને આશીવિષની ઉપમાવાળા છે. તે વિષયોની ઈચ્છા કરવા માત્રથી જેની પાસે તે વિષયો નથી તેઓ પણ દુર્ગતિમાં જાય છે. AN મહામંત્રનો ઉપકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy