SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને જ્યારે શ્રી અરિહંતને નમસ્કાર કરવામાં આવે ત્યારે નમસ્કાર પ્રણિધાનપૂર્વકનો બને છે, ચિત્તની એકાગ્રતા લાવનારો થાય છે. ચિત્તની એકાગ્રતા કદી પણ બળાત્કારે આવતી નથી અને કદાચ આવે તોપણ તે દીર્ઘકાળ ટકતી નથી. ચિત્તનો સ્વભાવ જ એવો છે કે તેને જેમાં રસ આવે તેમાં તે તુરંત જ સ્થિર થઈ જાય છે. શ્રી અરિહંતના નમસ્કારમાં ચિત્તને સ્થિર કરવું હોય તો અરિહંતમાં રહેલી કોઈ વિશેષતા કે જેમાં પોતાને રસ હોય તેને આગળ કરવી જોઈએ, તેની સામે લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. એ કરતાંની સાથે જ ચિત્તની લીનતા આવી જાય છે. લીનતા આવે તેની સાથે જ મંગળનું આગમન અને વિક્નોનું વિદારણ થઈ જાય છે. શ્રી નમસ્કારમંત્ર મંગળમય છે, સર્વ મંગળમાં પ્રધાન મંગળ છે, સર્વ પાપનો આત્યંતિક ક્ષય કરનાર છે, વગેરે વિશેષણો તો જ ચરિતાર્થ થાય કે જે તેના સ્મરણમાં, જાપમાં કે ધ્યાનમાં ચિત્ત લયલીન બને. એ લીનતા લાવવાનું એક સાધન શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓમાં રહેલી વિશેષતાઓનું પ્રણિધાન છે. શ્રી અરિહંત પરમાત્માઓમાં મોક્ષમાર્ગની આદ્ય પ્રકાશકતાની સાથે વિશુદ્ધ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શન પામવાની જેટલી સામગ્રી જોઈએ તે બધી એક સામટી તેઓમાં એકત્ર થયેલી છે. શ્રી આઠ મહાપ્રાતિહાર્યોની પૂજા, સમવસરણની સમૃદ્ધિ, અતિશયવાળી ધર્મકથા, દેવોની પૂજા, પુણ્યનાં પ્રત્યક્ષ ફળ વગેરે અગણિત વસ્તુઓ તેને જોનાર, સાંભળનાર કે પરિચયમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને અપૂર્વ શ્રદ્ધાવાન અને ધર્મ પ્રત્યે પરમ આદરવાન બનાવવાનું અચિત્ત્વ સામર્થ્ય ધરાવે છે. શ્રી અરિહંતોનું જ્ઞાન, શ્રી અરિહંતોનો વૈરાગ્ય, શ્રી અરિહંતોનો ધર્મ, શ્રી અરિહંતોનું ઐશ્વર્ય વગેરે એકેક વસ્તુ એવી છે કે તે તેનું પ્રણિધાન કરનાર આત્માના અંતઃકરણમાં સમ્યકત્વનો સૂર્ય પ્રગટાવે છે અને મિથ્યાત્વનું ઘોર અંધારું હંમેશ માટે દૂર કરી દે છે. નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે, નમસ્કારની ક્રિયામાં ચિત્તનો ભાવ જગાડી આપવા માટેની આ સરળમાં સરળ યુક્તિ છે. - શ્રી ષોડશક આદિ ગ્રન્થોમાં ધર્મસિદ્ધિનાં પાંચ લક્ષણો કહ્યાં છેઃ તેમાંનું પહેલું લક્ષણ ઔદાર્ય અર્થાત્ કાર્પણ્યનો ત્યાગ છે, બીજું લક્ષણ ધૈર્ય અને ગાંભીર્યયુક્ત દાક્ષિણ્ય છે, ત્રીજું લક્ષણ ત્રણે કાળના પાપની જુગુપ્સા છે, ચોથું લક્ષણ નિર્મળ બોધ છે અને પાંચમું લક્ષણ જનપ્રિયત્ન છે. અરિહંતોનું અનુપમ ઔદાર્ય તેમની ધર્મસિદ્ધિને સૂચવે છે. વળી અરિહંતોમાં ક્ષાવિકભાવે સમ્યકત્વ ગુણ પ્રગટ્યો છે અને સમ્યકત્વનું પ્રથમ લક્ષણ ઉપશમ એટલે અપરાધી પ્રત્યે પણ ક્રોધનો અભાવ છે. વળી શ્રી અરિહંતોમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ સમ્યકત્વની ચારે ભાવનાઓ પરાકાષ્ઠાને પામેલી છે. વળી શ્રી અરિહંતોએ પ્રકાશનું લોકાલોકના સ્વરૂપનું જ્ઞાન અદ્વિતીય છે, વિશ્વમાં અજોડ છે. શ્રી અરિહંતોની અહિંસા સર્વલોકવ્યાપી છે, સમસ્ત જીવરાશિને આવરી લેનારી છે એ વગેરે ગુણોના પ્રણિધાનપૂર્વક થતો અરિહંતોનો નમસ્કાર ગુણબહુમાનના ભાવવાળો છે અને ગુણબહુમાનનો ભાવ અચિજ્ય શક્તિયુક્ત છે, એમ શાસ્ત્રો સાક્ષી પૂરે છે. કહ્યું છે કેभत्तीइ जिणवरिंदाणं, खिजंति पुव्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो, कम्मवणदवाणलो जेण ॥१॥ અર્થ - જિનવરેન્દ્રોની ભક્તિ વડે પૂર્વ સંચિત કર્મો ક્ષયને પામે છે, કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એક કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળનું કામ કરે છે. શ્રી અરિહંતોની જેમ શ્રી સિદ્ધભગવંતના “અવિનાશિતા' આદિ ગુણોના પ્રણિધાનપૂર્વક થતો નમસ્કાર ગુણબહુમાનના ભાવવાળો બને છે, તેથી તે પણ અચિન્ત શક્તિયુક્ત અને કર્મવનને બાળવા માટે દાવાનળ તુલ્ય, બને છે. એ રીતે શ્રી આચાર્યને નમસ્કાર પણ જ્યારે આચાર્યમાં રહેલા ભાવાચાર, સરળતા, પાપજુગુપ્સા, IN ૧૪૮ 1 t s of આ ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy