________________
પાંચ વિષયોથી મુંઝાયેલા વિશ્વમાં પાંચ પરમેષ્ઠિઓમાં રહેલા સર્વશ્રેષ્ઠ પાંચ વિષયોને અલગ પાડીને, તે તે વિષયોના પ્રણિધાનપૂર્વક પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે તોપણ તે નમસ્કાર ભાવનમસ્કાર બની શકે છે. પાંચ વિષયોમાં મુખ્ય વિષય શબ્દ છે અને શબ્દમાં સર્વ શ્રેષ્ઠ શબ્દ એક શ્રી અરિહંત પરમાત્માઓનો છે. સમવસરણમાં બિરાજમાન થઈ અરિહંતભગવંતો જ્યારે ધર્મદેશના આપે છે, ત્યારે તેમનો શબ્દ-ધ્વનિ આષાઢી મેઘની ગર્જનાથી પણ અધિક મધુર અને ગંભીર હોય છે. અથવા જાણે મંથન થતા સમુદ્રનો ધ્વનિ ન હોય તેમ પ્રભુના મુખમાંથી નીકળતા શબ્દનો ધ્વનિ શ્રોતાઓના ચિત્તના સંતાપને હરનારો થાય છે. વિષયરૂપી વિષના આકર્ષણને ટાળનારો થાય છે. શ્રી અરિહંતના શબ્દની જેમ સિદ્ધોનું રૂપ અને તેનું પ્રણિધાન ત્રણે લોકમાં રહેલા સર્વ પ્રકારના રૂપની સુંદરતાના મિથ્યા આકર્ષણને હરનારું થાય છે.
અહીં શંકા થાય કે સિદ્ધને વળી રૂપ કેવું? અશરીરી સિદ્ધભગવંતોને શરીર નથી તો પછી રૂપ તો હોય જ ક્યાંથી?
પણ અહીં રૂપ શબ્દનો અર્થ શરીરનું રૂપ ન લેતાં આત્માનું રૂપ લેવું જોઈએ. વળી શરીરનું પણ રૂપ કે સૌંદર્ય અંતે તો આત્માના રૂપને આભારી છે. જીવરહિત શરીરનું રૂપ, રૂપ ગણાતું નથી. શરીરમાં જીવ હોય ત્યાં સુધી શરીરનું રૂપ આકર્ષે છે, એટલે સંસારી જીવના દેહનું સૌંદર્ય પણ વસ્તુતઃ શરીરની અંદર રહેલા ચેતનની ચેતનાના સૌંદર્યની સાથે સંબંધ રાખે છે. સિદ્ધભગવંત અશરીરી છે, તેથી તેમનું રૂપ અને સૌંદર્ય સર્વ સંસારી જીવોના શરીરનાં રૂપ અને સૌંદર્યથી વિલક્ષણ છે. એ રૂપ દેહનું નથી તોપણ દેહમાં રૂપ કે જે ચેતનની હયાતીના કારણે છે તે ચેતનનું છે, તેથી તે સર્વશ્રેષ્ઠ અને સર્વાધિક છે.
સિદ્ધનું રૂપ સર્વ રૂપોથી ચઢિયાતું છે, તેથી તેનું ધ્યાન અન્ય સર્વ રૂપી પદાર્થોના રૂપના અયોગ્ય આકર્ષણને પળવારમાં વિખેરી નાખે છે તેવી રીતે આચાર્યભગવંતના આચારની ગંધ, શીલની સુગંધ સર્વ લૌકિક સુગંધી પદાર્થોની સુગંધના અયોગ્ય આકર્ષણને ટાળી દે છે. જીવને શબ્દ વગેરે વિષયોની વાસના અનાદિ કાળની છે તે વાસનાને નષ્ટ કરવા માટે એક બાજુ તે વિષયોની વિરસતાનું ચિત્તન અને બીજી બાજુ પરિણામે સુંદર એવા વિષયોની સુંદરતાનું પ્રણિધાન અતિ આવશ્યક છે. ગંધની વાસનાને નિર્મૂળ કરવા માટે આચાર્યોના ભાવઆચારોની સુવાસનું-પંચાચારના પાલનથી ઉત્પન્ન થતી શીલરૂપી સુગંધનું પ્રણિધાન ઉત્તમ પ્રણિધાનની ગરજ સારે છે.
શ્રી અરિહંતોનો ગંભીર ધ્વનિ, શ્રી સિદ્ધોનું અવિનાશી રૂપ અને શ્રી આચાર્યોના સદાચારની સુવાસ આપણે જોઈ આવ્યા હવે શ્રી ઉપાધ્યાયોના સ્વાધ્યાયનો રસ તથા શ્રી સાધુઓની નિર્મળ કાયાનો સ્પર્શ તથા બંનેનું પ્રણિધાન નમસ્કારની ક્રિયાને ભાવક્રિયામાં કેવી રીતે પલટાવે છે તે જોઈશું. નમસ્કારમહામંત્રનો ઉપકાર (૪)
શ્રુતકેવલીભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીજી ફરમાવે છે કે-માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ હેતુઓ માટે હું શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નમસ્કાર કરું છું. હેતુપૂર્વકની ક્રિયા ફલવતી છે, હેતુ કે સંકલ્પ વિહીન કર્મ ફળતું નથી. નમસ્કાર કરવાની પાછળ પાંચ પ્રકારના હેતુઓ શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી નમસ્કારની નિયુક્તિ કરતાં ફરમાવ્યા છે. આ પાંચ હેતુઓ તો માત્ર ઉપલક્ષણ છે. “માર્ગ હેતુ માટે જ શ્રી અરિહંતને નમવાનું છે એમ નથી, પણ જેવી રીતે અરિહંતો માગપદેશક છે તેથી નમસ્કારને પાત્ર છે, તેવી રીતે તેઓ ઔદાર્યાદિ અનંત ગુણોથી અલંકૃત છે માટે પણ નમસ્કરણીય છે. પાંચ હેતુ બતાવીને પાંચની સંખ્યાનો નિયમ નથી કર્યો, પણ ક્રિયાને ફલવતી બનાવવા માટે તે હેતુપૂર્વક કરવી જોઈએ એ નિયમ દર્શાવ્યો છે. તે હેતુ તરીકે શ્રી અરિહંતોની માર્ગોપદેશકતા, અરિહંતોનું અનુપમ ઔદાર્ય, અરિહંતોનો અનુપમ ઉપશમ, અનુપમ મૈત્રીભાવ, અનુપમ અહિંસા વગેરે કોઈપણ ગુણ લેવાય. અરિહંતોમાં રહેલી કોઈપણ વિશેષતાને આગળ
મહામંત્રનો ઉપકાર
( ૧૪૭ NN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org