SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણોમાં પરિણમન પણ આવશ્યક છે. એ પરિણમન પરમેષ્ઠિ નમસ્કારની પાછળ રહેલા હેતુઓનું શુદ્ધ ચિંતન કરવાથી થાય છે. અરિહંતભગવંતના નમસ્કારની પાછળ જેમ “માર્ગ' હેતુ છે, તેમ સિદ્ધ ભગવંતના નમસ્કારની પાછળ અવિનાશ” હેતુ છે. સંસારની સર્વ વસ્તુઓ વિનાશી છે. એક સિદ્ધપદ જ અવિનાશી છે. અવિનાશીપદની સિદ્ધિ માટે થતો સિદ્ધભગવંતનો નમસ્કાર એ હેતુપૂર્વકનો નમસ્કાર છે, તેથી તે ભાવનમસ્કાર બને છે. કોઈપણ ક્રિયાને ભાવક્રિયા બનાવવા માટે શાસ્ત્ર ચિત્તને આઠ પ્રકારનાં વિશેષણોથી વિશિષ્ટ બનાવવાનું ફરમાન કર્યું છે. તે વિશેષણોને સમજવાથી આપણી ક્રિયા ભાવક્રિયા છે કે નહિ તે સમજી શકાય છે. સાથે જ તે ભાવક્રિયા ન હોય તો તેને ભાવક્રિયા કેમ બનાવાય તેનું જ્ઞાન મળે છે. શ્રી અનુયોગદ્ધારસૂત્રમાં ભાવક્રિયાનું લક્ષણ બતાવતાં ફરમાવ્યું છે 'जणं समणे वा, समणी वा, सावए वा, साविया वा, तच्चित्ते, तम्मणे, तल्लेसे, तदज्झवसिए, तत्तिव्वज्झवसाणे, तदट्ठोवउत्ते, तदप्पिअकरणे, तब्भावणाभाविए, अन्नत्थ कत्थइ मणं अकरेमाणे उभओकालं સાવરૂવું . ' અર્થ - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ઉભયકાળ આવશ્યકને કરે. કેવી રીતે? તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્યા, તદ્અધ્યવસાય, તત્તીવ-અધ્યવસાન, તદ્અર્થોપયુક્ત, તર્પિતકરણ અને તભાવનાથી ભાવિત થઈને અન્યત્ર કોઈ પણ સ્થાને મનને કર્યા વિના કરે એવી ક્રિયા ભાવક્રિયા છે અને એ રીતે થતું આવશ્યક એ ભાવ આવશ્યક છે. અહીં સામાન્ય ઉપયોગને તચિત્ત કહે છે, વિશેષ ઉપયોગને તન્મન કહે છે, ઉપયોગની વિશુદ્ધિને તલ્લેશ્યા કહે છે, જેવો ભાવ તેવો જ ભાવિતસ્વર જ્યારે બને, ત્યારે વેશ્યાની વિશુદ્ધિ થઈ ગણાય છે. જેવો સ્વર તેવું જ ધ્યાન બને ત્યારે ચિત્ત તદધ્યવસિત અને તેવું જ તીવ્ર-અધ્યવસાનવાળું બન્યું ગણાય છે. તઅર્પિતકરણ, તઅર્થોપયુક્ત અને તભાવનાભાવિત, એ ચિત્તનાં ત્રણ વિશેષણો ચિત્તની વધતી જતી એકાગ્રતાને સૂચવે છે. | સર્વકરણો એટલે મન, વચન અને કાયા તથા કરણ, કરાવણ અને અનુમોદન તે વડે યુક્ત ચિત્ત, અર્થ, ભાવાર્થ અને રહસ્યાર્થમાં ઉપયોગયુક્ત ચિત્ત અને એ ત્રણેયની ભાવનાથી ભાવિત અંતઃકરણ બને ત્યારે આવશ્યકાદિ ક્રિયા ભાવક્રિયા કહેવાય છે. નમસ્કારની ક્રિયાને પણ ભાવક્રિયા બનાવવી હોય તો ચિત્ત અથવા અંતઃકરણને ઉપર્યુક્ત વિશેષણોથી વિશિષ્ટ બનાવવું જોઈએ. અંતઃકરણ વિશેષણોથી વિશિષ્ટ ત્યારે જ બને કે જ્યારે નમસ્કારની ક્રિયા હેતુપુર સર બને અર્થાત્ ક્રિયા પાછળના હેતુઓનું સ્પષ્ટ જ્ઞાન અને લક્ષ્ય હોય. શ્રી અરિહંતના અને શ્રી સિદ્ધના નમસ્કારના હેતુઓનું જ્ઞાન થયા પછી શ્રી આચાર્યનમસ્કારની પાછળ રહેલા હેતુનું જ્ઞાન જરૂરી છે. તે હેતુ “આચાર' પ્રધાન છે. આચાર્યનો આચાર પાંચ પ્રકારનો અથવા છત્રીસ પ્રકારનો અથવા એકસોને આઠ પ્રકારનો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આત્માના મુખ્ય ગુણો છે તેને પ્રકટ કરવા માટેના પાંચ આચારો અનુક્રમે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર એ નામથી ઓળખાય છે. તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના આઠ-આઠ પ્રકારો છે અને તપાચારના બાર પ્રકારો છે. આ રીતે આચારના છત્રીસ પ્રકારના આચારોને ત્રણ પ્રકારના વીર્યાચાર વડે ગુણવાથી એકસોને આઠ પ્રકારના આચારો થાય છે, એનું વિસ્તૃત વિવેચન શ્રી આવશ્યકસૂત્ર અને તેની ટીકા વગેરેમાં આપેલું છે. એ સર્વ આચારોના જ્ઞાનમાં અને પાલનમાં કુશળ હોય તે ત્રીજા પદે પ્રતિષ્ઠિત ભાવ આચાર્ય છે. ઉપાધ્યાયભગવંત અને સાધુભગવંત પણ આ સર્વ આચારથી પૂર્ણ હોય છે, પરંતુ તેઓ આચાર્યભગવંતની આજ્ઞા વડે પ્રેરાયેલા હોવાથી ગૌણ છે. પંચાચારના પાલક અને પ્રવર્તક મુખ્યતયા આચાર્યભગવંત જ કહેવાય છે. આચાર્ય નમસ્કારની પાછળ આચાર્યભગવંતોના આ આચારગુણનું પ્રણિધાન હોવું જોઈએ. ૧૪૬ તા ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy