________________
અંતિમ સમયે એ જ અમૃતનું સર્વને દાન કરતી સજાગ બની. સર્વ જીવોને ખમાવતાં-ખમાવતો, નમસ્કાર મહામંત્રનું રટણ-શ્રવણ કરતાં કરતાં, ધૂન સાંભળતાં સાંભળતાં ખૂબ જ સમાધિપૂર્વક રાતના આઠ કલાક દશ મિનિટે તે સજાગ આંખો સદાયને માટે મીંચાઈ ગઈ ! મૃત્યુ મંગલમય બન્યું.
“સમાધિને વર્યું! ડૉ જીવાણલાલ. વી. શાહે જાહેર કર્યું: “તેમણે દેહ છોડ્યો છે'
પૂ. શ્રી પ્રદ્યોતનવિજયજી મહારાજ તથા પૂ. શ્રી કુંદકુંદવિજયજી મહારાજ વગેરે મુનિભગવંતોએ પોતાના અસીમ ઉપકારી ગુરુદેવનો પાર્થિવદેહ શ્રી સંઘને વિધિપૂર્વક સોંપ્યો. શ્રી સંઘના આગેવાનોએ સૌનાં દર્શન માટે પૂજ્યશ્રીના દેહને શ્રી નગીનભાઈ પૌષધશાળા હોલમાં આસનસ્થ કર્યો.
આંસુભરી આંખે સહુ આવતા, ડૂસકાં ભરતા, વંદન કરતા, વાસક્ષેપ કરતા અને ભારે હૈયે આઘા ખસતા,
મુંબઈ, અમદાવાદ, સુરત આદિ ગુજરાતના શહેરોમાંથી મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, મારવાડ-જામનગર-આદિ પ્રદેશોમાંથી અનેક ભાવિક આત્માઓ પૂજ્યશ્રીની અંતિમ સંસ્કાર યાત્રામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.
પાટણ જિન ભક્તોથી-ગુરુભકતોથી ઊભરાઈ ગયું હતું. જેવા હેતભાવથી પાટણે પોતાના પુત્રરત્નને આવકાર્યો હતો, તેવા જ આદરભાવથી તેને વિદાય આપવા તત્પર બન્યું.
કોઈના પણ દબાણ વિના સ્વેચ્છાએ પાટણનાં બજારો બંધ રહ્યાં, ધંધા બંધ રહ્યા, દુકાનો બંધ રહી. પાટણના એક પનોતા પુત્રને ગુમાવ્યાના દુઃખે સર્વની આંખોમાંથી અશ્રુબિન્દુઓ ટપકતાં રહ્યાં.
સુશોભિત જરિયાન પાલખી તૈયાર થઈ. ધર્મ રત્નને ધારણ કરનાર પૂજ્યશ્રીના પાર્થિવ દેહને ખભા ઉપર ધારણ કરવા માટે ઉલ્લાસી શક્તિસંપન્ન ભાઈઓએ ચઢાવા લીધા.
વાજિંત્રોએ શોક-સંગીત શરૂ કર્યું, વિશાળ માનવમેદની વચ્ચે ભવ્ય પાલખીને પુણ્યશાળીઓએ ખભા પર લીધી અને
જય જય નંદા” “જય જય ભદા'ના જયઘોષની સાથે બપોરના બારના ટકોરે પાલખી નીકળી. દશ્યનજરે નિહાળનારનું હૃદય હચમચી ઊઠતું. રસ્તે અનુકંપાદાન ચાલુ હતું. રસ્તો ગુલાલથી રંગાઈ ગયો હતો. મારગમાં ઊભેલા સહુ કોઈ પૂજ્યશ્રીના પરોપકારમય જીવનને પ્રેમથી પ્રણામ કરતા હતા.
શ્રી જૈનશાસન અમર તપો” “પૂ. પંન્યાસજી મહારાજ અમર તપો' ના ગગનભેદી નાદ સાથે તેઓશ્રીના સંસારી પુત્ર શ્રી જીતુભાઈએ ધ્રૂજતા હાથે, રડતા હૈયે, ભક્તિ ભરી આંખે, પોતાના સાંસારિક પિતા ગુરુદેવને પ્રથમ અગ્નિસંસ્કાર કર્યો. પછી અનેક ભાવિકજનોએ પૂજ્યશ્રીને છેલ્લા પ્રણામ કરીને અગ્નિને સ્વધર્મ બજાવવામાં સહાય કરી. વાતાવરણમાં વેદના વ્યાપી ગઈ. હજારો હૈયાને રડતાં મૂકીને પૂ પન્યાસજી મહારાજનો પાર્થિવ દેહ અગ્નિમાં અદશ્ય થયો.
અક ધર્મપ્રેમી આત્માઓને શોકસાગરમાં ડુબાડીને જૈનસંઘનો આધ્યાત્મિક પ્રકાશપૂંજ અસ્ત પામ્યો એક મહા શાસન-દીપક બુઝાઈ ગયો.
પ.પૂ. પંન્યાસજી મહારાજ' વિશ્વમાંથી વિદાય થયા. પ...ણ...જિનભક્તિના શ્વાસે અને જીવમૈત્રીના ઉચ્છવાસે પૂજ્ય ગુરૂદેવ એક દેહ નહિ, પણ હજાર દેહોમાં, હજારો ભક્તોમાં, હજારો સાધકોનાં હૃદયમાં..રમતા રહ્યાં...
વૈલોકયદીપક મહામંત્રાધિરાજ
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org