________________
મહામંત્રનો ઉપકાર
मग्गो अविप्पणासो, आयारो विणयया सहायत्तं । पंचविहनमोक्कारं, करेमि एएहिं हेऊहिं ॥१॥
[આવશ્યક નિર્યુક્તિ, ગાથા ૨૯૪૪] અર્થ:-માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ હેતુઓ વડે હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું. (૧) - નિર્યુક્તિકાર શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજી આવશ્યક નિર્યુક્તિની ઉપરોક્ત ગાથામાં શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને પાંચ કારણો વડે નમસ્કાર કરવાનું ફરમાવે છે. તેમાં પ્રથમ પરમેષ્ઠિને નમસ્કારનું કારણ માર્ગ છે. એ વિષયમાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે પાંચ પરમેષ્ઠિઓમાં પ્રથમ પરમેષ્ઠિ શ્રી અરિહંતભગવંતો સૌથી પ્રથમ નમસ્કારને લાયક છે, તેમાં કારણ “મોક્ષમાર્ગ છે. અર્થાત્ સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગ તેઓએ બતાવેલો છે અને તે માર્ગે ચાલવાથી ભવ્ય જીવોને મુક્તિ મળે છે. એ રીતે ભવ્ય જીવોને મુક્તિની સાધનામાં સાક્ષાત્ હેતુ મોક્ષમાર્ગ જ છે અને તે માર્ગને સૌપ્રથમ દર્શાવનારા અરિહંતભગવંતો છે તેથી અરિહંતભગવંતો પણ પરંપરાએ મોક્ષના હેતુ હોવાથી પૂજ્ય છે.
પરંપરાએ મોક્ષમાર્ગના ઉપકારી તરીકે જેમ અરિહંતભગવંતો છે તેમ વસ્ત્ર, આહાર, શવ્યા, આસન આદિ પણ સાધકોને માટે મોક્ષમાર્ગનાં સાધનભૂત છે તેથી તે સાધનો પણ પૂજાને પાત્ર કેમ નહિ? અને તેને આપનાર ગૃહસ્થો પણ ઉપકારી કે પૂજ્ય કેમ નહિ?
ભાષ્યકારભગવંત શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ અને ટીકાકાર મહર્ષિ મલ્લધારીશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તે પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં મૂળ ગાથા ૨૯૪૮ તથા તેની ટીકામાં ફરમાવે છે કે
जं पचासनतरं, कारणमेगंतियं च नाणाई । मग्गो तदायारो, सयं च मग्गो त्ति ते पुजा ॥१॥
અર્થ -પરંપરાએ જ્ઞાનાદિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં ઉપયોગ કેવળ વસ્ત્રાદિ કે તેને આપનાર ગૃહસ્થાદિ જ ઉપકારી છે એમ નહિ, એક યા બીજા પ્રકારે ત્રણે જગત ઉપકારી છે. પરંતુ તે બધાં દૂરદૂરનાં કારણ છે, એટલું જ નહિ પણ તે અનેકાંતિક એટલે કારણ બને કે ન પણ બને એવાં છે. સૌથી નજીકનું અને અવશ્ય ફળ આપનારું કારણ તો રત્નત્રય જ છે. તેને આપનારા અરિહંતો છે તેથી તે માર્ગ અને તેને આપનારા અરિહંતભગવંતો ખરેખરા ઉપકારી અને પૂજ્ય છે. વસ્ત્રાદિ સાધનો અને ગૃહસ્થાદિ તો અરિહંતભગવંતોથી પ્રાપ્ત થયેલાં જ્ઞાનાદિ રત્નત્રયને સંભવિત ઉપકાર કરનારાં છે, તેથી પૂજ્યત્વની કક્ષામાં આવતાં નથી. એટલું જ નહિ પરંતુ એથી પૂજ્ય વસ્તુઓની ઈયત્તા (મર્યાદા)ન રહેવાથી અનવસ્થા દોષ પણ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વિશેષ કારણ તો તે છે કે અરિહંતભગવંતો કેવળ માર્ગ દર્શાવનાર જ નહિ, સ્વયં માર્ગરૂપ પણ છે અરિહંતોના દર્શન માત્રથી પણ ભવ્યજંતુઓને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. ઉપદેશથી જેમ અરિહંતો મોક્ષમાર્ગને આપનારા થાય છે, તેમ ઉપદેશ સિવાય તેમનાં દર્શન, પૂજન, સ્તવન અને ધ્યાનાદિથી પણ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવનારા થાય છે, એ અરિહંત ભગવંતોની વિશેષતા છે. કહ્યું છે કે
नामाकृतिद्रव्यभावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥१॥
અર્થ-નમ વડે, આકૃતિ વડે, દ્રવ્ય વડે અને ભાવ વડે ત્રણ જગતને પવિત્ર કરનારા સર્વક્ષેત્રના અને સર્વકાળના શ્રી અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ. (૧)
સત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ NR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org