SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય અને નવકાર મદિરા, વિષય, કષાય, નિદ્રા અને કુથલી એ પાંચ પ્રકારનો પ્રસાદ જેમ આત્માનું અધઃપતન કરી સંસાર-સાગરમાં ૨લાવે છે, તેમ વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય આત્માને સંસાર સાગરથી પાર ઉતારી મુક્તિના અવ્યાબાધ સુખમાં ઝિલાવે છે. આ છે સ્વાધ્યાયનું વિશદ સ્વરૂપ. સૌથી સહેલામાં સહેલો, અલ્પજ્ઞ પણ કરી શકે એવો અને અવસરે દ્વાદશાંગીનું પણ સ્થાન લે તેવો. સ્વાધ્યાય શ્રી નવકારનો છે. એ વસ્તુને આ લેખમાં સંક્ષેપથી પણ સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. શ્રી જિનશાસનમાં સ્વાધ્યાયને મોક્ષનું પરમ અંગે કહ્યું છે. પ્રત્યુપેક્ષણા, પ્રાર્થના, ભિક્ષાચર્યા, વૈયાવૃત્ય આદિ સંયમના અસંખ્ય વ્યાપારોમાંથી કોઈપણ યોગમાં વર્તતો જીવ, પ્રતિસમય અસંખ્યભવોનાં કર્મોને ખપાવે છે, તોપણ સ્વાધ્યાય યોગમાં વર્તતો જીવ સ્થિતિ અને રસવડે કર્મોને વિશેષે કરીને ખપાવે છે. કર્મક્ષયના મુખ્ય હેતુઓ બે છેઃ મન, વચન અને કાયાના અશુભ વ્યાપારોનો નિગ્રહ અને તે ત્રણેયનું શુભ વ્યાપારોમાં પ્રવર્તન. આ બન્ને હેતુઓ સ્વાધ્યાય યોગમાં જે રીતે સિદ્ધ થાય છે તે રીતે પ્રાયઃ અન્ય વ્યાપારો વખતે સિદ્ધ થઈ શકતા નથી. આ વાત કેવળ આગમથી જ નહીં પરંતુ યુક્તિ અને અનુભવથી પણ સિદ્ધ છે. શ્રી જિનમતમાં સ્વાધ્યાય પાંચ પ્રકારનો કહ્યો છેઃ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. ગુરુ પાસે સૂત્ર-અર્થ ગ્રહણ કરવાં તે વાચના, સંદેહ નિવારણ માટે પૂછવું તે પૃચ્છના, અસંદિગ્ધ સૂત્રાર્થની પુનઃ પુનઃ પરિવર્તના (પઠન) તે પરાવર્તના, પુનઃ પુનઃ વિચારણા તે અનુપ્રેક્ષા અને અનુગ્રહબુદ્ધિથી યોગ્યની આગળ કથન કરવું તે ધર્મકથા. આ પાંચેય પ્રકારનો સ્વાધ્યાય મન-વચન-કાયાના અશુભ વ્યાપારોનો વિરોધ કરાવી શુભમાં એકાગ્રતાપૂર્વક પ્રવર્તન કરાવે છે, તેથી કર્મક્ષયનો અસાધારણ હેતુ બની પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રો કહે છે કે આદર પૂર્વક સ્વાધ્યાયની લીનતા એ યાવતું સર્વજ્ઞપદ અને તીર્થંકરપણાની પ્રાપ્તિનો પણ હેતુ બને છે. પાંચેય પ્રકારનો સ્વાધ્યાય પદાર્થોના પરમાર્થને જણાવનારો છે અને ક્ષણે ક્ષણે સદ્ગતિના મૂળરૂપ પરમવૈરાગ્યનો હેતુ બને છે. આ સ્વાધ્યાય ઉત્કૃષ્ટતયા ચૌદપૂર્વધરોને હોય છે, મહાપ્રાણ ધ્યાનાદિના સામર્થ્યથી અંતર્મુહૂર્ત કાલમાં તેઓ ચૌદપૂર્વોનું અને બારે અંગોનું પરાવર્તન કરે છે. દશપૂર્વધરોને દશપૂર્વોનો સ્વાધ્યાય હોય છે, નવપૂર્વધરોને નવપૂર્વોનો અને એ રીતે ઘટતાં ઘટતાં જેને બીજું કાંઈ પણ આવડતું ન હોય તેને પણ પંચપરમેષ્ઠિનમસ્કારનો સ્વાધ્યાય હોય છે. કારણ કે આ પંચપરમેષ્ઠિનમસ્કાર દ્વાદશાંગનો અર્થ છે તેથી તે અતિમહાન છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર દ્વાદશાંગનો અર્થ હોવાનાં ત્રણ કારણો છે: ૧. દ્વાદશાંગના સ્થાને તેનો ઉપયોગ થાય છે. ૨. પરિણામની વિશુદ્ધિ થાય છે અને તેનાથી ૩. જ્ઞાન-દર્શન-ચારિત્રનું પણ આરાધન થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ઘરમાં આગ લાગે ત્યારે લોક જેમ કણ-કપાસાદિ અન્ય વસ્તુને છોડીને એકાદ મહામૂલા કિંમતી રત્નને ગ્રહણ કરે છે અથવા રણસંગ્રામને વિષે સુભટ બીજો ઉપાય ન હોય ત્યારે તલવાર-ભાલા વગેરે શસ્ત્રોને છોડીને એક અમોઘ બાણ કે, શક્તિ આદિ શસ્ત્રને ગ્રહણ કરે છે, તેવી રીતે મરણકાળ ઉપસ્થિત થાય ત્યારે પૂર્વધરો પણ જ્યારે અન્યશ્રુત યાદ રાખવા અસમર્થ થાય, ત્યારે દ્વાદશાંગને છોડીને શ્રી અરિહંત આદિના નમસ્કારને જ યાદ કરે છે તેથી આ નમસ્કાર દ્વાદશાંગનો અર્થ છે તે સાબિત થાય છે. અથવા સઘળું દ્વાદશાંગ પણ પરિણામની વિશુદ્ધિ માટે જ ભણાય છે. પરમ પુરુષ પરમેષ્ઠિઓને નમસ્કાર ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy