________________
નવકારની ઘોષણા
“ તાવ ન નાયર વિર્તન, વિંતિયં પત્યિયં વાયE I
कारण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥१॥" અર્થાત્ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રને જ્યાં સુધી આર્યો નથી, ત્યાં સુધી જ ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય થતું નથી. ૧.
ધમસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ નવકાર એ શાશ્વત છે. શ્રી તીર્થકરોની ધર્મદિશનાની જેમ એના ઉપકારો અનંતા છે. જગતમાં કોઈપણ એવું પાપ નથી કે જેનો પ્રતિકાર નવકારના આશ્રયથી અશક્ય હોય. નવકારના અક્ષરો કેવળ અક્ષરો જ નથી, કિન્તુ સાક્ષાત્ અક્ષરમથી દેવતાઓ, જ્યોતિ પુંજે છે. એનો આશ્રય લેનાર અને એનું વિધિપૂર્વક શ્રવણ કે સ્મરણ કરનાર સર્વદા સુરક્ષિત છે.
નવકારની એ પ્રતિજ્ઞા છે કે મારો આશ્રય લેનાર કોઈપણ હોય, તેનાં સર્વ પાપોનો મારે સમૂલ નાશ કરવો. આ પ્રતિજ્ઞાને ખોટી પાડનાર આજ સુધી કોઈ નીકળ્યું નથી. એને ખોટી પાડવાનો પ્રયાસ કરનાર પોતે જ ખોટો પડે છે.
- નવકારની બીજી પ્રતિજ્ઞા એ છે કે મારો આશ્રય લેનારનો આશ્રય સર્વ કોઈને લેવો પડે છે. દુનિયામાં જેટલા શુભ અને શ્રેષ્ઠ સજીવ કે નિર્જીવ પદાર્થો છે તે સઘળા નવકારના દાસ છે. નવકારની આ બીજી પ્રતિજ્ઞા છે અને તે ટંકશાળી છે. એની સત્યતાની કસોટી કરવા માટે સમગ્ર વિશ્વને નવકારનું આમંત્રણ છે. વિશ્વની સામે નવકારનું આ આહ્વાન છે, જાહેર ઉદ્ઘોષણા છે કે ઊઠો ! જાગો ! અને શ્રી નવકારના આ આહ્વાનનો હર્ષપૂર્વક સ્વીકાર કરો! તેનો સ્વીકાર કરવા માટે શ્રી નવકારનું સર્વ કોઈને પ્રેમ ભર્યું આમંત્રણ છે.
* નમો ' નો અર્થ
“મારા સ્વામી પરમસામર્થ્યવાન છે અને હું તેમનો સેવક છું.” એવો ખ્યાલ ન આવે ત્યાં સુધી માનવીના દુઃખનો ભાર જરા પણ ઓછો થતો નથી.
નમસ્કાર એટલે દાસત્વ, આત્મદાન, આત્મસમર્પણ અથવા સ્વામી પ્રત્યે સેવકનો નિર્મળ કૃતજ્ઞભાવ.
સમજદાર મનુષ્ય પોતાની પૂર્ણતા તેમાં જ શોધે છે.
પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જેને નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થાય છે તેનું નરકગતિ અને તિર્યંચગતિમાં ભ્રમણ અટકી જાય છે અને તેને માટે સ્વર્ગાપવર્ગનાં દ્વાર ઊઘડી જાય છે.
નવકારની ઘોષણા
- ૧૩૯ IS
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org