SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવમંગલ : શ્રી નવકાર મયે-સાધ્યતે હિતમનેતિ મમ્' અર્થાત જેનાથી હિત સધાય છે તે મંગલ અથવા હિત ધર્મથી જ સધાય છે, તેથી હિતસાધકધર્મને જે લાવે તે મંગલ કહ્યું છે કે- “ મધને નાતીતિ નક્ષત્તનું ” અહીં મંગ એટલે ધર્મ, તેને લાવે તે મંગલ. મંગલનો એવો બીજો અર્થ પણ થાય છે. અથવા ધર્મની પ્રાપ્તિ અધર્મના નાશથી થાય છે સર્વ અધર્મોનું મૂળ કારણ વિષય, કષાયો અને તેના હલ સ્વરૂપ ચાર ગતિમાં પરિભ્રમણરૂપ સંસાર છે. તેથી “સંસાર પરિભ્રમણનો ક્ષય કરે, તે મંગલ' એવો ત્રીજો અર્થ પણ મંગલનો થાય છે. કહ્યું છે કે- “ માં મવાતુ-સંસારનું નિતિ-નિયતીતિ માસ્ત્રમ્ અર્થાત્ “માં'= મને સંસારથી ગાલે-પાર ઉતારે, મારા સંસારને દૂર કરે તે મંગલ. એ રીતે મંગલ એટલે હિતનું સાધન. મંગલ એટલે ધર્મનું ઉપાદાન અને મંગલ એટલે અધર્મના મૂલભૂત સંસાર પરિભ્રમણનું જ મૂલોચ્છેદન. સુખસાધક અને દુઃખનાશક પદાર્થને મંગલરૂપ માનવાની રૂઢિ સંસારમાં પ્રસિદ્ધ છે. પરંપરાએ પણ દુઃખોચ્છેદક અને સુખ પ્રાપક પદાર્થો મંગલરૂપ મનાય છે, તથા જેમાં કષ્ટ નિવારણનું કે સુખ આપવાનું (નિશ્ચિત નહિ પણ સંદિગ્ધ) સામર્થ્ય હોય તે પદાર્થો પણ મંગલરૂપ ગણાય છે. જેમ કે દધિ, દૂર્વા, અક્ષત, શ્રીફળ, પૂર્ણકળશ અને સ્વસ્તિકાદિક પદાર્થો. એ રીતે સુખના નિશ્ચિત કે સંદિગ્ધ સાધનભૂત સર્વ કોઈ વસ્તુઓ જગતમાં મંગલરૂપ ગણાય છે. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મો તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાનાદિ ગુણો એ દુઃખધ્વંસ અને સુખસિદ્ધિનાં નિશ્ચિત સાધનો છે, તેથી તે ભાવમંગલ ગણાય છે. દધિ, દૂર્વા, અક્ષત, શ્રીફળ, પૂર્ણકળશ અને સ્વસ્તિકાદિ સંદિગ્ધ સાધનો છે, તેથી તે સર્વ દ્રવ્યમંગલ ગણાય છે. દ્રવ્યમંગલો જેમ સુખના સંદિગ્ધ સાધનો છે, તેમ તે અપૂર્ણ સુખને આપનારાં પણ છે. ભાવમંગલો એ સુખનાં નિશ્ચિત સાધનો છે અને તેનું સેવન કરનારને તે સંપૂર્ણ અને અવિનાશી સુખ આપે છે. તેથી દ્રવ્યમંગલ કરતાં ભાવમંગલનું મૂલ્ય ઘણું વધારે છે. જૈનશાસ્ત્રોમાં અનેક પ્રકારનાં ભાવમંગલો છે. તે સર્વમાં શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારને પ્રધાનમંગળ કહેલું છે. તેનાં મુખ્ય બે કારણો છે. એક તો પંચપરમેષ્ઠિનમસ્કાર જ સ્વયં ગુણસ્વરૂપ છે અને બીજું તે ગુણોના બહુમાન સ્વરૂપ છે. અહિંસા, સંયમ અને તપ તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાન વગેરે સ્વયં ગુણસ્વરૂપ છે પણ ગુણોના બહુમાન સ્વરૂપ નથી. વળી શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ સર્વ સદ્દગુણોમાં શિરોમણિભૂત વિનય ગુણના પાલન સ્વરૂપ છે. મોક્ષનું મૂળ વિનય છે. વિનય વિના જ્ઞાન નથી. જ્ઞાન વિના દર્શન નથી. દર્શન વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મોક્ષ નથી. બીજી રીતે મોક્ષને માટે ચારિત્રની જરૂર છે, ચારિત્ર માટે શ્રદ્ધાની જરૂર છે, શ્રદ્ધા માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન માટે વિનયની જરૂર છે. આ વિનય સ્વરૂપ શ્રી નમસ્કાર છે. યોગ્યનો વિનય તે સવિનય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમાં તાત્વિક ગુણોને ધારણ કરવાવાળી ( વિનયને પાત્ર એવી ત્રિકાલ અને ત્રિલોકવર્તી) સર્વ વ્યક્તિઓને નમસ્કાર કરવામાં આવે છે. પંચપરમેષ્ઠિનમસ્કારમાં નમસ્કારને યોગ્ય વ્યક્તિઓ સર્વપ્રધાન હોવાથી તેમને નમસ્કાર એ સર્વ વિનયોમાં પ્રધાનવિનયસ્વરૂપ બની જાય છે. પ્રધાનવિનયગુણના પાલનથી પ્રધાન (યથાર્થ) જ્ઞાન, પ્રધાન (તાત્ત્વિક) દર્શન (શ્રદ્ધા), પ્રધાન (શ્રેષ્ઠ) ચારિત્ર અને પ્રધાન (અવ્યાબાધ) સુખની પ્રાપ્તિ થાય છે. પરમેષ્ઠિઓને નમસ્કાર સ્વરૂપ પ્રધાન વિજયગુણના પાલન વિનાના જ્ઞાન, ધ્યાન, સંયમ પ્રધાન-મોક્ષ સુખને આપવાને સમર્થ થઈ શકતાં નથી. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ જેમ પ્રધાનવિનય-ગુણના પાલન સ્વરૂપ છે તેમ ગુણોના બહુમાન સ્વરૂપ પણ AN ભાવમંગલ શ્રી નવકાર ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy