SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ મહામંત્રમાં શુભધ્યાનના પ્રકારો ધ્યાનઆરોહણક્ષમ વિશુદ્ધ વેશ્યાવાળો ધ્યાનનો અધિકારી છે અથવા રાગ-દ્વેષનો વિજય કરવા વડે જેણે મનઃશુદ્ધિ કરી છે તે ધ્યાનનો અધિકારી છે. રાગ-દ્વેષનો વિજય સમતાભાવથી થાય છે અને સમતાભાવની સિદ્ધિ મમતાનો નાશ કરનારી શુભ ભાવનાઓથી થાય છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્મથી પવિત્ર ચિત્તવાળો તથા શુભ ભાવનાઓથી ભાવિત થયેલો આત્મા ધ્યાનારોહણ કરી શકે છે. ધ્યાનનું સ્થાન પર્વતની ગુફા, જીર્ણઉદ્યાન, શૂન્યગૃહ વગેરે જ્યાં મનુષ્યોનું આવાગમન ન હોય, મનને વિક્ષેપ કરનારાં નિમિત્તોનો જ્યાં અભાવ હોય અને પ્રાણીનો ઉપઘાત ન થાય તેવા ઉચિત શિલાતલ આદિ ઉપર પર્યકાદિ કોઈપણ આસન વાળીને જે રીતે પોતાનાં-મન-વચન કાયાના યોગોનું સમાધાન રહે અને મંદમંદ પ્રાણનો સંચાર થાય તે રીતે બેસવું. પ્રાણનો અતિ નિરોધ કરવાથી ચિત્તની વ્યાકુળતા થવાનો સંભવ છે. કહ્યું છે કે સાણં ન નિમ' અર્થાત્ શ્વાસોચ્છવાસને રોકવો નહિ. તેમ કરવાથી એકાગ્રતાને હાનિ પહોંચે છે. પછી ચક્ષુ આદિ ઇન્દ્રિયોને પોતાના વિષયોથી રોકી દ્ભય, લલાટ યા મસ્તક આદિ કોઈ પણ સ્થાન કે જે વધારે પરિચિત હોય ત્યાં મનોવૃત્તિને એકાગ્ર કરી, પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ, પ્રસન્નમુખવાળા થઈને શુભધ્યાન કરવું. તે ધ્યાન બે પ્રકારનું છેઃ બાહ્ય અને આંતર. બાહ્યધ્યાન સૂત્ર-અર્થના પરાવર્તનરૂપ છે અથવા દઢવ્રતતા, શીલાનુરાગ તથા વચન, કાયા અને મનના વ્યાપારોને દઢતાથી રોકી રાખવા વગેરે બાહ્યધ્યાન છે. જેને બીજે જાણી ન શકે. માત્ર અનુમાન કરી શકે તેવું કેવળ સ્વ-સંવેદનગ્રાહ્ય આંતરધ્યાન છે. તે સંક્ષેપથી ચાર પ્રકારનું છે. અન્યત્ર તેના દશ પ્રકારો પણ બતાવ્યા છે. આંતરધ્યાનને આધ્યાત્મિક ધર્મધ્યાન પણ કહે છે. અહીં પંચપરમેષ્ઠિના સ્મરણમાં તે દશે પ્રકારના ધ્યાનનો સમાવેશ કેવી રીતે થાય છે તેનો ટૂંકમાં વિચાર દર્શાવ્યો છે. ૧. અપાયરિચય-અપાયને અંગે વિચાર તે અપાયરિચય ધર્મધ્યાન છે. મન-વચન-કાયાના દુષ્ટ વ્યાપારો આત્માને અપાયકારક છે. તે દુષ્ટ વ્યાપારોથી આત્મા ભવમાં ભટકે છે. શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત થયા પછી જેમ કોઈ બાલિશ આત્મા ભિક્ષા માટે ભટકે, તેમ મન-વચન-કાયાના શુદ્ધ વ્યાપારવાળા જીવને મોક્ષ સ્વાધીન છતાં દુષ્ટ વ્યાપારો વડે તે ભવભ્રમણ કરે છે. અહીં “મારા મનવચન કાયાના તે દુષ્ટ વ્યાપારોને હું રોકું એ પ્રકારના સંકલ્પવાન જીવને અપાયરિચય ધર્મધ્યાન થાય છે, કારણ કે તેમાં દોષવર્જનની પરિણતિ છે. આ પરિણતિ કુશળમાં પ્રવૃત્તિ કરાવનાર છે. શ્રી નવકારમંત્રના બળે યોગોનો કામ ક્રોધાદિરૂપ અશુભ અભ્યાસ ટળીને જ્ઞાનાદિ શુભ અભ્યાસની વૃદ્ધિ થાય છે, તેથી નવકારનો આશ્રય તે અપાયવિચય ધર્મધ્યાનનો જ એક પ્રકાર છે. ૨. ઉપાયરિચય- કુશળ વ્યાપારોનો સ્વીકાર તે ઉપાયરિચય ધર્મધ્યાન છે. “મોહ પિશાચથી આત્માની રક્ષા કરાવનાર કુશળ વ્યાપારોવાળો હું બનું' એ જાતિનો સંકલ્પપ્રબંધ તે ઉપાયરિચય છે. શ્રી નમસ્કારમંત્રની આરાધના વડે તે પાર પડે છે. ૩. જીવવિચય-માત્ર પોતાના આત્માનો વિચાર કરવામાં ઉપયોગી એવું ધ્યાન તે જીવવિચય ધર્મધ્યાન છે. જેમ કે, “મારો આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે, સાકાર-અનાકાર ઉપયોગયુક્ત છે, અનાદિ અનંત છે, કૃતકર્મના ફળને ભોગવવાવાળો છે, કર્મસંબંધથી ભવમાં ભમવાવાળો છે અને કર્મવિયોગથી મોક્ષને પામવાવાળો છે. આ જાતિનો વિચાર નમસ્કારમંત્રમાં અનુસ્મૃત છે, તેથી તેનું આરાધન જીવવિચ ધર્મધ્યાન સ્વરૂપ છે. ૪. અજીવવિચય-ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, કે જે અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહ, વર્તનાદિ ૧૩૪ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy