________________
સ્વભાવવાળા પંચપરમેષ્ઠિઓ સાથે ધ્યાન વડે એકતાને અનુભવનારો મનુષ્ય પણ પોતાની અંદરની અને બહારની સ્થિતિમાં મોટો ભેદ અનુભવ્યા સિવાય રહેતો નથી. જ્યાં જ્યાં તે સ્થિતિ બદલાતી ન જણાય ત્યાં ત્યાં સમજવું કે તે પરમેષ્ઠિઓનું ધ્યાન યોગ્ય રીતે કરી શક્યો નથી.
ધારણાકાલે બેયની પ્રતીતિ ન્યૂન હોય છે અને અહંવૃત્તિની પ્રતીતિ વિશેષ હોય છે. ધ્યાન કાળે બેયની પ્રતીતિ પ્રબળ બને છે અને અહંવૃત્તિની પ્રતીતિ ઘટી જાય છે. ચોર આદિના ભયવાળા નગરમાં રહેનારા ધનાઢ્યો. પોતાના ધનને પ્રયત્નપૂર્વક ગોપવી રાખે છે, તેમ ધ્યાનાભ્યાસીઓએ ધ્યાનથી ઉત્પન્ન થતા લોકોત્તર આનંદને અને અનુભવાતી ધ્યાનાનંદની વિલક્ષણ પ્રતીતિઓને પ્રયત્નપૂર્વક ગોપવવી જોઈએ.
ચિત્તની નિર્મળતા કર્યા વિનાનું ધ્યાન કથનમાત્ર છે. બગલા અને બિલાડાનું ધ્યાન હોવા છતાં દુર્ગાન ગણાય છે, તેથી ધ્યાન કરનાર ધ્યાતાએ પ્રયત્નપૂર્વક પોતાના ચિત્તને નિર્મળ કરવું જોઈએ. કહ્યું છે કે “જેણે પોતાનાં શરીર ઇન્દ્રિયો અને કષાયોને જીત્યા નથી તથા રાગ-દ્વેષને દબાવ્યા નથી તેણે કાણી પખાલમાં પાણી ભરવાની જેમ ધ્યાન કરવાની નિષ્ફળ ચેષ્ટા કરી છે.'
જે મનને વશ કરવાનું કાર્ય મોટા પર્વતને મૂળમાંથી ઉખેડી નાખવા જેવું, અગ્નિનું ભક્ષણ કરવા જેવું, ભૂખ્યા સિંહની સામે થવા જેવું, મહાસાગરને, ભુજાઓ વડે તરવા જેવું, પૃથ્વીને બાથ ભરવા જેવું, આકાશમાં નિરાલંબ ઊડવા જેવું, તરવારની ધાર પર ઉઘાડા પગે ચાલવા જેવું અને પ્રબળવેગથી વાતા વાયુને રોકવા જેવું અતિ દુષ્કર છે, તે કાર્ય પણ પરમાત્મસ્વરૂપને પામેલા પરમેષ્ઠિઓના સતત ધ્યાનથી સિદ્ધ થાય છે. માત્ર તેમાં સતત મંડ્યા રહેવું જોઈએ. કહ્યું છે કે
उत्साहान्निश्चयाद् धैर्यात्, संतोषात् तत्त्वदर्शनात् । । मुनेर्जनपदत्यागात्, षड्भिर्योगः प्रसिध्यति ॥१॥
અર્થાત્ મનને વશ કરવારૂપ યોગનું કાર્ય છ પ્રકારે સતત પ્રયત્ન કરવાથી સિદ્ધ થાય છે; તે પ્રકારો નીચે મુજબ છેઃ
૧. ઉત્સાહાત્ = વીર્ષોલ્લાસ વધારવાથી ૨. નિશ્ચયાત્ = “આ મારું પરમ કર્તવ્ય છે એવો એકાગ્ર પરિણામ રાખવાથી ૩. ઘેર્યાત કષ્ટ વખતે પણ સ્થિર રહેવાથી ૪. સંતોષાતુ= આત્મારામતા ધારણ કરવાથી ૫. તત્ત્વદર્શન–યોગ એ જ તત્ત્વ છે, પરમાર્થ છે, એવો વિચાર કરવાથી ક. જનપદત્યાગાગતાનુગતિક લોકના વ્યવહારનો પરિત્યાગ કરવાથી ઉત્સાહદિ આ છ વસ્તુ વડે યોગ સિદ્ધ થાય છે. આ યોગ એટલે ધ્યાન અથવા એકાગ્રતાનો પરિણામ.
આકાશમાં રહેલા તારાઓ, પૃથ્વી પરની રેતીના કણિયાઓ તથા મેઘમાંથી વર્ષતા વરસાદના બિંદુઓની સંખ્યા ગણવી જેટલી દુષ્કર છે, તેથી પણ અધિક દુષ્કર ચંચળ એવા મનને વશ કરવું તે છે. તોપણ ઉત્સાહાદિ છ હેતુઓ સહિત પ્રયત્ન કરવામાં આવે તો પંચપરમેષ્ઠિઓના ધ્યાન વડે મન વશ થઈ શકે છે અને ધ્યાતા શાંતતા સ્થિરતા, નિશ્ચળતા, નિર્ભયતા આદિ ગુણોને અનુભવે છે.
નમસ્કાર મહામંત્રનું ધ્યાન
૧૩૩ AS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org