SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી જ્ઞાનસાર, ધ્યાનાષ્ટક) ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ અર્થાત્ વિજાતીય જ્ઞાનના અંત૨રહિત સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. “ધારણામાં જ્ઞાનની ધારા વચ્ચે વચ્ચે વિચ્છેદ પામે છે, જ્યારે ધ્યાનમાં તેવું થતું નથી. નમસ્કારમહામંત્રનું ધ્યાન ध्यानं चैकाग्रसंवित्ति । ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતાના રૂપ આદિ વિષયો તરફ સ્વભાવથી જ પ્રબળ વેગ વડે ધસ્યા કરે છે. ઇન્દ્રિયોને અનુસરનારું મન પણ રાતદિવસ વિષયચિન્તનમાં જ પ્રવૃત્ત રહે છે. તેથી ધ્યાનનો અભ્યાસ કરનારે વિષયો તરફ જતાં મન અને ઈન્દ્રિયોને વિષયોમાં દોષદર્શનરૂપી વૈરાગ્યદૃષ્ટિ રોકવાં જોઈએ. વિષયપ્રવણ (વિષયો પ્રત્યેની આસક્તિ) મનની વિષયપ્રવણતા, વિષયોની અસત્યતા, અસારતા અને અપકારકતાનો વિચાર કરવાથી તે બાજુ ઢળતા મનને રોકી શકાય છે. પછી મનની સાવધાનતા, દૃઢતા તથા ધીરતા દ્વારા ચપળ ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવી શકાય છે. પ્રશસ્ત વિષયના ધ્યાનનો અભ્યાસ વધવાથી અંતઃકરણની યોગ્યતા વધે છે, જ્ઞાન અને આનંદની વૃદ્ધિ અનુભવાય છે, ઇન્દ્રિયો તથા શરીર સાત્ત્વિક બને છે તથા ધ્યાનાભ્યાસરૂપ પુણ્યના પ્રકર્ષથી બાહ્ય વ્યવહાર પણ અનુકૂળતાવાળો બની જાય છે. કંટાળ્યા વિના નિયમપૂર્વક અભ્યાસ કરવાથી સમય જતાં જેમ મોટા મોટા ગ્રન્થોનું અધ્યયન કરી શકાય છે, નિત્ય નિયમપૂર્વક ઊંચે ચઢવાથી જેમ મોટા મોટા પર્વતો ચઢી શકાય છે, નિત્ય ઉત્સાહપૂર્વક ચાલ્યા કરવાથી જેમ સમસ્ત પૃથ્વીને પ્રદક્ષિણા આપી શકાય છે તેમ આગ્રહપૂર્વક અને ઉદ્વેગ પામ્યા વિના નિયમિત ધ્યાનાભ્યાસ ચાલુ રાખવાથી કાળે કરીને અનેક વિષયાકારે પરિણમવાના મનના સ્વભાવને પલટાવીને એક જ ધ્યેયના આકારે સ્થિર રાખી શકાય છે. મનને ચિરકાલથી અનેક વિષયોના આકારમાં પરિણમવાની ટેવ પડેલી છે. તેને એક જ ધ્યેયાકારે સ્થિર ક૨વાનું કામ અતિ કઠિન છે. તોપણ દૃઢ પ્રયત્નથી જેમ અન્ય મોટાં કાર્યો સુલભ થાય છે તેમ આ કાર્ય પણ સુકર બને છે. ધ્યાનાભ્યાસીએ ધ્યાનાભ્યાસથી લેશ પણ કંટાળ્યા વિના નિત્ય નવા નવા ઉત્સાહથી ધ્યાનાભ્યાસરૂપ કાર્ય ચાલુ રાખવું જોઈએ. ધ્યાનાભ્યાસી જો યોગ્ય પ્રયત્નપૂર્વક પોતાના મનને શુદ્ધ ધ્યેયમાં જોડવા માટે પ્રયત્ન ચાલુ રાખે તો સ્થૂળ અને ચંચળ એવા મનને ધ્યાનના બળથી સૂક્ષ્મ અને એકાગ્ર ક૨વામાં અવશ્ય સફળ થઈ શકે છે. અશુદ્ધ મનને શુદ્ધ ક૨વાનું અને ચંચળ મનને સ્થિર કરવાનું કાર્ય અતિ દુષ્કર છે, તોપણ પંચપરમેષ્ઠિના ધ્યાનથી અને ભક્તિપૂર્વકના નમસ્કારથી તે સુલભ બને છે. કારણ કે પંચપરમેષ્ઠિ શુદ્ધસ્વરૂપવાળા, સ્થિર અને શાશ્વત છે. સમુદ્રથી દૂર રહેલા સ્થાનમાંથી મનુષ્ય જેમ જેમ સમુદ્રની સમીપ આવતો જાય છે, તેમ તેમ સમુદ્ર પરથી આવતા પવનની શીતલ લહેરો વડે તેનો તાપ શમતો જાય છે અને આનંદ વધતો રહે છે. તેમ ધ્યાનવડે મનુષ્ય પોતાના બહિર્મુખ મનને જેમ જેમ પરમતત્ત્વની અભિમુખ કરી સમીપ આવતો જાય છે, તેમ તેમ અંતઃકરણમાં અપૂર્વ શાંતિ, સમતા, તૃપ્તિ અને નિર્ભયતાનો આનંદ અનુભવતો જાય છે. અથવા મોટા રાજાની સાથે અનુકૂળ સંબંધથી જોડાયેલા સામાન્ય માણસની પણ બાહ્ય-આંતર સ્થિતિમાં મોટો ફેર પડી જાય છે, તેમ જ્ઞાનાનંદ પાતંજલ યોગસૂત્ર મુજબ ધારણાના વિષયમાં ચિત્તની વૃત્તિઓના પ્રવાહને તેલની ધારાની જેમ અવિચ્છિન્નપણે ચાલુ રાખવો એ ધ્યાન છે. જુઓ, · તત્ર પ્રદ્વૈતાનતા ધ્યાનમ્ ।' પા. યો. સૂત્ર-૩-૨ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૧૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy