SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ નમસકારની ધારણા શરીરની બહાર કે અંદર કોઈ એક સ્થાનમાં મનોવૃત્તિને એકાગ્ર કરવા પ્રયત્ન કરવો તેનું નામ ધારણા છે. કહ્યું છે કે “ દેશવશ્ચાસ્ય ધારVI " અર્થાત ચિત્તને કોઈ એક સ્થાન પર બાંધવું તે ધારણા છે. ધારણાના અભ્યાસીએ સિદ્ધાસન, પદ્માસન કે સ્વસ્તિકાસન વગેરેમાંથી કોઈ એક આસને બેસવું જોઈએ તથા ઈન્દ્રિયોને અને મનને સ્વસ્થ કરવાં જોઈએ. નવકારની ધારણા મુખ્યત્વે નવકારના અક્ષરો ઉપર કે પંચપરમેષ્ઠિઓની આકૃતિઓ ઉપર કરવાની હોય છે અને તે મૂર્તિઓ કે અક્ષરોને શરીરની અંદર કે બહાર અષ્ટદલકમળ ઉપર સ્થાપન કરવાના છે. આ ધારણા શરૂ કરતાં પહેલાં સંસારના સર્વ વિષયો પ્રત્યે વૈરાગ્ય અને પંચપરમેષ્ઠિઓ પ્રત્યે પરમ અનુરાગ પ્રકટાવવાનો હોય છે. જેમ કે સંસારના સર્વપદાર્થો અનિત્ય, અશરણ અને દુઃખદાયક છે ત્યારે પંચપરમેષ્ઠિભગવંતો શાશ્વત, શરણભૂત અને મંગળદાયક છે. ધારણાનો અભ્યાસ કરતાં અંતઃકરણની વૃત્તિમાં બે મુખ્ય દોષો આવે છેઃ એક લય અને બીજો વિક્ષેપ. નિદ્રાધીનતા તે લય છે અને ધારણાના વિષયથી અન્ય વિષયના આકારે ચિત્તનું પરિણમવું તે વિક્ષેપ છે. અજીર્ણ, અત્યાહાર, અતિશ્રમ આદિ દોષો લયના હેતુઓ છે. તેનો નાશ કરવા માટે હિત-મિત-ભોજી થવું, શક્તિથી વિશેષ શ્રમનો ત્યાગ કરવો, ઉચિત નિદ્રા લેવી, તથા ચિત્તનો તમોગુણ જેમ ઓછો થાય તેવો આહાર-વિહારાદિનો અભ્યાસ પાડવો જોઈએ. વિક્ષેપદોષ ટાળવા માટે એકાગ્રતાનો અભ્યાસ પાડવો અને વૈરાગ્ય તથા સમભાવની ભાવના વધારવી જોઈએ. લય અને વિક્ષેપથી જુદો ચિત્તનો એક ત્રીજે દોષ છે તેને કષાય કહેવાય છે. કષાય એટલે તીવ્રરાગ-દ્વેષ, તેને ધીરતા અને સાવધાનતાથી દૂર કરવા. રાગના હેતુઓ અનુકૂળ શબ્દાદિ વિષયો છે અને તેના હેતુભૂત ધન, માન તથા સ્ત્રી પુત્રાદિ છે શ્રેષના હેતુઓ પ્રતિકૂળ એવા તે જ વિષયો છે. વિષયની અસારતા, તુચ્છતા અને અપકારકતાનો પુનઃ પુનઃ વિચાર કરવાથી કષાયદોષ અર્થાત્ રાગ-દ્વેષની તીવ્રતા ટળી જાય છે. એ રીતે ધારણાનો અભ્યાસ દઢ કરવા માટે વિષય-વિરાગ પ્રબળ કરવો જોઈએ અને ધ્યેયમાં પ્રીતિને દઢ કરવી જોઈએ. જ્યારે જ્યારે લય, વિક્ષેપ અને કષાય દોષનો સંભવ જણાય ત્યારે ત્યારે તેના પ્રતિપક્ષી ઉપાયો વડે તેનું નિવારણ કરતા રહેવું જોઈએ. ધારણાનો અભ્યાસ કર્યા પછી શરૂઆતના કેટલાય દિવસો સુધી ચિત્ત કેટલોક વખત ધ્યેયાકાર સ્થિતિમાં, કેટલોક વખત લયાવસ્થામાં, કેટલોક વખત વિક્ષેપાવસ્થામાં અને કેટલોક કષાયાવસ્થામાં રહે છે. જેમ જેમ વૈરાગ્ય ભાવના વધતી જાય છે અને ધ્યેયવિષયમાં પ્રીતિ જામતી જાય છે તેમ તેમ લય, વિલેપ અને કષાયાદિ ન્યૂન (મંદ) થવા માંડે છે અને ધારણાનો અભ્યાસ પરિપક્વપણાને પામતાં ધ્યાનાભ્યાસના અધિકારી થવાય છે. ધારણા સિદ્ધિ માટે વૈરાગ્યભાવના અને ભક્તિભાવનાને પ્રબળ બનાવવી આવશ્યક છે. વૈરાગ્યભાવના વડે વિષયતૃષ્ણાનો ઉચ્છેદ થાય છે અને ભક્તિભાવના વડે ધર્મવિષયક અરુચિ અને પ્રમાદ દોષ ટળી જાય છે. સંસારની અંદર જીવને એક બાજુ પંચવિષયો છે અને બીજી બાજુ પંચપરમેષ્ઠિઓ છે. પંચવિષયોનું આકર્ષણ અનાદિનું છે, પંચ પરમેષ્ઠિઓનું આકર્ષણ અભ્યાસથી સાધ્ય છે. વિષયોના આકર્ષણથી જીવ રાગદ્વેષને વશ થઈ અનંતક ઉપાર્જન કરે છે અને પંચપરમેષ્ઠિ ઉપરના ભક્તિભાવથી જીવ અનંત અનંત કર્મનો ક્ષય કરે છે. કર્મના સંચયથી જીવ જન્મ મરણના ચક્રમાં પડે છે અને કર્મના ક્ષયથી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે છે તે તત્ત્વને સમજીને સાધકે શાસ્ત્ર અને ગુરુના ઉપદેશ મુજબ પંચપરમેષ્ઠિનમસ્કારની ધારણાનો અભ્યાસ કરવો જોઈએ તથા ચિત્તમાં વિષય-રાગના સ્થાને ભક્તિરાગ કેળવવા માટે શ્રદ્ધા, ઉત્સાહ અને સાવધાનતાપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. નમસ્કારની ધારણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy