________________
પરમેષ્ઠિઓ મહાન ઐશ્ચર્યશાળી છે તેમને નમસ્કાર કરવાથી આત્મામાં ગુણલક્ષ્મી ઊભરાવા લાગે છે.
બીજમાં અંકુરો થવાની યોગ્યતા તો છે, પણ તેને માટે જેમ યોગ્ય સામગ્રીની અપેક્ષા રહે છે તેમ આત્મામાં ગુણલક્ષ્મી ઠાંસી ઠાંસીને ભરેલી છે. તેને પ્રગટ થવા માટે પણ સામગ્રી જોઈશે. તે સામગ્રીમાંની એક શ્રી પંચપરમેષ્ઠિઓને નમસ્કાર કરવો તે છે. જિનેશ્વરોને ભાવથી નમસ્કાર કરવો તે ગુણલક્ષ્મી પ્રગટ કરવાનો અમોઘ ઉપાય છે. કહ્યું છે કે
યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે.”
નમસ્કારની ક્રિયાથી અનાદિની જે ભાવ દરિદ્રતા હતી તે ટળી જાય છે અને આત્મિક ગુણોના ઓઘના ઓઘ ઊભરાવા લાગે છે. આંતર સંપત્તિનું દર્શન થતાં તેને બાહ્ય વસ્તુની ઓછાશની દીનતા રહેતી નથી.
એથી જ કહેવાય છે કે નવકારનો ગણનાર કદી પણ દીન ન હોય. કહ્યું છે કે પ્રભુની ઓળખાણ થતાંની સાથે સાથે જ બધી દીનતા ચાલી જાય છે અને એથી જ આરાધક આત્માઓ મુખ્ય માગણી કરે છે કે -
બિનધર્મનિર્કો, મુવં ઘવત્યો ” અર્થાત જિનધર્મથી રહિત એવો હું ચક્રવર્તી પણ ન થાઉં. નવકાર એ આંતરિક ધન છે અને તેની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થાય છે.
શું નવકાર એ મહારત્ન છે? ચિન્તામણિ છે? અથવા શું કલ્પવૃક્ષ છે?
નહિ, નહિ, નહિ!
તે સર્વથી પણ અધિક છે. ચિત્તામણિ આદિ એક જન્મના સુખને આપે છે.
જ્યારે પ્રવર એવો પરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર, સ્વર્ગ અને અપવર્ગનાં સુખ પણ આપે છે.
પરલોકના માર્ગે પ્રયાણ કરતા જીવરૂપી મુસાફરને આ લોકરૂપી ઘરમાંથી નીકળતી વેળા
શ્રી નવકારમંત્ર પરમ ભાતા તુલ્ય છે.
GO
ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.989