________________
ન હોય અને જેને જેવી રુચિ હોય તે મુજબ એનું ઘડતર થાય. અનુમોદનાથી જીવનું શુભપુણ્ય એટલું બધું વધી જાય છે કે તે પોતે આજે એક બિંદુ સ્વરૂપ છે, પણ અનુમોદનારૂપ ધર્મમાં ભળી જવાથી અજાય-અનંત સાગર સ્વરૂપ બની જાય છે.
અનુમોદનાના આ અનંત ફળને ખ્યાલમાં રાખીને જ શાસ્ત્રકારોએ નવકારનું માહાભ્ય ગાયું છે. નવકારના એક એક અક્ષરના સ્મરણથી સાત સાત સાગરોપમનાં પાપો ટળે એ ફળ પણ વ્યવહારથી છે અને તે તો અતિ અલ્પ ગણાય. વસ્તુતઃ નવકારના એક એક અક્ષરના સ્મરણથી પ્રતિસમય અનંત અનંત પાપની રજ ટળે અને જીવ સર્વકર્મનો વિચ્છેદ કરી અલ્પ સમયમાં મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરે તે એનું પરમાર્થ ફળ છે. જીવની મુક્તિ આજ સુધી થઈ નથી એનું કારણ એક જ છે કે તે નમસ્કારમંત્રથી નમનીય પંચપરમેષ્ઠિઓને ભાવપૂર્વક એકેય વાર નમ્યો નથી - ત્યાં અંતરથી નમ્ર બન્યો નથી. પરમેષ્ઠિઓને ભાવપૂર્વક નમવાના પરિણામ સિવાય જે ધર્મકરણી થાય છે. તે વિશુદ્ધ નથી પણ અશુદ્ધ છે, અભિમાનની વૃદ્ધિ માટે છે. આરાધના વધે તેમ નમ્રતા વધે તો સમજવું કે ધર્મવૃદ્ધિ થઈ રહી છે. પણ મોટે ભાગે જીવ નમ્ર બનવા માટે નહિ, સૌથી અધિક શ્રેષ્ઠ બનવા અને સૌને નમાવવા સારું જ પ્રયત્ન કરી રહ્યો હોય છે અને એ કારણે ધર્મ પ્રવૃત્તિમાં પણ જ્યાં નમવું જોઈએ ત્યાં તેને નમ્રતાનો ભાવ આવતો નથી. એ બધો ભાવ અંધાપો છે અને તે અંધાપાની પુષ્ટિ થતી જ આવે છે. તેથી નમ્ર બનાતું નથી અને નમ્ર બન્યા સિવાય દ્ધયમાં ધર્મ પ્રવેશી શકતો નથી.
એ અંધાપો તો જ ટળે જો દષ્ટિ ગુણાનુરાગી થાય. દષ્ટિ ગુણાનુરાગી તો જ થાય જે પોતામાં ભરાયેલા અનંત દોષો અને અશુદ્ધિઓ ખ્યાલમાં આવે. એ ખ્યાલમાં આવે એટલે ગુણ-ગણમણિના ભંડાર સરખા અરિહંતો હજારો સૂર્યો કરતાં પણ વધુ દેદીપ્યમાન ભાસમાન થાય અને એ ભાસમાન થયા પછી જ્યારે લઘુતા, નમ્રતા અને પોતાનું અસામર્થ્ય સાચી રીતે ખ્યાલમાં આવે ત્યારે તો આ નવકારને ચિંતામણિ અને કલ્પવેલડીની ઉપમા પણ તુચ્છ જેવી લાગે અને અનાદિનું અંદરનું અંધારું ઉલેચાય. પછી આ જગતમાં અરિહંતાદિ પંચપરમેષ્ઠિઓએ પોતાના જીવનમાં કેવો પુરુષાર્થ કર્યો છે અને આંતર શત્રુઓને જીતવા માટે કેવા કેવા જંગ ખેલ્યા છે. કેવી કઠોર સાધના કરી છે, અજ્ઞાનમાં મગ્ન થયેલા જગત ઉપર એમની કેવી કરુણા છે તેનો સાચો ખ્યાલ આવે. પછી તેમની બધી જ ચેષ્ટાઓ કરુણારસની મૂર્તિ સમી ભાસે, તેમની સઘળી પ્રવૃત્તિ કેવળ જગતના કલ્યાણ માટે જ લાગે અને એમના પુરુષાર્થનો વિચાર કરવામાં આવે તો મહાન આશ્ચર્ય થાય કે આવા કટુ સંસારમાં પણ અમૃતના કુંભ સમાન આત્માઓ શી રીતે ઉત્પન્ન થતા હશે? જગતના શિક્ષણથી જુદું આવું શિક્ષણ એમને કોણે આપ્યું હશે? જગતની વચ્ચે રહીને પોતાના (જગતથી તદ્દન વિલક્ષણ) માર્ગમાં શી રીતે ટકી રહ્યા હશે ? તેમનું આંતરબળ કેટલું હશે ? અપાર-દુઃખ સહન કરતી વખતે પણ આનદમાં મગ્ન રહી જગતને દુઃખ ઉપર વિજય મેળળવાનો માર્ગ જો આવા પુરુષો ન હોત તો બીજા કોણ બતાવત? આજે જે કાંઈ સુખ, શાંતિ, દાન, દયા, પરોપકાર કે ધર્મ દશ્યમાન થાય છે તે બધું તેમના વિના ઉત્પન્ન પણ થઈ તેમ નહોતું.એ રીતે જે કાંઈ સારું છે ત્યાં પ્રત્યેક ઠેકાણે એમની કરુણાનાં દર્શન થઈ શકે. સર્વત્ર સારું ઉત્પન્ન ક્યાંથી થયું? તેનો ઉત્તર એ આવે કે “એ બધું એક નાનકડા નવકારમાંથી જ ઉત્પન્ન થયું છે.'
જો નવકાર ન હોય તો જગત ભલે કદાચ હોત પણ જગતમાં સારું તો કાંઈ ન જ હોત. જગતમાં જે કાંઈ સારું છે તેને નવકારે ઉપજાવ્યું છે-ટકાવ્યું છે તેનો યશ બીજાઓ લેવા જાય છે તેમાં તેમનું અજ્ઞાન જ કારણભૂત છે.
વિચારો ! નવકાર કેટલો વ્યાપક છે? શાસન અરિહંતનું કહેવાય, એ અરિહંત પણ નવકારના માત્ર અંશરૂપ છે. નવકારમાં બધું સમાઈ જાય છે. અનંતા અરિહંતો નવકારનો માત્ર અંશ છે, સર્વ જિનમંદિરો પણ નવકારના અંશનો અંશ છે અને સર્વ સાધુઓ પણ નવકારની અંતર્ગત આવી જાય છે. જે કાંઈ જગતમાં સારું છે તે બધું નવકારરૂપી ઈશ્વરનું સર્જન છે અને નવકારમાં ત્રણે ભુવનની સારભૂત સર્વ વસ્તુઓ આવી જાય છે.
આંતરિકધનઃ શ્રીનવકાર
૨૯ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org