________________
મનુષ્યો ગુણના પૂજારી હોતા નથી પણ દ્રવ્યના પૂજારી હોય છે. આ બધું પ્રત્યક્ષ જોવામાં આવતું હોવાથી ત્યાં ઉત્સાહભેર પ્રવૃત્તિ કોઈના પણ ઉપદેશ વિના થતી જોવામાં આવે છે. બસ એવો જ વિશ્વાસ અહીં આવી જાય કે-બાહ્મણ સુખનું કારણ જે ધન છે, તે ધનનું ય કારણ ધર્મ છે, તો ધનપ્રાપ્તિ કરતાં પણ ધર્મપ્રાપ્તિમાં ઉત્સાહ વધી જાય.
જેની પાસે ધર્મરૂપી મૂડી છે તે જ ખરો ધનવાન છે અને વર્તમાનમાં જે ધર્મધનની કમાણી કરી રહ્યા છે તેઓ જ ભાગ્યશાળી છે. ભાવિમાં તેઓ નિયમા ધનવાન થવાના છે. ધર્મ વગરના ધની ભવિષ્યના કંગાલ છે. અજ્ઞાની જગત ધર્મના ફલને જુએ છે, સમજુ માણસ ધર્મના મૂલને પ્રધાનતા આપે છે. સર્વ સિદ્ધિઓનું અમોઘ બીજ ધર્મ છે. નમસ્કારથી ધર્મરૂપી કલ્પવૃક્ષના મૂળનું સિંચન થાય છે. આ વિચાર બારીકાઈથી કરવો જોઈએ, બુદ્ધિને અહીં બરાબર કસવી જોઈએ, સૂક્ષ્મબુદ્ધિ મળ્યાનું આ જ ખરું ફળ છે.
નમસ્કાર જો ધર્મ છે તો તેની ગણતરી કયા ધર્મમાં થઈ શકે ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે ધર્મની આરાધના ત્રણ રીતે થઈ શકે છે ઃ ૧. કરવા દ્વારા, ૨. કરાવવા દ્વારા, ૩. અનુમોદના દ્વારા. આ ત્રણ પ્રકારના ધર્મમાંથી નવકાર દ્વારા અનુમોદના સ્વરૂપ ધર્મનો જે ત્રીજો પ્રકાર છે તેની આરાધના થઈ શકે છે. પરિસ્થિતિ એવી છે કે શરૂઆતમાં કરવા દ્વારા ધર્મ ઓછો થઈ શકે છે. કારણ કે ધર્મ મહાન છે અને કરનાર પોતે અલ્પ છે. પોતાને જે સાધનો મળ્યાં છે તે પણ અતિ અલ્પ છે. અલ્પ સાધનો દ્વારા અનંત એવા ધર્મની પૂર્ણ આરાધના શરૂઆતમાં થવી શક્ય નથી. પોતે તેને શક્તિ મુજબ જ આચરણમાં લાવી શકે છે. પરંતુ ધર્મ વસ્તુ અંતરમાં રુચિકર બનેલી હોવાથી પોતે કરેલા અલ્પ ધર્મથી પોતાને સંતોષ થતો નથી. એટલે ‘‘બીજા પણ આ સુંદર વસ્તુને કરો’’ એવી ભાવનાથી પોતાને જે કાંઈ સામગ્રી મળી છે, તેનો તેમાં ઉલ્લાસથી સદુપયોગ કરે છે અને માને છે કે નશ્વર એવાં આ સાધનો દ્વારા જો કોઈને ધર્મમાર્ગમાં સ્થિર કરી શકાતા હોય તો તે જ સાધનોનું વાસ્તવિક ફળ છે.
તેમાં તેને ધૂળ જેવી વસ્તુમાંથી સુર્વણ પ્રાપ્ત કરવા જેવું લાગે છે અને આવી ભાવનાથી તેના આત્માને એક મોટો લાભ થાય છે. ધર્મ ઉપરના પ્રેમને લીધે ધર્મને માટે પોતાની સામગ્રીનો ઉપયોગ કરવાથી એવું શુભાનુબંધી પુણ્ય બંધાય છે કે જન્માંત૨માં તેને ઉત્તમકુળ, સુદેવ-ગુરુ-ધર્મનો યોગ અનાયાસે મળે છે, રુચે છે, પાળવાનું સામર્થ્ય પ્રગટે છે અને વર્તમાનમાં જે ઓછાશ હતી તે ઓછાશ ટળી જાય એવી સામગ્રી અને સંજોગો તેને પ્રાપ્ત થઈ જાય છે. આ કરાવવારૂપ ધર્મનું ફળ થયું. માત્ર ક૨વાથી અને કરાવવાથી પણ ધર્મના અંતને પહોંચી શકાય તેમ નથી. ત્રીજો પ્રકાર જે અનુમોદનાનો છે, તે પ્રકાર દ્વારા જ ચિત્તને સંતોષ થાય તેવી આરાધના થઈ શકે છે.
ક૨વા દ્વારા ધર્મ શક્તિ મુજબ જ થાય છે. કરાવવામાં જો કે અનેકને કરાવી શકાય છે તોપણ તેમાં હદ છે. એ બધું કર્યું-કરાવ્યું ભેગું કરવામાં આવે તોપણ અનુમોદનારૂપ ધર્મના સાગરની સામે એક બિંદુતુલ્ય પણ ન થાય. કારણ કે અનુમોદનામાં દેશ, કાળ, કે દ્રવ્યનો કોઈ પ્રતિબંધ નથી. અનુમોદના વર્તમાનમાં આપણી આજુબાજુ થતા ધર્મની થઈ શકે, તેમ ભૂતકાળમાં બીજાઓએ આચરેલા ધર્મની પણ થઈ શકે, પરિપૂર્ણ ધર્મ જેમણે આચર્યો છે તેમની પણ થઈ શકે અને આ ભરતક્ષેત્ર સિવાયનાં મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં વિચરતા વર્તમાન તીર્થંકરોના ધર્મની પણ થઈ શકે. ટૂંકમાં સર્વકાળમાં અને સર્વક્ષેત્રમાં થયેલા, થતા અને થનારા ધર્મની આરાધના માટે અનુમોદના સ્વરૂપ ધર્મની આરાધના સિવાય બીજો ઉપાય નથી. કાળની આદિ નથી. અનાદિ કાળથી સર્વ ક્ષેત્રોમાં ધર્મ આરાધાતો આવ્યો છે. તેમાં પરિપૂર્ણ ધર્મ સાધનારા પણ અનંત આત્માઓ થયા છે. તે બધા અરિહંતભગવંતો, સિદ્ધભગવંતો, આચાર્યભગવંતો, ઉપાધ્યાયભગવંતો, સાધુભગવંતો, દેશવિરતિધર્મ પાળનારાઓ, સમ્યગ્દષ્ટિદેવો-મનુષ્યો આદિના અને બીજા પણ માર્ગાનુસારી વગેરે જીવોના ધર્મોની આરાધના, અનુમોદના સિવાય બીજી રીતે થવી શક્ય નથી. આ બધાના ધર્મનો સરવાળો અનંત અનંત થઈ જાય છે.
અનુમોદના કરનાર જેની અનુમોદના કરે છે તેના ધર્મનો ભાગીદાર બની જાય છે. અનુમોદના રુચિ વિના
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org