________________
આંતરિકધન : શ્રીનવકાર
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી સ્વરચિત યોગશાસ્ત્રના તૃતીયપ્રકાશમાં શ્રાવકની દિનચર્યાનું વર્ણન કરતાં પ્રારંભમાં જ ફ૨માવે છે કે
' ब्राह्मे मुहूर्ते उत्तिष्ठेत्, परमेष्ठिस्तुतिं पठन् અર્થાત્ - શ્રાવક નમસ્કારમહામંત્રનું સ્મરણ કરતાં શય્યાનો ત્યાગ કરે. નમસ્કાર એટલે વિનયનો એક પ્રકાર, વિનય એટલે જેનાથી આઠે કર્મોનો વિલય થાય એવી એક અદ્ભુત સામર્થ્યવાળી ક્રિયા, વિનય એટલે ચિત્તની અનુસ્રોતવૃત્તિ, આત્માનો એક સ્વચ્છ પરિણામ. ક્લિષ્ટકર્મનો વિગમ થયા વિના નમસ્કારનો પરિણામ ઉત્પન્ન થતો નથી. એ કારણે નમસ્કારનો પરિણામ એ આત્માની નિર્મળતાનું એક પ્રતીક છે.
.
ધર્મનું મૂળ વિનય છે, ‘વિળયમૂતÆ ’ એવું વિશેષણ ધર્મને અપાયું છે અને ‘ સિંચે તે સુધારસેજી ધર્મવૃક્ષનું મૂળ ’ એમ પણ કહ્યું છે. આ વિનયનું ફળ શુશ્રુષા, શુશ્રૂષાનું ફળ શ્રુતજ્ઞાન, એમ ક્રમશઃ વિરતિ, આશ્રવનિરોધ, સંવર, તપ, સર્વસંવર અને પરિણામે મોક્ષ થાય છે. વળી ‘ તસ્માત્ વાળાનાં સર્વેમાં માનનું વિનય: ' અર્થાત્ ‘તે કારણે સર્વ કલ્યાણોનું ભાજન એક વિનય ગુણ છે' એમ દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકપ્રવર શ્રી પ્રશમરતિપ્રકરણમાં પણ ફરમાવે છે.
મોક્ષમાર્ગમાં વિનયગુણની એ કારણે પ્રધાનતા છે કે- તેનું પરિણામ ઉત્તરોત્તર ઘણું સુંદર આવે છે, બીન જોખમી આત્મકલ્યાણનો તે માર્ગ છે. એ ગુણના પાલનથી જ ભગવાન શ્રી ગૌતમમહારાજાનું નામ મંગલમય મનાય છે.
દુનિયાનું પણ કોઈ કાર્ય કે, કોઈ પણ કળા વિનય વિના સિદ્ધ થાય નહિ. વિનય ગુણના પાલન વિના કદાચ કોઈ ગુણ પ્રાપ્ત થાય તોપણ તે પરિણામે વિનાશક બને છે કારણ કે ત્યાં જોખમ છે. અભિમાનની પુષ્ટિ થાય અને પરિણામે પતન થાય એવું ન બને તે માટે વિનયનું પાલન સૌ પ્રથમ જરૂરી છે.
પરમેષ્ઠિનમસ્કાર વિનય ગુણ સ્વરૂપ છે. નમસ્કારનું સ્વરૂપ અને નમસ્કા૨થી થતો લાભ જો આ રીતે બુદ્ધિપૂર્વક વિચારાય તો નમસ્કાર પ્રત્યે રુચિ-પ્રેમ જાગ્યા સિવાય રહે નહિ અને તે એટલે સુધી જાગે કે કોટિકલ્પે પણ તેનો અંત આવે નહિ. તે પ્રેમ અનંત, અક્ષય અને અભંગ બની જાય. કારણ પ્રેમના વિષયભૂત અરિહંતાદિ પોતે જ સ્વરૂપથી અનંત-અક્ષય છે. કહ્યું છે કે
Jain Education International
* ઉદક બિંદુ સાયર ભળ્યો, જેમ હોય અક્ષય અભંગ, વાચક યશ કહે પ્રભુ ગુણે, તિમ મુજ પ્રેમ પ્રસંગ.
(શ્રી અનંતજિન સ્તવન)
દ્રવ્ય પ્રાપ્તિ આદિ માટે દુનિયામાં જે ઉત્સાહભેર પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિમાં ફળનો વિશ્વાસ છે અને એ વિશ્વાસને કારણે અનેકવાર નિષ્ફળતા મળવા છતાં પણ કદી ઉત્સાહનો સર્વથા ભંગ થતો નથી. અહીં નમસ્કારના ફળમાં વિશ્વાસ જાગતો નથી તેથી ઉત્સાહ પ્રગટતો નથી. બીજી વાત દ્રવ્ય આદિકના સ્વરૂપનું પણ ત્યાં ચોક્કસ ભાન છે કે દ્રવ્ય એટલે કાગળનો કટકો નહિ પણ હજારની નોટ. સોનુ-ચાંદી એટલે ધાતુના ટુકડા નહિ, પણ જેનાથી સર્વ કાર્યો સિદ્ધ થાય. જેનાથી કુટુંબમાં, સમાજમાં, રાષ્ટ્રમાં સ્થાન મળે અને ટકે એવી એક વસ્તુ એવું ત્યાં સચોટ જ્ઞાન છે.
જગતમાં નિર્ગુણી એવા જીવો પણ પૂજાય છે ત્યાં દ્રવ્યનો ચમત્કાર છે એ નજરે દેખાય છે. વળી સામાન્ય
આંતરિકધન : શ્રીનવકાર
For Private & Personal Use Only
૧૨૭
www.jainelibrary.org