SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અમોઘ શસ્ત્રને જ ગ્રહણ કરે, તેમ અંત સમયે મહારત્ન સમાન અથવા કષ્ટ સમયે અમોઘશસ્ત્ર સમાન, એક શ્રી નવકારને જ ગ્રહણ કરવાનું શાસ્ત્ર વચન છે. કારણ કે તેનો બોજ ઓછો છે અને મૂલ્ય ઘણું છે. બોજ ઓછો એ રીતે છે કે તેના અક્ષરો માત્ર અડસઠ જ છે. મૂલ્ય અધિક એ કારણે છે કે તે ધર્મવૃક્ષના મૂળને સીંચે છે, ધર્મ પ્રાસાદના પાયા તરીકેનું કાર્ય કરે છે, ધર્મપુરમાં પ્રવેશ કરવાના દ્વારરૂપ બની રહે છે અને ધર્મરત્નના સંગ્રહ માટે પરમનિધાનની ગરજ સારે છે. તેમાં પણ કારણ એ છે કે તે સર્વ જગતમાં ઉત્તમ એવા ધર્મને સાધી ગયેલા, સાધી રહેલા અને ભવિષ્યમાં સાધી જનારા સર્વશ્રેષ્ઠ પુરુષોને પ્રણામરૂપ છે, તેમના પ્રત્યેના હાર્દિક વિનયરૂપ છે, તેમના સત્યગુણોના ભાવપૂર્વક સમુત્કીર્તન સ્વરૂપ છે અને તેથી યથેચ્છ ફળને સાધી આપનાર છે. આ એકડાને સિદ્ધ કર્યા વિના જેઓ ધર્મના અન્ય અનુષ્ઠાનો વડે યથેચ્છ ફળની આશા સેવે છે, તેઓ બારાક્ષરી ભણ્યા વિના જ સકળ સિદ્ધાન્તના પારગામી થવાની મિથ્યા આશા સેવનારા છે. નવકાર એ ધર્મ ગણિતનો એકડો છે, અથવા ધર્મ સાહિત્યની બારાક્ષરી છે. જેમ એકડાનો કે બારાક્ષરીનો પ્રથમ અભ્યાસ બાળકને કષ્ટદાયી ભાસે છે તથા અતિ પ્રયત્ન સાધ્ય હોય છે, તેમ ધર્મના એકડા કે બારસરી સ્વરૂપ નવકારનો પણ યથાસ્થિત અભ્યાસ ધર્મ માટે બાળક તુલ્ય જીવોને અતિ કષ્ટસાધ્ય અને અરુચિકર ભાસે છે. તોપણ તે કસોટીમાંથી પસાર થયા વિના ધર્મ માર્ગમાં સાચી પ્રગતિ સિદ્ધ થઈ શકી નથી, થઈ શકતી નથી અને થઈ શકશે પણ નહિ એ ત્રિકાલસત્ય છે. નવકારનો અભ્યાસ આકરો કે અરુચિકર માનીને જેઓ છોડી દે છે અથવા તેની ઉપેક્ષા કરે છે તેઓ વસ્તુતઃ પોતાના ધાર્મિક જીવનની જ ઉપેક્ષા કરે છે. શ્રી જિનશાસનની પ્રત્યેક ક્રિયાના પ્રારંભમાં નવકારના સ્મરણની આજ્ઞા ફરમાવવામાં આવી છે. તેની પાછળ જે ગંભીર રહસ્ય છૂપાયેલું છે તે આથી સ્પષ્ટ થશે. ઊંઘતાં કે જાગતાં, ખાતાં કે પીતાં, જીવતાં કે મરતાં, નવકારની અંદર ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ પાડવા માટેની શાસ્ત્રકારોની આ આજ્ઞાનું પરમ રહસ્ય સમ્યગ્દષ્ટિ શાસ્ત્રાનુસારી મધ્યસ્થદષ્ટિ જીવોના ખ્યાલમાં તુરત આવી શકે તેમ છે. એ ખ્યાલ આવ્યા પછી આત્મહિતના વિશેષ અર્થી આત્માઓને અધિકાધિક સંખ્યામાં નવકાર ગણવાનું શાસ્ત્રીય પ્રતિપાદન કેટલું મહત્ત્વનું છે તે તુરત સમજાઈ જાય તેમ છે. અંતમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીનો શ્રી નવકારમંત્રના માહાભ્યને વર્ણવતો એક અપૂર્વ શ્લોક ટાંકીને આ લેખ પૂરો કરીશું. તેઓ શ્રી ફરમાવે છે કે :कृत्वा पापसहस्त्राणि, हत्वा जन्तुशतान्यपि । अमुं मन्त्रं समाराध्य, तिर्यंञ्चोऽपि दिवं गताः ॥१॥ અર્થ :- “હજારો પાપો અને સેંકડો હત્યા કરનારા તિર્યંચો પણ આ મંત્રને સારી રીતે આરાધીને દેવગતિને પામ્યા છે.' શાસ્ત્રદૃષ્ટિએ જેમ નવકાર અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેમ મંત્રદષ્ટિએ પણ તેનું ઘણું મહત્ત્વભર્યું સ્થાન છે. સ્વોપજ્ઞવૃત્તિયુત શ્રી યોગશાસ્ત્રનામક મહાગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ તે ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે. તેઓશ્રીએ નવકારમંત્રના વિવિધ રીતે કરવામાં આવતા જાપનું અને તેના ફળનું ત્યાં વિસ્તૃત વિવેચન કર્યું છે. અર્થી જીવોને તે સ્થળેથી જોઈ લેવા ભલામણ છે. પણ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy