________________
વસમી વિદાય
* સફલ જન્મ તે છે કે જેમાં સંયમની પ્રાપ્તિ હોય અને અરિહંતની આરાધના હોય.
સફલ જીવન તે છે કે જેમાં સંયમની સાધના હોય અને પ્રભુ આજ્ઞાનું પાલન હોય.
સફલ મરણ તે છે કે અંત સમયે બોધિ અને સમાધિ હોય, ભાવિના અનંતજન્મોનો નાશ હોય અને અલ્પ ભવમાં મુક્તિ હોય.
જૈનશાસનની આ અનોખી કળાને પૂજ્ય પંન્યાસજી મહારાજ વર્યા હતા.
પ્રભુભક્તિ,નવકારનો જાપ, ગુણાનુરાગ, વિનય, વાત્સલ્ય, દાક્ષિણ્ય, દયા, પરોપકાર, સમતા, પરહિત ચિંતન, સકલસત્ત્વહિતાશય, કરુણા, ઔચિત્યપાલન આવું-આવું તો કેટકેટલું જૈનશાસનનું ઝવેરાત આ પ્રાજ્ઞપુરુષે સાધના દ્વારા જીવનમાં સિદ્ધ કર્યું અને સાધકોનાં જીવનમાં સંપ્રદાન કર્યુ, અનેકોના પથદર્શક બન્યા.
*
એમની જીવન જ્યોતિનો ઝળહળતો પ્રકાશ સાધનામાર્ગે, સંયમમાર્ગે, પરમાત્માના પરમાનંદમાર્ગે પથરાતો અનેકોનાં અંતરને અજવાળતો જીવનમાં પ્રેરણારૂપ બની રહ્યો.
આયુષ્યની અવધિ પૂરી થવા આવી,
કાળ પણ આ મહાપુરૂષનો સત્કાર કરવા તત્પર બન્યો,
મૃત્યુ પણ આ સંતને ગોદમાં લેવા તલપાપડ બન્યું અને આવ્યો વૈશાખ માસ વિ. સં. ૨૦૩૬
દિવસો પસાર થતા જાય છે, ત્યાં જ વૈશાખ સુદ-૧૦ ના દિવસે તબિયતમાં પલટો આવ્યો. સાહેબજી,
સાવધાન બન્યા.
વૈશાખ સુદ-૧૨ ને રવિવારે તબિયતે વળાંક લીધો, કફ વધ્યો, તે સાથે શ્વાસની તકલીફ પણ વધી, હેડકી શરૂ થઈ, યોગ્ય ઉપચાર ચાલુ થયા, પોતે ખૂબ સજાગ બન્યા. અંગૂઠો આંગળિયો પર ફરતો. મુખ નવકાર રટતું, હૈયે એનો ગુંજારવ અડતો અને આત્મભાવને ઘૂંટતો. ભલભલાને ચકિત કરે તેવી પ્રસન્નતા, સ્વસ્થતા અને સમતા સાથે કોઈ અપૂર્વ કોટિના દિવ્ય ચમકારા ચહેરા પર જોવા મળતા.
ડૉકટર જીવણભાઈ વગેરે ખડે પગે સેવામાં તત્પર હતા.
પૂ. શ્રી વજ્રસેનવિજયજી મ. સા. સારવારની ખૂબ જ કાળજી રાખતા.
ત્યાં ડૉકટર જીવણભાઈ તરફથી સૂચન મળ્યું કે હવે સાવધાન રહેવા જેવું છે.
સૂચન મળતાં પૂજ્ય પં. શ્રી પ્રદ્યોતનવિજયજી, પૂજ્ય મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી આદિ મુનિભગવંતો નવકારમંત્ર, ચત્તારિમંગલં આદિ આરાધનાનાં યથાયોગ્ય પ્રેરકસૂત્રો અપ્રમત્તભાવે સાહેબજીને સંભળાવી રહ્યા.
પૂ. મુનિશ્રી વજ્રસેનવિજયજી, તથા પૂ. મુનિશ્રી જિનસેનવિજયજી આદિ મહાત્માઓ ખડે પગે સાહેબજીની સેવામાં હાજર હતા.
વૈશાખ સુદ-૧૩ સોમવારના મુમુક્ષુશ્રી વેલજીભાઈની દીક્ષા હતી. તે નિમિત્તે પૂજ્યશ્રીએ વેલજીભાઈ પર વાસક્ષેપ નાખી, આશીર્વાદ પણ આપ્યા.
અજવાળી ચઉદશનો દિવસ ઊગ્યો.
મંગળવારે અશક્તિ ખૂબ જ જોવા મળી. વા૫૨વાની લેશ પણ ઈચ્છા નહિ. છતાં મુનિવર્યોના આગ્રહથી થોડું વાપર્યું. બપોરે પડિલેહણ વગેરે ક્રિયા કરી, પડિલેહણના આદેશ માંગ્યા, તબિયત અતિ નબળી પડી અશક્તિ વધી.
ત્રૈલોચદીપક-મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
15
www.jainelibrary.org