SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ * * અન્નમાં જો ભૂખ ભાંગવાની શક્તિ હોય, * પાણીમાં જો તરસ દૂર કરવાની શક્તિ હોય, * કપડામાં ટાઢ-લાજ ઢાંકવાની શક્તિ હોય તો * નમસ્કાર મહામંત્રમાં શું ન હોય.? સાપનાં ઝુંડનાં ઝુંડ હોય તો પણ તેને ભગાડવા માટે એક મોરનો ટહુકો બસ થઈ પડે છે. હાથીનાં ટોળે-ટોળાં હોય તો પણ તે ટોળાને વિખેરવા માટે એક સિંહની ગર્જના બસ થઈ પડે છે. લાખ મણ લાકડાના મોટા-મોટા ઢગલાઓને બાળી નાંખવા માટે અગ્નિનો એક કણિયો બસ થઈ પડે છે. બસ તેવી જ રીતે અનાદિકાળથી આત્મા સાથે બંધાયેલાં અને વર્તમાનમાં બંધાતાં કર્મોને જે ખંખેરી નાંખવાં હોય, તો તે માટે ફક્ત એક નવકારમંત્રનું સ્મરણ જ બસ થઈ પડે છે. તેવા નવકારની સિદ્ધિ-પ્રસિદ્ધિ માટે તાત્ત્વિકઅર્થની ભાવનાઓ ભાવી. વર્તમાનમાં છેલ્લાં ઘણાં વર્ષોના ઈતિહાસમાં કોઈ મહાત્માએ જે કાર્ય કર્યું નથી તે કરીને આગમના પ્રેકટીકલ સારતત્ત્વને સમજાવીને આપણને નવકાર સાથે સીધો સંબંધ કરાવી આપ્યો. આવા ગુણોના સ્વામી એવા પૂજ્યપાદશ્રીને પૂર્વના કોઈ અશાતાદનીય કર્મના ઉદયે છેલ્લા ૧૨ વર્ષ તો ખૂબ જ અસ્વસ્થતા રહી. છતાં પણ સમતા સમાધિને ટકાવીને જગત સમક્ષ એક આદર્શ રજૂ કરતા ગયા તે તો પ્રત્યક્ષ જોનારાઓ જ સમજી શકે. છેલ્લાં વર્ષોમાં રાજસ્થાનની પવિત્ર તીર્થભૂમિઓમાં જ વધુ રોકાવાનું થયું. પૂજ્યશ્રીને તીર્થ અને તીર્થંકર પ્રત્યે એવી અવિહડ શ્રદ્ધા હોવાથી શકય હોય તો તીર્થમાં પ્રવેશ દિવસથી અમનો તપ કરે અને ત્યાં કલાકોના કલાકો સુધી ભક્તિ કરે. ત્યાંના પવિત્ર પરમાણુઓ દ્વારા આત્માને સ્થિર કરીને ચિંતન કરે અને તે તો પ્રત્યક્ષ જોનારાઓ જ સમજી શકે. વડીલ પૂજ્યોનાં હૈયામાં શ્રેષ્ઠ મહાત્મા તરીકે સ્થાનમાન પામેલા પૂજ્યશ્રીના હૈયામાં વડીલ પૂજ્યો પ્રત્યે પણ આત્માની એકમેકતારૂપ સંબંધ હતો તેનો એક એવો પ્રસંગ બન્યો કે સંવત...વૈશાખ વદ-૧૧ ની રાત્રે ઊંઘમાં એકાએક એમના મુખમાંથી જોરદાર ચીસ નીકળી ગઈ. બધા જ મહાત્માઓ ભેગા થઈ ગયા. શું થયું? શું થયું? પૂછવા લાગ્યા એટલે ધડકતા હૈયે પૂજ્યશ્રીએ કહ્યું કે મને એક બહુ જ ખરાબ સ્વપ્ન આવ્યું. શું આવ્યું? જાણે કે કોઈ રાક્ષસ મારી અંગત વસ્તુ ઝૂટવીને ચાલતો થયો. તેથી ચીસ નીકળી ગઈ અને સવારના જ સમાચાર મળ્યા કે પૂજ્યપાદ શ્રી પ્રેમસુરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા છે. આ છે પૂજ્યોની સાથે આત્માની ઐકયતાનો સંબંધ. છેલ્લાં વર્ષો આત્મસાધનામાં જ પસાર કરતા એવા પૂજ્યશ્રીની તબિયત દિવસે-દિવસે વધુને વધુ નબળી થઈ રહી હતી. શિષ્યો તથા ભક્તોની ભાવના કે પૂજ્યશ્રીની તબિયત અહિં આવી નરમ રહે છે, તો જો ક્ષેત્રમંતર કરીએ તો કદાચ સારું થઈ જાય. પણ સાહેબજીની ભાવના હતી કે છેલ્લી જીંદગી શાંતિમાં અને મરઘરભૂમિમાં જ સમાધિપૂર્વક પસાર કરવી. પરન્તુ પોતાના પરમ ઉપકારી, સંયમદાતા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આજ્ઞા કરી કે તમારે ગુજરાત આવવાનું છે અને મારી સાથે ચોમાસું કરવાનું છે. બસ ગુરુ આશા તહત્તિ, કોઈ વિકલ્પ જ નહિ. હા, પોતાની ઈચ્છા દર્શાવી, પણ આગ્રહ-કદાગ્રહ નહિ. પિંડવાડાથી પાટણ તરફ વિહાર થયો અને પૂજ્ય ગુરુદેવ સાથે પાટણ ચાતુર્માસ થયું. ગુરુશિષ્યની જોડીએ પાટણમાં એક જબરજસ્ત શાસનપ્રભાવક આરાધના કરી અને કરાવી. જેમ બાળક પોતાની માં પાસે પોતાની બધી જ વાતો કરે તેમ પૂજ્યશ્રી પણ ગુરુદેવ પાસે પોતાને સમાધિ મળવા સંબંધી મુખ્ય વાત કરતા અને પૂજ્યશ્રી પણ સમાધાન આપતા. Sત્રલોકથદીપક મહામંત્રાધિરાજ 14 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy