________________
નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓ વિચ્છેદ પામી છે, વ્યતીત થતા કાલ સમયમાં મોટી પદાનુસારી ઋદ્ધિને વરેલા અને દ્વાદશાંગસૂત્રને ધારણ કરનારા શ્રી વજસ્વામી થયા. તેઓએ આ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધનો ઉદ્ધાર કરીને મૂલસૂત્ર શ્રી મહાનિશીથની અંદર લખ્યો. આ શ્રી મહાનિશીથવ્રુતસ્કંધ સમસ્ત પ્રવચનના સારભૂત, પરમ તત્ત્વભૂત તથા અતિશયવાળા અત્યંત મહાન અર્થોથી ભરેલું છે એમાં શ્રી નવકાર સૂત્રનું વ્યાખ્યાન નીચે મુજબ કર્યું
ચં નથી.'
પ્રશ્ન – હે ભગવન્! આ અચિંત્યચિંતામણિકલ્પ શ્રી પંચમંગલ-મહાશ્રુતસ્કંધનો શો અર્થ કહેલો છે?
ઉત્તર :- હે ગૌતમ! અંચિત્મચિંતામણિકલ્પ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રનો અર્થ આ પ્રમાણે કહેલો છે. આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ જેમ તલના તેલ, કમળમાં મકરંદ અને સર્વ લોકમાં પંચાસ્તિકાય રહેલા છે, તેમ સકલ આગમોમાં અંતર્ગત રહેલ છે અને તે યથાર્થ ક્રિયાનુવાદ-સભૂતગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છ ફલ પ્રસાધક પરમસ્તુતિવાદ રૂપે છે. પરમસ્તુતિ જગતમાં જે ઉત્તમ હોય તેની કરવી જોઈએ. જગતમાં જે કોઈ ઉત્તમ થઈ ગયા, જે કોઈ થાય છે અને જે કોઈ થશે તે સર્વ અરિહંતાદિ પાંચ જ છે, તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે પાંચેયનો ગર્ભાર્થ-સભાવ એટલે પરમરહસ્યભૂત અર્થ નીચે મુજબ છે.” ત્યારબાદ ચૂલિકા સહિત પાંચેય પદોનો વિસ્તૃત અર્થ જણાવીને અંતે કહ્યું છે કે -
" ताव न जायइ चित्तेण, चिंति पत्थिअं च वायाए ।
काएण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥" અર્થ - ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય, ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચમપરમેષ્ઠિનમસ્કારનું સ્મરણ કરવામાં આવ્યું નથી.”
વર્તમાન શ્રી મહાનિશીથસૂત્રની મૂળપ્રતિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ મથુરા નગરીમાં શ્રી સુપાર્શ્વનાથસ્વામીના સ્તૂપ સમક્ષ પંદર ઉપવાસ કરીને શાસનદેવતા પાસેથી મેળવેલી છે, પરંતુ તે ઉધેઈ આદિ વડે ખંડખંડ થયેલી તથા સડી ગયેલા પત્તાવાળી હોવાથી તેઓએ તેને સ્વમતિ અનુસાર શોધી છે તથા તેને બીજા યુગપ્રધાન શ્રતધર આચાર્યોએ માન્ય કરેલી છે.
પંચપરમેષ્ઠિઓને નમસ્કારરૂપ આ નવકારમંત્ર સર્વમંત્રોમાં શિરોમણિભૂત ગણાય છે. એને છોડીને સ્વતંત્રપણે સેવવામાં આવતા બીજા મંત્રોને, કલ્પતરુને છોડીને કંટકતરુને સેવવા સમાન અનિષ્ટફળને આપનારાં તરીકે શાસ્ત્રોમાં વર્ણવેલા છે. કહ્યું છે કે
‘તજે એ સાર નવકારમંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર,
કર્મ પ્રતિકૂળ બાઉલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપ ટેવે. નવકાર મંત્રનું આ મહત્ત્વ યથાર્થ રીતે સમજવા માટે શાસ્ત્રદષ્ટિ, આગમદષ્ટિ, અથવા આગમાનુસારી અતિસૂક્ષ્મજ્ઞાનદષ્ટિની આવશ્યકતા છે. સર્વકાળના સ્વ-પર આગમવેદી શ્રતધર મહર્ષિઓએ અડસઠ અક્ષર પ્રમાણમાત્ર આ નાનકડા સૂત્રને મહામંત્ર અને મહાશ્રુતસ્કંધ તરીકે સ્વીકારેલ છે. તેના મુખ્ય કારણોનો વિચાર કરતાં એમ લાગે છે કે ધનવાનની સેવા વિના જેમ ધનસિદ્ધિ થતી નથી તેમ ધર્મવાનની સેવા વિના ધર્મની સિદ્ધિ પણ અશક્ય છે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજી લલિતવિસ્તરાનામક ચૈત્યવંદન સૂત્રની ટીકામાં ફરમાવે છે કે - “ ધ તિ મૂર્વભૂતા વના ' અર્થાત્ ધર્મ માર્ગમાં જીવને આગળ વધવામાં મૂળભૂત કારણ કોઈ પણ હોય તો તે ધર્મસિદ્ધ
N ૧૨૪
પત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ
st
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org