SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ પંચપરમેષ્ઠિનમનક્રિયાનો પ્રભાવ પંચપરમેષ્ઠિનમસ્કાર સર્વ પાપોનો પ્રભાશ કરનાર તથા સર્વ મંગલોનું મૂળ છે એમ સાક્ષાત્ શ્રી નમસ્કારસૂત્રમાં જ ફરમાવ્યું છે. તેનો વિસ્તારથી મહિમા બતાવવા માટે શાસ્ત્રોમાંથી ઉદ્ધત કરીને નાનાં પ્રકરણોરૂપે રચેલાં કેટલાંક પ્રકરણો આજે પણ મળી આવે છે. તેમાંનાં બે પ્રકરણો એવાં છે કે એક સંક્ષેપથી ફળને બતાવનાર છે અને બીજું વિસ્તારથી ફળને બતાવનાર છે. તે બંને પ્રકરણો મૂળ પ્રાકૃત ઉપરથી સરળ ગુજરાતીમાં અનુવાદરૂપે બહાર પણ પડેલાં છે અને તે આ ગ્રંથની પાછળ પરિશિષ્ટ રૂપે આપેલાં છે. શાસ્ત્રકારોએ સંક્લેશ વખતે, કષ્ટ વખતે તથા ચિત્તની અરતિ અને અસમાધિ વખતે વારંવાર નવકારને યાદ કરવા ફરમાવ્યું છે. શ્રી નવકારમંત્ર, તેનાં પદો અને તેના પ્રત્યેક અક્ષરોનું અવલંબન અસમાધિ અને અશાંતિને અદશ્ય કરવાનો સિદ્ધ, શીધ્ર અને અમોઘ ઉપાય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. વિધિપૂર્વક તેનો આશ્રય લેનારને શ્રી નવકારમંત્ર અપૂર્વ શાન્તિ આપે છે, અનન્ત કર્મોનો નાશ કરાવે છે, તેમ જ સદ્ધર્મ અને તેના પરિણામે મળતાં અનંત સુખોનો ભાગી બનાવે છે. જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી પત્ર, પુષ્પ અને ફળ સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે, તેમ શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારરૂપી ભાવબીજમાંથી કાળક્રમે સદ્ધર્મનાં ચિંતનરૂપી અંકુરાઓની, સદ્ધર્મશ્રવણ અને અનુષ્ઠાનાદિરૂપ વૃક્ષની અને તેની શાખા-પ્રશાખાઓની તથા સુદેવ-મનુષ્યોનાં સુખોરૂપી પત્રોની અને કુસુમોની તેમ જ સિદ્ધિગતિનાં-અક્ષય સુખોરૂપી સદા અમ્યાન અને પરિપક્વ મોક્ષફળની પ્રાપ્તિ સ્વયમેવ થાય છે. શ્રીપંચપરમેષ્ઠિનમસ્કાર એ ભાવધર્મનું બીજ છે અને ભાવધર્મની સિદ્ધિથી પ્રાપ્ત થનારાં સ્વર્ગ અને અપવર્ગનાં સુખોનું પણ બીજ છે. જેનાથી સ્વર્ગાપવર્ગનાં દુર્લભ સુખો પણ સુલભ અને સહજ બને તે નમસ્કારથી અન્ય સુખોની પ્રાપ્તિ કે સાધારણ દુઃખોની નિવૃત્તિ શક્ય ન બને એ કલ્પના જ અયોગ્ય છે. સુખ મેળવવાના કે દુઃખ દૂર કરવાના અર્થી એવા આત્માઓએ નવકાર જેવી વિના મૂલ્ય મળેલી કે મળી શકે એવી અસાધારણ ચીજથી અત્યંત દૂર ન રહેવું જોઈએ. નવકાર એ પરમ મંત્ર છે, એટલું જ નહિ પણ પરમશાસ્ત્ર છે. પરમ શાસ્ત્ર છે એટલું જ નહિ, પણ સર્વશાસ્ત્રોમાં શિરોમણિભૂત મહાશાસ્ત્ર છે. શાસ્ત્રોમાં એને મહાશ્રુતસ્કંધ નામથી સંબોધેલો છે, લોકમાં રહેલા પંચાસ્તિકાયની જેમ નવકારને શાશ્વત અને સહજસિદ્ધ તરીકે ફરમાવેલો છે, એનો મહિમા અભૂતપૂર્વ છે. પ્રત્યેક પુણ્યવાન આત્મા તે મહિમાવંત વસ્તુની આરાધનામાં રસ લેતો થાય અને પ્રત્યેક દુઃખના પ્રતિકાર માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીવનમાં તેને સ્થાન આપતો થઈ જાય એ અતિ આવશ્યક છે. निसाविरामंमि विबुद्धएणं सुसावएणं गुणसायरेणं । देवादिहेवाण जिणुत्तमाणं किच्चो पणामो विहिणायरेणं ॥ ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે નિદ્રા રહિત થઈને અક્ષુદ્રતાદિ ઘણા ગુણોને ધારણ કરનાર સુશ્રાવક, ભવનપતિ આદિ દેવો અને તેમના અધિપતિ ઈદ્રોને પણ પૂજનિક તથા સામાન્ય કેવલિઓમાં ઉત્તમ એવા દેવાધિદેવ શ્રી જિનેશ્વરભગવંતોને બહુમાન પૂર્વક પ્રણામ કરવા. N ૧૧૮ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy