________________
મહામંત્રની મહાનતા
૧. મંત્રશાસ્ત્રની દષ્ટિએ નમસ્કાર મહામંત્ર સર્વપાપરૂપી વિષનો નાશ કરનાર છે. ૨. યોગશાસ્ત્રની દષ્ટિએ પદધ્યાન માટે એમાં પરમપવિત્ર પદોનું આલંબન છે.
૩. આગમસાહિત્યની દષ્ટિએ સર્વશ્રુતમાં અત્યંતર રહેલો છે તથા ચૂલિકા સહિત તે મહાશ્રુતસ્કંધની ઉપમાને પ્રાપ્ત થયેલો છે.
૪. કર્મસાહિત્યની દષ્ટિએ એક એક અક્ષરની પ્રાપ્તિ માટે અનન્તાનન્ત કર્મ સ્પર્ધકોનો વિનાશ અપેક્ષિત છે તથા એક એક અક્ષરના ઉચ્ચારણથી પણ અનંત અનંત કર્મસાણુઓનો વિગમ થાય છે.
૫. ઐહિકદષ્ટિએ આ જન્મની અંદર પ્રશસ્ત અર્થ, કામ અને આરોગ્યની પ્રાપ્તિ તથા તેના યોગે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
. પરલોકની દષ્ટિએ મુક્તિ તથા મુક્તિ ન મળે ત્યાં સુધી ઉત્તમ દેવલોક અને ઉત્તમ મનુષ્યકુળની પ્રાપ્તિ કરાવે છે તેના પરિણામે જીવને થોડા જ કાળમાં બોધિ, સમાધિ અને સિદ્ધિ મળે છે.
૭. દ્રવ્યાનુયોગની દષ્ટિએ પહેલાં બે પદો પોતાના આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે અને પછીનાં ત્રણ પદો શુદ્ધ સ્વરૂપની સાધક અવસ્થાના શુદ્ધ પ્રતીકરૂપ છે.
૮. ચરણકરણાનુયોગની દષ્ટિએ સાધુ અને શ્રાવકની સમાચારીના પાલનમાં મંગલ માટે અને વિધ્વનિવારણ માટે તેનું ઉચ્ચારણ વારંવાર આવશ્યક છે.
૯. ગણિતાનુયોગની દષ્ટિએ નવકારનાં પદોની નવની સંખ્યા ગણિત શાસ્ત્રની દષ્ટિએ બીજી સંખ્યાઓ કરતાં અખંડતા અને અભંગતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે તથા નવની સંખ્યા નિત્ય અભિનવ ભાવોની ઉત્પાદક થાય છે. નવકારની આઠ સંપદાઓ અનંત સંપદાઓને અપાવનાર થાય છે તથા અણિમાદિ આઠ સિદ્ધિઓને સાધી આપે છે અને નવકારના અડસઠ અક્ષરો અડસઠ તીર્થો સ્વરૂપ બનીને તેનું ધ્યાન કરનારના તારક બને છે.
૧૦. ધર્મકથાનુયોગની દૃષ્ટિએ અરિહન્તાદિ પાંચ પરમેષ્ઠિઓનાં જીવનચરિત્રો અદ્ભુત કથાઓ સ્વરૂપ છે. નમસ્કારનું આરાધન કરનાર જીવોની કથાઓ પણ આશ્ચર્યકારક ઉન્નતિને દર્શાવનારી છે તથા એ સર્વ કથાઓ સાત્વિકાકિ રસોનું પોષણ કરનારી છે.
૧૧. ચતુર્વિધ સંઘની દષ્ટિએ નવકારમંત્ર સૌને એક સાંકળે સાંધનારો તથા બધાઓને સમાન દરજ્જ પહોંચાડનારો છે
૧૨. ચરાચરવિશ્વની દષ્ટિએ નવકારના આરાધકો સર્વ જીવોને અભય આપનાર નીવડે છે, સદાય સકળ વિશ્વની એકસરખી સુખશાન્તિ ચાહે છે અને તે માટે શક્ય તેટલા બધા જ પ્રયત્નો કોઈ પણ જાતના બદલાની આશા કે ઈચ્છા વિના નિરંતર કર્યા કરે છે.
૧૩. વ્યક્તિગત ઉન્નતિની દષ્ટિએ કોઈ પણ જાતની બાહ્ય સાધન-સામગ્રીના અભાવે પણ સાધક કેવળ માનસિક બળથી સર્વોચ્ચ ઉન્નતિની ટોચે પહોંચી શકે છે.
૧૪. સમષ્ટિગતઉન્નતિની દૃષ્ટિએ પરસ્પરને સમાન આદર્શના પૂજક બનાવી શ્રદ્ધા, સજ્ઞાન તથા સચ્ચારિત્રના સત્પથે ટકી રહેવાનું ઉત્તમ બળ સમર્પે છે.
૧૫. અનિષ્ટનિવારણની દૃષ્ટિએ નવકારનું સ્મરણ અશુભકર્મના વિપાકોદયને રોકી દે છે અને શુભકામના વિપાકોદયને અનુકૂળ બને છે, તેથી નવકારના પ્રભાવે બધાં અનિષ્ટો ઈષ્ટરૂપે બદલાઈ જાય છે. જેમ કે અટવી મહેલ સમાન, સર્પ ફૂલની માળા સમાન વગેરે બને છે.
૧૬. ઈષ્ટસિદ્ધિની દષ્ટિએ નવકાર શારીરિક બળ, માનસિક બુદ્ધિ, આર્થિક વૈભવ, રાજકીય સત્તા, ઐહિક સંપત્તિ તથા બીજું પણ અનેક પ્રકારનાં ઐશ્વર્ય, પ્રભાવ અને ઉન્નતિને આપનાર થાય છે. કારણ કે તે ચિત્તની મલિનતા અને દોષોને દૂર કરીને નિર્મળતા અને ઉજ્જવળતાને પ્રગટાવી આપે છે. સર્વ ઉન્નતિનું બીજ ચિત્તની નિર્મળતા છે, એ નિર્મળતા નવકારથી સહજ રીતે સિદ્ધ થાય છે.
મહામંત્રની મહાનતા
A ૧૧૭ IS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org