________________
સાચી બુદ્ધિ અને તેનું ફળ
લાગણીશૂન્ય બુદ્ધિમત્તાએ બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલી આકર્ષક જણાતી હોય તો પણ આંતરદૃષ્ટિએ તેનું કશું જ મૂલ્ય નથી.
આજ્ઞા અને યુક્તિથી સિદ્ધ એવા પણ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારના ફળને વર્ણવતાં ચરિત્ર અને કથાનકોની અસર જેઓના અંતઃકરણ ઉ૫૨ નીપજતી નથી, તેઓ પોતાને બુદ્ધિમાન ગણતા હોય તોપણ તેઓની બુદ્ધિ તેમને કેવળ ભારરૂપ જ છે એમ કહેવું જોઈએ. બુદ્ધિનું ફળ જે ભાવ અને ભાવનું ફળ જે મોક્ષ તેનાથી તેઓ સદા વંચિત રહે છે.
સાચી બુદ્ધિ તે છે જે સસ્તુ પ્રત્યે, સસ્તુને સિદ્ધ કરનારી યુક્તિ પ્રત્યે, સસ્તુનો પ્રભાવ વર્ણવનારાં ચરિત્રો, કથાનકો કે દૃષ્ટાન્તો પ્રત્યે સદ્ભાવ પેદા કરે અને વસ્તુને ઓળખવા માટેની સર્વ બાજુઓનું એકસરખું મૂલ્યાંકન કરી શકે.
શ્રી નમસ્કા૨મહામંત્રનો પ્રભાવ અધમમાં અધમ મનુષ્યો અને ક્રૂરમાં ક્રૂર તિર્યંચો ઉપર પણ પડ્યો છે. સર્પ અને સમડી ઉત્પાદિ તિર્યંચોનાં ઉદાહરણો છે. ભીલ અને મહિષીપાલ વગેરે મનુષ્યોનાં દૃષ્ટાન્તો છે. ચોરી અને જારી, જુગાર અને શિકાર જેવાં મહાવ્યસનોને સેવનારાં સ્ત્રીપુરુષો પણ શ્રી નવકારના અચિત્ત્વ પ્રભાવથી ભવસમુદ્રને તરી ગયાં છે.
એ રીતે શાસ્ત્રવચન, તર્ક બુદ્ધિ અને સ્વાનુભવસંવેદન એ ત્રણેયથી સિદ્ધ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમહામંત્રનો પ્રભાવ સર્વકાળ અને સર્વ લોકમાં સર્વ વિવેકી આત્માઓનાં અંતઃકરણ ઉપર સદા વિજયવંત છે.
જેણે જેણે આ મહામંત્રની બિનશરતી શરણાગતિ સ્વીકારી તે સહુ ભવની ભૂંડી જેલમાંથી સદાને માટે મુક્ત થઈને મુક્તિના શાશ્વત સુખના ભોક્તા બન્યા છે.
સંશયરહિત ચિત્તે, એકાગ્રતાપૂર્વક આ મહામંત્રને સમર્પિત થવાય છે ત્યારે જે બળ, બુદ્ધિ, ક્ષમા, દયા, સ્વૈર્ય, ધૈર્ય, ગાંભીર્ય આદિ અનુભવવા મળે છે તે બધું સાફ બતાવે છે કે આ મહામંત્ર અચિત્ત્વ શક્તિનો સાગર છે.
સ્વપરહિતવાંછું સહુ આ મહામંત્રના મર્મને સ્પષ્ટપણે સમજો અને તેના સાચા આરાધક બનો !
मंताण मंत्तो परमो इमुत्ति, धेयाण धेयं परमं इमुत्ति ।
तत्ताण तत्तं परमं पवित्तं, संसारसत्ताण दुहाहयाणं ॥
(શારીરિક અને માનસિક દુઃખોથી તથા રાગદ્વેષાદિક તાપોથી સંતપ્ત થયેલા ચાર ગતિમાં રહેલા ભવ્ય જીવોને માટે) આ નવકાર દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના વિષને હરનારો હોવાથી ગારુડિકાદિ સર્વ મંત્રોમાં પ્રધાનમંત્ર છે, સર્વ અર્થનો સાધક હોવાથી સકલ ધ્યેયોમાં પરમધ્યેય છે અને કર્મમલના કલંકને દૂર કરનાર હોવાથી સર્વ તત્ત્વોમાં એટલે પરમાર્થભૂતપદાર્થોમાં, ૫૨મ એટલે અતિશય પવિત્ર તત્ત્વ છે.
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org