SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં, સર્વદર્શનોને માન્ય પોતપોતાના પૂજ્યતમ પુરુષોમાં અતિવ્યાપ્ત થાય છે. બૌદ્ધાદિ અન્યદર્શનકારો પોતપોતાના દર્શનના પ્રણેતાઓને “અત્' અર્થાત્ પૂજ્યતમ માને જ છે. જૈનદર્શન સમ્મત પૂજ્યતમત્વ તીર્થંકરોમાં જ ઘટે છે, અન્યત્ર નહિ. તેનું કારણ એ છે કે અન્યદર્શનકારો, પૂજ્યતમત્વનું લક્ષણ વીતરાગત્વ કરતા નથી અને જ્યાં વીતરાગત્વ ન હોય ત્યાં સર્વજ્ઞત્વ સંભવતું નથી. જૈનદર્શનમાન્ય પૂજ્યતાનું પ્રયોજક વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ જ છે. બૌદ્ધદર્શનના પ્રણેતાઓ જૈનદર્શનમાન્ય સર્વજ્ઞત્વનો સ્વીકાર કરતા નથી. તેમ જ સાંખ્યાદિ દર્શનો પણ જૈનદર્શનસમ્મત વીતરાગત્વનો સ્વીકાર કરતાં નથી. છતાં પોતાના ઈષ્ટને પૂજ્યતમ તો સહુ કોઈ માને જ છે. નિત્યમુક્તત્વ, જગતકર્તૃત્વ અને અસર્વજ્ઞત્વાદિ વિશેષણોવાળા પૂજ્યતમપદોમાં અતિવ્યાપ્તિ ન થવા દેવા માટે “ સરહંતા ' ના સ્થાને “દંતા ' પદ જ યોગ્ય છે. સિદ્ધાદિ પદોમાં અતિવ્યાપ્તિના વારણ માટે પાંચ પરમેષ્ઠિપદોમાં “પ્રથમત્વ' અર્થાત્ પ્રથમપદે નમસ્કરણીય– શ્રી અરિહંતોને જ આપેલું છે. પ્રથમપદ જ એ સૂચવે છે કે તેઓમાં કેવળ અરિહંતૃત્વ જ નહિ, પણ તીર્થકરત્વ આદિ પણ છે. એ વાત કેવળ શબ્દાર્થની ચર્ચાથી નહિ, પણ ભાવાર્થની વિચારણાથી જ સમજાય તેવી છે. પ્રથમપદે “ અરહંતા 'ને બદલે ‘રિહંતા ' મૂકવાથી બીજી એક વાત એ ધ્વનિત થાય છે કે જૈનદર્શન પૂજ્યત્વની પ્રાપ્તિ માટે અરિહંતૃત્વ અર્થાત્ ભાવશત્રુનાશકત્વ ગુણને અનિવાર્ય ગણે છે. ભાવશત્રુઓનો વિનાશ કર્યા વિના જેમ સિદ્ધત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેમ અહત અર્થાત્ પૂજ્યત્વની પ્રાપ્તિ પણ અસંભવિત છે. આ કારણે જૈનદર્શનનો પ્રધાનસૂર, ગુણોની પ્રાપ્તિ નહિ પણ દોષોનો વિજય છે. દોષો ઉપર વિજય મેળવવાથી ગુણોથી પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. સુંદર ચિત્ર માટે પ્રથમ ભીંતને સ્વચ્છ કરવી પડે છે. મોટો મહેલ ચણવા માટે પ્રથમ ભૂમિને શુદ્ધ કરવી પડે છે, તે ન્યાયે ગુણોની પ્રાપ્તિ માટે પ્રથમ દોષોને દૂર કરવા પડે છે. શ્રી જૈનદર્શનમાં દેવનું લક્ષણ વીતરાગત્વ અને ગુરુનું લક્ષણ નિગ્રંથ– કહ્યું છે. દેવનું સર્વજ્ઞત્વ અને ગુરુનું ધર્મોપદેશકત્વ વગેરે લક્ષણરૂપે નહિ, પણ ઉપલક્ષણરૂપે છે અર્થાત્ સ્વરૂપદર્શક છે. આ રીતે ભાવાર્થનો વિચાર કરતાં મંત્રાધિરાજ શ્રી નવકાર અને મંત્રાધિરાજ શ્રી નવપદના શાશ્વત પાઠોમાં પ્રથમ પદે “નમો અરિહંતાણં' નો પાઠ યુક્તિ અને આગમ ઉભયથી સિદ્ધ છે. સર્વમંગળોમાં ઉત્કૃષ્ટમંગળરૂપ શ્રી નમસ્કાર મહામંત્રના એક પદ યા એક શબ્દનો પાઠ યા જાપ કરવાની યોગ્યતા ઘણાં ઘણાં પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. એ શાસ્ત્રવચનના ગાંભીર્યને ગંભીરતાપૂર્વક વિચાર કરનારને શ્રી નવકારનો પ્રત્યેક અક્ષર, ભવજળતારક મહાજહાજરૂપ અણમોલ, આકર્ષક અને પૂજ્યતમ પ્રતીત થયા સિવાય રહેતો નથી. વિષય-કષાયમાં ભટકતા પોતાના જીવને જેઓ શ્રી નવકારમાં રમતો બનાવી શકે છે, તેઓ સંસારની જેલમાંથી કાયમને માટે મુક્ત થવાની દિશામાં અગ્રેસર થાય છે. જેમને ભજવા, પૂજવા, સ્તવવા તેમ જ આરાધવા માટે શ્રી અરિહંત જેવા નાથ મળ્યા છે, તે સહુને કોટિકોટિશઃ પ્રણામ અને જેઓ શ્રી અરિહંતાદિની સન્મુખ નથી થયા તેઓ પણ વહેલો વહેલા તે સન્મુખતા પ્રાપ્ત કરો ! N ૦૮ ૧૦૮ જિક TET જ તે જ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy