SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આગામીકાલીન છે. નમસ્કારરૂપી ક્રિયાનાં કારણ, સ્વરૂપ અને ફળ કેટલાં ઉચ્ચ છે, તે જાણવાથી જ “નમો' પદના વાસ્તવિક અર્થનો ખ્યાલ આવી શકે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે, નમસ્કારરૂપી ક્રિયાનું કારણ, નમસ્કારાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. તે કર્મનો ક્ષયોપશમ, મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને વીતરાય એ ચારેના લયોપશમની અપેક્ષા રાખે છે. એટલે આ નમસ્કારની ક્રિયાની પ્રાપ્તિ જેણે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવીને એક કોડાકોડી સાગરોપમથી પણ ઓછી કરી હોય, મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને આવરણ કરનારાં કર્મો પણ ઘણા અંશમાં હઠાવ્યાં હોય તથા વીયતરાય કર્મને પણ બહુ અંશમાં ખપાવ્યું હોય તેને જ થાય છે. શ્રી નવકારના પ્રથમ પદની અને તેના પ્રથમ અક્ષરની શબ્દથી, અર્થથી કે ક્રિયાથી પણ ત્યારે જ પ્રાપ્તિ થાય છે. કર્મની આટલી મોટી સ્થિતિ ખપાવવા માટે કેવળ અકામ-નિર્જરા જ નહિ, પણ જીવને સકામ-નિર્જરા પણ કરવી પડે છે. અને સકામ નિર્જરા માટે નિરાગ્રહી વૃત્તિ, માર્ગાનુસારી બુદ્ધિ, દયાળુતા, વિનીતતા, જિતેન્દ્રિયતા, ન્યાયસંપન્નતા વગેરે ગુણો કેળવવા પડે છે. પછી જ તે અપૂર્વકરણ વડે ગ્રન્થિભેદ કરીને સમ્યગ્દર્શન પામે અને ભાવથી શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારનો અધિકારી થાય છે. શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે, “અભવ્ય જીવને દ્રવ્યથી પણ આ નમસ્કારની પ્રાપ્તિ, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તોડ્યા વિના થતી નથી. ઘર્ષણ-ઘૂષણ ન્યાયે મોહનીયાદિ કર્મોની અંતઃકોડાકોડી જેટલી સ્થિતિ થયા વિના કોઈને પણ આ નમસ્કારની ભાવથી કે દ્રવ્યથી પણ પ્રાપ્તિ સંભવિત નથી.” નમસ્કારનું સ્વરૂપ નમસ્કારની ક્રિયાની જેમ નમસ્કારનું સ્વરૂપ પણ તેટલું જ મહાન, ભવ્ય અને ઉદાત્ત છે. નમસ્કારની ક્રિયા વડે શ્યાવિશુદ્ધિ એ નમસ્કારનું સ્વરૂપ છે. દ્રવ્યલેશ્યા પુગલ સ્વરૂપ છે અને ભાવલેશ્યા અંતઃકરણનો પરિણામ છે. નમસ્કાર વડે અંતઃકરણના પરિણામ નિર્મળ બને છે. ઔદાર્યાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. જેવી લેગ્યાથી જીવ મરે તેવી તેની ગતિ થાય છે. વિશુદ્ધ વેશ્યાથી મરનારની ઊર્ધ્વગતિ થાય છે. તેથી નમસ્કારનું ફળ પણ સિદ્ધિગતિની પ્રાપ્તિ છે અને તે ન થાય ત્યાં સુધી ઉત્તમ દેવ અને મનુષ્યોના ભવોની પરંપરાએ જીવ સકળ ફ્લેશથી નિવૃત્તિરૂપ પરમ નિર્વાણપદને પામે છે. નમો' પદનો આ અર્થ છે. એ અર્થને સમજાવવા માટે અનેક પર્યાયવાચી શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાંનો એક અર્થ છે – પૂજા, ભક્તિ, બહુમાન વગેરે. નમસ્કારનો ભાવાર્થ નમસ્કારનો ભાવાર્થ સમજવા માટે તેના ઓછામાં ઓછા ચાર વિભાગ કરવા જોઈએ: (૧) નામનમસ્કાર, (૨) સ્થાપનાનમસ્કાર, (૩) દ્રવ્યનમસ્કાર, (૪) ભાવનમસ્કાર અથવા ક્રિયારૂપનમસ્કાર, જ્ઞાનરૂપનમસ્કાર અને શબ્દરૂપનમસ્કાર એમ નમસ્કારની ત્રણ અવસ્થાઓ વિચારવી જોઈએ. નમસ્કાર' એવું નામ તે નામનમસ્કાર અથવા શબ્દરૂપનમસ્કાર છે. નમસ્કાર કરનારના શરીરની કે બુદ્ધિની આકૃતિ તે સ્થાપનાનમસ્કાર છે. નમસ્કાર કરનારના શરીરની નમવારૂપ ક્રિયા તે ક્રિયાનમસ્કાર કે દ્રવ્યનમસ્કાર છે. ૧૦૪ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ NGS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy