________________
સૂત્ર છાયા છે અને અર્થ પુરુષ છે. પુરુષ ચાલે તેમ તેની છાયા ચાલે છે, સ્થિર રહે તો સ્થિર રહે છે; જેમ અર્થરૂપી પુરુષ ચાલે તેમ સૂત્રરૂપી છાયા ચાલે છે અને અર્થરૂપી પુરુષ રહે તેમ સૂત્રરૂપી છાયા પણ સ્થિર રહે છે.
અર્થ અને સૂત્રની આ ચર્ચા સાંભળીને કોઈ એકાંતવાદી, બેમાંથી કોઈ એકની પણ અવગણના કરી ન બેસે એ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓએ એ બંનેની સમાન ઉપયોગિતા બતાવવા માટે એમ પણ કહ્યું છે કેઅંધ પંગુ જેમ બે મળે, ચાલે ઈચ્છિત ઠાણ જિનજી! સૂત્ર અરથ તેમ જાણીએ, કલ્પ ભાષ્યની વાણ જિનજી!
તુજ વય મન રાખીએ. સૂત્ર અંધ છે અને અર્થ પંગુ છે. અંધ (આંધળો) અને પંગુ (પાંગળો) પરસ્પર મળે તો ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે, તેમ સૂત્ર અને અર્થ બંને મળીને જ ઇચ્છિત સ્થાને પહોંચાડનાર થાય છે. બેમાંથી એકની પણ અવગણના, ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિબંધક બને છે.
શ્રી નવકારને અર્થથી કહેનાર શ્રી અરિહંત ભગવંત છે, સૂત્રથી ગૂંથનાર શ્રી ગણધર ભગવંત છે એ હિસાબે અહીં અર્થને પ્રાણ અને સૂત્રને દેહની ઉપમા અથવા અર્થને જીવંત દેહ અને સૂત્રને માત્ર તેની છાયાની ઉપમા ઘટે
શ્રી નવકારની છાયા અને દેહ આપણે જોયાં. હવે તેના અર્થરૂપી દેહ અને પ્રાણને આપણે જોઈએ.
એ જોવા માટે આપણે એના પ્રત્યેક પદમાંથી નીકળતા અર્થને તપાસવો પડશે. * નમો અરિહંતાણં ' નો મહિમા
શ્રી નવકારનું પ્રથમ પદ “નમો અરિહંતાણં' છે. તેમાં ત્રણ શબ્દો અને સાત અક્ષરો છે. એ સાત અક્ષરોનો મહિમા બતાવતાં એક સ્થળે કહ્યું છે કે
सप्तक्षेत्रीव सफला, सप्तक्षेत्रीव शाश्वती । सप्ताक्षरीयं प्रथमा सप्त हन्तु भयानि मे ॥
અર્થ:- શ્રી જિન પ્રતિમાદિ સાત ક્ષેત્રોની જેમ સફળ અને ભરતાદિ સાત ક્ષેત્રોની જેમ શાશ્વત એવી આ પ્રથમ સપ્તાક્ષરી મારા સાત ભયોને દૂર કરો.
પ્રથમ પદના સાત અક્ષરોમાંના એકેક અક્ષરમાં, એકેક ભયને દૂર કરવાનું સામર્થ્ય રહેલું છે. એટલું જ નહિ પણ તે પ્રત્યેક અક્ષર, સાત ક્ષેત્રોની જેમ સફળ અને શાશ્વત છે.
પ્રથમ પદના ત્રણ શબ્દોમાં પ્રથમ શબ્દ “નમો છે. બીજો શબ્દ “રિ ” અને ત્રીજો “સંત” છે. તેમાં પ્રથમ “નમો' શબ્દનો અર્થ “નમસ્કાર' છે. નમસ્કાર એટલે શું? નમસ્કાર એક પ્રકારની ક્રિયા છે. જે ક્રિયા વડે ભક્તિ દર્શાવાય, શ્રદ્ધા વ્યક્ત કરાય અને પૂજ્યભાવ પ્રગટ થાય, તે ક્રિયાને નમસ્કાર કહેવાય
આ ક્રિયા કેટલી ઉચ્ચ છે તેનું માપ કાઢવું હોય તો ત્રણ રીતે નીકળી શકે. એક તો તેના હેતુ ઉપરથી, બીજું તેના સ્વરૂપ ઉપરથી, ત્રીજું તેના પરિણામ ઉપરથી. એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુને પૂર્ણપણે સમજવી હોય તો તેની ત્રણે અવસ્થાનું જ્ઞાન મેળવવું જોઈએ. તે ત્રણ અવસ્થાઓ નીચે મુજબ છે: (૧) કારણઅવસ્થા, (૨) કાર્યઅવસ્થા અને (૩) સ્વરૂપ અવસ્થા સ્વરૂપ અવસ્થા વર્તમાન કાલીન છે, કારણઅવસ્થા ભૂત કાલીન છે અને કાર્યાવસ્થા કે ફલાવસ્થા
મંગલમય મંત્રાધિરાજ શ્રી નવકાર
૧૦૩ પS
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org