SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલમય મંત્રાધિરાજ શ્રી નવકાર શ્રી નવકારનો મહિમા અપરંપાર છે. તે શ્રી તીર્થંકર દેવો અને ગણધરભગવંતોના શ્રીમુખે ગવાયેલો છે. પૂર્વધરો અને શ્રુતધરોની વાણીથી પ્રશંસાયેલો છે. શ્રી આચાર્યદેવો, વાચકો પ્રવર્તકો અને સ્થવિરોના ઉપદેશોથી પ્રચારાયેલો છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા વડે બહુમાનપૂર્વક આરાધાયેલો છે. ભદ્રક પરિણામી, નિપુણમતિ, માર્ગાનુસારી અને ગુણરાગી જીવો વડે જેનો મહિમા આદરપૂર્વક શ્રવણ કરાયેલો છે તે શ્રી નવકાર શું છે ? એ જાણવાની ઇચ્છા કોને ન થાય ? પ્રત્યેક લઘુકર્મી, પરિતસંસારી, સુલભબોધિ, આસન-મુક્તિગામી જીવને અવશ્ય થાય. શ્રી નવકારનું બાહ્યસ્વરૂપ શ્રી નવકાર નવ પદોનો સમુદાય છે. એના પાંચ પદો મૂળમંત્રસ્વરૂપ છે. પછીનાં ચાર પદો મૂળમંત્રનો વાસ્તવિક પ્રભાવ સૂચવનાર મૂળમંત્રની ચૂલિકા સ્વરૂપ છે. ચૂલિકા સહિત શ્રી નવકાર ‘પંચમંગલ મહાશ્રુતસ્કંધ’ કહેવાય છે. મૂળમંત્રમાં, શ્રી પંચપરમેષ્ઠિને નમસ્કાર હોવાથી તેને શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્ર પણ કહેવાય છે. પંચ પરમેષ્ઠિને કરાયેલો નમસ્કાર મહામંગળરૂપ હોવાથી તેને ‘પંચમંગલ’ એવા ટૂંકા નામથી પણ સંબોધવામાં આવે છે. શ્રી નવકા૨નું ટૂંકામાં આ બાહ્યસ્વરૂપ છે. તેનું આંતરસ્વરૂપ ઘણું જ વિશાળ છે. શ્રી નવકારનું આંતરસ્વરૂપ શ્રી નવકારનું બાહ્યસ્વરૂપ શબ્દાત્મક છે અને તેનું આંતરસ્વરૂપ અર્થાત્મક છે. શબ્દને દેહના સ્થાને કલ્પીએ તો અર્થ તેના પ્રાણના સ્થાને છે. અર્થને દેહના સ્થાને કલ્પીએ તો શબ્દ તે દેહની છાયાના સ્થાને છે. છાયાનું મૂલ્ય દેહના આધારે છે. પ્રાણ વિનાનો દેહ શબવત્ છે. દેહ વિનાની છાયા શૂન્યવત્ છે. શ્રી નવકારના આંતરસ્વરૂપાત્મક અર્થને કહેનારા શ્રી અરિહંતભગવંત છે. શબ્દને ગૂંથના૨ા શ્રી ગણધરભગવંત છે. શ્રી અરિહંતદેવો ગુરુ છે, તો શ્રી ગણધ૨દેવો શિષ્યો છે. એ અપેક્ષાએ અર્થને ગુરુસ્થાને અને શબ્દને શિષ્યસ્થાને પણ કલ્પી શકાય. એક સ્થળે અપેક્ષાભેદે એથી ઊલટું પણ કહ્યું છે રાજા સરીખું સૂત્ર છે, મંત્રી સરીખો અર્થ જિનજી, એમાં એક હેલીઓ, દીએ સંસાર અનર્થ જિનજી ! તુજ વયણે મન રાખીએ અહીં સૂત્રને એટલે શબ્દને રાજાની ઉપમા આપી છે અને અર્થને મંત્રીની ઉપમા આપી છે, તથા તે બેમાંથી એકની પણ અવગણના કરનારને સંસારવૃદ્ધિરૂપ અનર્થનું કારણ થાય છે એમ કહ્યું છે. પરંતુ તે વાત ગણધરગુંફિત સૂત્રનો અર્થ લખનાર નિર્યુક્તિકાર, ભાષ્યકાર, ચૂર્ણિકાર અને ટીકાકારોએ કરેલા અર્થને ઉદ્દેશીને કહેલી છે. શ્રી અરિહંતભાષિત અર્થને સૂત્રમાં ગૂંથનાર શ્રી ગણધર ભગવંતના શબ્દને ઉદ્દેશીને તો ત્યાં એમ જ કહ્યું છે કેછાયા નર ચાલે ચલે, ૨હે થિતિ તસ તેમ જિનજી ! સૂત્ર અર્થ ચાલે ચલે, રહે થિતિ તસ તેમ જિનજી ! તુજ વયણે મન રાખીએ ૧૦૨ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy