________________
ते च चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः । अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यम् यथाबलम् ॥ २ ॥
અર્થ - ગુણી, ગુણરાગી અને ગુણષી, ત્રણ પ્રકારના મનુષ્યો હોય છે. શાસ્ત્રમાં તેને અનુક્રમે ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમબુદ્ધિવાળા કહ્યા છે. તેઓ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાત્વની ભૂમિકા પર રહેલા છે. માટે પ્રથમની બે ભૂમિકા માટે શક્તિ મુજબ પ્રયત્નશીલ રહેવું જોઈએ (૧-૨).
જે વય ગુણી છે, તે ચારિત્રવાન છે, માટે ઉત્કૃષ્ટ છે. જે ગુણરાગી છે, તે સમ્યકત્વવાન છે, માટે મધ્યમ છે. અને જે ગુણદ્વેષી છે તે મિથ્યાદૃષ્ટિ છે માટે અધમ છે. પોતાનામાં અધમતા ન આવી જાય તે ખાતર ગુણવાન ન બની શકાય તોપણ ગુણરાગી તો બનવું જ જોઈએ. ગુણરાગી આત્મા ગુણવાન ન હોવા છતાં ગુણસ્તુતિ અને ગુણપ્રશંસાના યોગે સમ્યકત્વવાન રહી શકે છે. “પરમેષ્ઠિનમસ્કાર' એ ગુણસ્તુતિ અને ગુણરાગરૂપ હોવાથી સમ્યક્ત્વની ભૂમિકાને ટકાવી રાખનાર છે. તેથી પ્રત્યેક સમ્યદ્રષ્ટિ જીવનો તે આધાર છે, પ્રાણ છે, આશ્રય છે, પરમ આલંબન છે.
સ્તુતિકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી એક સ્થળે ફરમાવે છે કે - त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरू परः । प्राणाः स्वर्गोऽपवर्गश्च, सत्त्वं तत्त्वं मतिर्गतिः ॥ १ ॥
“હે ભગવાન! તું મારા માટે ઉત્કૃષ્ટ માતા છે, પિતા છે, નેતા છે, દેવ છે, ધર્મ છે, ગુરુ છે, પ્રાણ છે, સ્વર્ગ છે, અપવર્ગ છે, સત્ત્વ છે, તત્ત્વ છે, મતિ છે અને ગતિ છે. (૧).
સમ્યગ્દષ્ટિઆત્મા માટે ગુણરાગ મુખ્ય ચીજ છે. તેના વિના એનું આંતરજીવન-અંતરાત્મભાવ ક્ષણવાર પણ ટકી શકે નહીં. “પરમેષ્ઠિનમસ્કાર' ગુણરાગ અને ગુણસ્તુતિરૂપ હોવાથી સર્વલોકમાં રહેલા સર્વ સમ્યગ્દષ્ટિઆત્માઓનો તે શ્વાસ છે. શ્વાસની જેમ સર્વ સમ્યગ્દષ્ટિઆત્માઓ તેને કંઠને વિષે ધારણ કરે છે. સમ્યકત્વની ભૂમિકા ટકાવી રાખવા માટે તે અનિવાર્ય છે. ત્રણ પ્રકારના આત્માનાં લક્ષણો બતાવતાં શ્રી અધ્યાત્મસાર પ્રકરણના યોગાનુભવ અધિકારમાં કહ્યું છે કે
विषयकषायावेशः, तत्त्वाऽश्रद्धा गुणेषु च द्वेषः ।
आत्माऽज्ञानं च यदा, बाह्यात्मा स्यात्तदा व्यक्तु: ॥ १ ॥ અર્થ - વિષય કષાયનો અભિનિવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણનો દ્વેષ અને આત્માનું અજ્ઞાન એ બહિરાત્માનું લક્ષણ છે.
આથી નક્કી થાય છે કે-ગુણદ્વેષ ટળ્યા વિના બહિરાત્મભાવ જતો નથી અને અંતરાત્મભાવ આવતો નથી.
ચતુર્થ ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ સુધીની અવસ્થા અંતરાત્મભાવની અવસ્થા છે. એમાં સમ્યક્ત, વિરતિ, અપ્રમાદ અને શ્રેણિનું આરોહણ અંતર્ભાવ પામે છે. ક્ષપકશ્રેણિના અંતે પરમાત્મભાવ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન, યોગનિરોધ, કર્મનાશ અને સિદ્ધિનિવાસ એ પરમાત્મભાવનાં લક્ષણો છે. એ રીતે ગુણરાગ પરમાત્મભાવનું બીજ બની જાય છે.
પરમેષ્ઠિનમસ્કાર' ગુણરાગનું પ્રતીક છે. એનાથી ગુણરાગ ન હોય તો જાગે છે અને હોય તો વધે છે. અંતરાત્મભાવને લાવનાર, તેને ટકાવનાર, વધારનાર અને છેવટે પરમાત્મભાવ સુધી પહોંચાડનાર પરમેષ્ઠિનમસ્કાર' છે. તેથી માર્ગનુસારીની ભૂમિકાથી માંડી સર્વ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિધર જીવોનું “પરમેષ્ઠિનમસ્કાર એ પરમ આવશ્યક કર્તવ્ય થઈ પડે છે. ધર્મના પ્રારંભથી અંત સુધી પ્રત્યેક ધર્માર્થી આત્માની ઉન્નતિમાં તે પરમ સહાયક થઈ પડે છે. એથી જ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે
સવિ મંત્રમાં સાર, ભાખ્યો શ્રી નવકાર; કહ્યા ન જાયે રે એહના, જેહ છે બહુ ઉપકાર. (૧). શ્રી નવકાર એ સર્વમંત્રમાં સારભૂત છે. એના ઉપકાર એટલા બધા છે કે તે વાણીથી વર્ણવી શકાય તેમ
નથી.
IN ગુણરાગનું પ્રતીક નમસ્કાર મહામંત્ર
૧૦૧ MN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org