________________
ગુણરાગનું પ્રતીક નમસ્કારમહામંત્ર
(નમસ્કાર મહામંત્ર ઉપર જેટલો વધુ વિમર્શ થાય તેટલો એકાંતે હિતકર છે. એમ માનીને પૂજ્ય પંન્યાસજી ભગવંતે જે જે ગ્રન્થોસાહિત્ય કે ચિંતકોનાં લખાણો વાંચ્યાં પછી જુદા જુદા પ્રસંગોએ પરમેષ્ઠિનમસ્કાર ઉપર જે ચિંતન કર્યું અને તેના દ્વારા અમૃતનો આસ્વાદ માણ્યો, તે ચિંતનને લિપિબદ્ધ કરીને અને આપણા સુધી પહોંચાડીને તેઓશ્રી આપણને પણ તે ચિંતનામૃતનો આસ્વાદ કરાવી ગયા છે. આ પ્રકરણમાં અમૃતનો આસ્વાદ કરાવનારા અતિ મનનીય લેખો છે.)
શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ શ્રી જિનશાસનનું અણમોલ રત્ન છે. ઘરમાં આગ લાગે ત્યારે બુદ્ધિમાન મનુષ્ય જેમ બીજી વસ્તુઓનો ત્યાગ કરીને સઘળી આપત્તિઓનો પાર પમાડવામાં સમર્થ એવા એક જ મહારત્નને ગ્રહણ કરે છે, તેમ શાસ્ત્રો કહે છે કે ધીરબુદ્ધિવાળા અને ઉત્તમલેશ્યાવાળા સાત્ત્વિક પુરુષો સર્વનાશના સમયે અનન્યશરણ્ય દ્વાદશાંગના રહસ્યભૂત એવા આ એક જ ‘પરમેષ્ઠિ નમસ્કાર'રૂપી મહારત્નને ગ્રહણ કરે છે.
પરમેષ્ઠિનમસ્કારરૂપ ભાવરત્નનું મૂલ્ય સમજવું ઘણું કઠિન છે. એને સમજવા માટે જેટલું વિચારાય અને લખાય તેટલું ઓછું છે. કેવળ શબ્દો અને વિચારો વડે જ તેનું માપ કાઢવું દુષ્કર છે. એનું મૂલ્ય સમજાવવા માટે શાસ્ત્રકારભગવંતોને પણ ઉપમાઓ અને રૂપકોનો આશ્રય લેવો પડ્યો છે. જેમ કે
પાપરૂપી પર્વતને ભેદવા માટે વજસમાન, કર્મરૂપી વનને બાળવા માટે દાવાનલ સમાન, દુઃખરૂપી વાદળોને વિખેરવા માટે પ્રચંડપવનસમાન, મોહરૂપી દાવાનલને શાંત કરવા માટે નવીન મેઘસમાન, અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા માટે મધ્યાહ્નના સૂર્યસમાન, કલ્યાણરૂપી કલ્પવેલડીના અવંધ્ય બીજસમાન, દારિદ્રય રૂપી કંદને જડ મૂળથી ઉખેડવા માટે વરાહની દાઢાસમાન, સમ્યક્તરૂપી રત્નને ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરતીસમાન, વગેરે અનેક ઉપમાઓ વડે ‘પરમેષ્ઠિનમસ્કાર'ને શાસ્ત્રકારોએ બિરદાવ્યો છે, તેને ઓળખાવવા માટે પ્રયાસ કર્યો છે. શ્રી નવકાર-ફળ-પ્રકરણમાં કહ્યું છે કે
कि एस महारयणं, कि वा चिंतामणिव्व नवकारो । कि कप्पदुमसरिसो, नहु नहु ताणं वि अहिययरो ||१|| ‘પરમેષ્ઠિનમસ્કાર' એ શું મહારત્ન છે ! અથવા ચિંતામણિ સમાન છે ? અથવા કલ્પવૃક્ષ સમાન છે ? નહિ, નહિ ! એ તો તે સર્વથી પણ અધિકતર છે. ચિંતામણિ રત્ન અને કલ્પતરુ વગેરે એક જ જન્મમાં સુખના હેતુ છે, જ્યારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગાપવર્ગને આપનારો છે. ભવોભવનાં સુખનો હેતુ છે.
રૂપકો અને ઉપમાઓ વડે ‘૫૨મેષ્ઠિનમસ્કાર’નો મહિમા કાંઈક અંશે બુદ્ધિગોચર થાય છે, તોપણ તેનો ખરો મહિમા સમજવાનું એકનું એક સાધન તો તેની વિધિયુક્ત અખંડ આરાધના છે. શ્રી મહાનિશીથસૂત્રમાં તે વિધિ બતાવતાં કહ્યું છે કે
तिविहकरणोवउत्तो, खणे खणे सीलसंजमुज्जुत्तो ।
अविराहि अवयनियमो, सो विहु अइरेण सिज्झेज्जा ॥ १ ॥
ત્રણ કરણોથી ઉપયોગવાળા થઈને, પ્રતિક્ષણ શીલ અને સંયમમાં ઉદ્યમી રહીને તથા વ્રત અને નિયમોનું અખંડ પાલન કરીને જે શ્રી તીર્થંકરોનું નામ ગ્રહણ કરે છે, તે જીવ અલ્પકાળમાં સિદ્ધિગતિને પામે છે. (૧)
પરમેષ્ઠિનમસ્કારનો ખરો પ્રભાવ તેની સાધનાથી પ્રાપ્ત થાય છે તોપણ તે સાધનામાં ઉત્સાહિત થવા માટે તેના શાબ્દિક પરિચયની અપેક્ષા રહે છે અને તે માટે ઉપમાઓ, રૂપકો તથા અલંકારોની પણ આવશ્યકતા રહે છે. તે બધી વસ્તુઓ વિચા૨ પ્રેરક છે. શાસ્ત્રોમાં એને અનુપ્રેક્ષાસ્વાધ્યાય કહ્યો છે. અનુપ્રેક્ષાસ્વાધ્યાયને રત્નશોધક અનલની ઉપમા આપવામાં આવી છે.
ગુણરાગનું પ્રતીક નમસ્કારમહામંત્ર
Jain Education International
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org