________________
આત્મા કર્મવડે બંધાય છે. જ્ઞાનીને કર્તાપણાનું અભિમાન નહિ હોવાથી તે બંધાતો નથી.
ઋજુસૂત્રનયના મતે આત્મા શુભાશુભ કર્મનો કર્તા નથી, પણ ઈષ્ટ-અનિષ્ટ વસ્તુ નિમિત્તે થતા રાગદ્વેષરૂપ આશયનો કર્તા છે.
નૈગમ અને વ્યવહાર આ બંને નય કર્મ વગેરેનું કર્તાપણું કહે છે, કારણ કે કર્તાનો વ્યાપાર ફળના અંત સુધી હોય છે. આત્મા ભાવકર્મનો કર્તા છે, તેનું ફળ દ્રવ્ય કર્મનો બન્ધ છે અને ફળ પર્યન્ત કર્તાનો વ્યાપાર હોવાથી આત્માને દ્રવ્ય-કર્મનો કર્તા માની વ્યવહારથી કર્તા કહેવાય છે.
એ જ વાતને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સીમંધરસ્વામીની વિનંતિરૂપ ૧૨૫ ગાથાના સ્તવનમાં નીચે મુજબ સ્પષ્ટ કરી છે.
ઢાલ ત્રીજી, ગાથાઃ ૧૩-૧૪-૧૫ હું કર્તા પરભાવનો, એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે. આતમતત્ત્વ વિચારીએ ૦ ૧.
અર્થ :- “હું પરપુગલદ્રવ્યની અવસ્થાનો કર્તા છું.” એમ જે માણસ કર્તાપણાનું અભિમાન રાખે છે તે અજ્ઞાની છે અને કર્મથી બંધાય છે. ૧.
તે અજ્ઞાન નય વિભાગ વડે જ ટળે છે, તેથી તેને જ દેખાડે છે.
“પુદ્ગલકર્માદિક તણો, કર્તા વ્યવહાર, કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચારે. આતમ ૦૨.
અર્થ :- વ્યવહાર નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીયાદિક યુગલકમદિકભાવનો કર્તા ચેતન છે. (ત્યાં અનુપચરિત અસભૂત’ વ્યવહારે કર્મનો કર્તા અને “ઉપચરિત અસભૂત' વ્યવહાર કર્મનો-ગૃહાદિકનો કર્તા એ વિશેષ. “સ્વજાતી ઉપચરિત અસભૂત' વ્યવહારે પુત્રાદિકનો કર્તા, ‘વિજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ધનાદિકનો કર્તા તથા “સ્વજાતિ-વિજાતિ ઉપચરિત-અભૂત' વ્યવહારે નગરપ્રાકારાદિકનો કર્તા, ઈત્યાદિક ભેદ જાણવો.) નિશ્ચયનયને સુવિચારે ચેતન રાગદ્વેષ રૂપી કર્મનો કર્તા છે, અશુદ્ધ નિશ્ચયનય અશુદ્ધ સ્વભાવનો કર્તા માને છે. તે નયે દ્રવ્ય કર્મ સંબંધથી આવે છે. જેમ તૈલ અભંગે એટલે તેલ ચોપડવાથી કર્તા પુરુષને રજ તેને અનુષંગે એટલે તેલના સંબંધથી આવે છે. ૨.
તાત્પર્ય એ છે કે - આત્મા રાગદ્વેષાદિ ભાવકર્મનો કર્યા છે, તે જ વખતે કાશ્મણ વર્ગણાના પુદ્ગલપરમાણુઓ સ્વયમેવ પોતાના સ્વભાવથી જ કમરૂપે પરિણમે છે. અહીં આત્મા અને કર્મનું સ્વતંત્ર પરિણમન પોતપોતાના સ્વભાવથી જ થાય છે, તોપણ બંનેનું એક સાથે પરિણમન થતું હોવાથી વ્યવહારથી એમ કહેવાય છે કે આત્માએ કર્મને બાંધ્યા, પણ વસ્તુ સ્થિતિ તેમ નથી. કારણ કે અમૂર્ત આત્મા મૂર્ત કર્મને કેવી રીતે બાંધે?
કર્તા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધ કહીયે; કર્તા પર પરિણામનો, બેઉ કિરિયા કહીએ. આતમ૦ ૩.
અર્થ - શુદ્ધ નિશ્ચય નયે આત્મા શુદ્ધ સ્વભાવનો જ કર્તા છે. આત્માને પરપરિણામનો કર્તા માનત.. ક્રિયા આવી જાય: એક જીવ ક્રિયા અને બીજી અજીવ ક્રિયા. એ બે ક્રિયા માનતાં અપસિદ્ધાંત થાય, સિદ્ધાંત વિરોધ આવે. માટે આત્માને શુદ્ધ સ્વભાવનો જ કર્તા માનીએ. ૩.
શુદ્ધ નિશ્ચયનય પરમાર્થને બતાવનારો છે. તે નયે આત્મા શુદ્ધસ્વભાવનો જ કર્તા છે. આત્માને પુદ્ગલપરિણામનો કર્તા માનીએ તો એક જ દ્રવ્યમાં સ્વપરિણમન અને અન્યનું પરિણમન એમ બે ક્રિયા માનવાની આપત્તિ આવે કે જે વસ્તુ અનંત જ્ઞાનીઓને અસંમત છે. IN નમસ્કારનું નિયસ્વરૂપ
નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org