________________
જે એકને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે. (અહીં આત્મજ્ઞપણું મુખ્ય છે. સર્વજ્ઞપણું ઉપચરિત છે એમ ન વિભાગ જાણવો. તેથી એક આત્મજ્ઞાન જ ઉપાદેય છે.) ૩.
વળી જ્ઞાનસાર પ્રત્યેના બીજા “મન્નાષ્ટકમાં કહ્યું છે કે
स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वालोकिनः । कर्तृत्वं नाऽन्यभावानां, साक्षित्वमवशिष्यते ॥१॥
અર્થ - સ્વભાવના સુખમાં મગ્ન થએલ અને સ્યાદ્વાદ ન્યાયથી પરીક્ષણ કરીને જગતના તત્ત્વનું એટલે શુદ્ધ સ્વરૂપનું અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું એટલે પોતાના આત્માથી ભિન્ન બીજા પદાર્થોનું કર્તાપણું નથી, કેવળ સાક્ષીપણું બાકી રહે છે. ૧.
તાત્પર્ય કે સ્વભાવ સુખમાં મગ્ન આત્મા જગતના તમામ પદાર્થોને જુએ છે અને જાણે છે, પણ તે આત્મા એક પણ પરપદાર્થની અવસ્થાનો પોતે કર્તા થતો નથી. ફક્ત અન્ય પદાર્થો જેમ પરિણમે તેમ તે પદાર્થ અને તેના ગુણપર્યાયનો સાક્ષી એટલે કે જ્ઞાતા રહે છે.
આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સ્વોપજ્ઞ સ્તબકમાં પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે
માટી વગેરે ભાવો ઘટાદરૂપે પરિણમે છે, તેમાં કુંભાર વગેરે સાક્ષીમાત્ર છે, તો તે કેમ અભિમાન રાખે કે અમે ઘટાદિ પદાર્થના કર્તા છીએ ?
તત્ત્વ એ છે કે માટી સ્વયં પોતાની યોગ્યતાથી જ ઘટરૂપે પરિણમે છે. તે જ સમયે દંડ, ચક્ર વગેરે પોતાની યોગ્યતાથી પોતપોતાના વ્યાપારરૂપે પરિણમે છે. તથા કુંભારના શરીરના પરમાણુઓ પણ પોતપોતાની યોગ્યતાથી તે તે અવસ્થાને ધારણ કરે છે, છતાં કુંભાર અજ્ઞાન હોય તો એ બધી વસ્તુ સ્થિતિ જોઈને એમ માને છે કે “હું ઘડો બનાવું છું.' ખરી વસ્તુ એ હતી કે કુંભારના આત્માએ તો ફક્ત ઈચ્છા કરી હતી કે હું ઘડો બનાવું' પણ શરીરનો વ્યાપાર એ કાંઈ કુંભારની ઇચ્છાને આધીન નહોતો. મૂર્ત શરીર અને અમૂર્ત આત્મા એ બન્ને વચ્ચે પરમાર્થથી સંબંધ હોઈ શકે નહિ. એવું બને કે આત્મા ઇચ્છા કરે અને તે જ વખતે શરીરનો વ્યાપાર તે સ્વરૂપે પોતાની યોગ્યતાથી પરિણમે અને આવું અનેકવાર દેખવાથી અજ્ઞાન આત્માઓને બ્રાન્તિ થઈ જાય છે કે શરીરની ક્રિયા અમે કરીએ છીએ. પણ એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ જ નથી, તો પછી (આત્મા અને શરીર એ બે જુદાં દ્રવ્યો હોવાથી) આત્મા શરીરને કેવી રીતે પરિણાવી શકે? આત્મા તો શરીરની ક્રિયાનો ફક્ત સાક્ષી (જ્ઞાતા). બની શકે. આ નિશ્ચયનયનો મત છે, પરમાર્થને સૂચવનારો છે. તેને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવો જોઈએ.
એ જ વાતને બીજ દષ્ટાંતથી તેઓ સ્પષ્ટ કરે છે.
તેવી રીતે ભાષાવર્ગણા દ્રવ્ય વર્ણપણે, વર્ણપદપણે, પદવાક્યપણે, વાકય મહાવાક્યપણે અને મહાવાક્ય ગ્રન્યપણે પરિણમે છે, તેમાં કન્યકાર સાક્ષી માત્ર છે તો તે કેમ અભિમાન રાખે કે “હું પ્રખ્યકર્તા છું.” સર્વ દ્રવ્યો સ્વસ્વપરિણામના કર્તા છે, પરપરિણામનો કોઈ કર્તા નથી. એ ભાવનાએ અન્ય ભાવોનું કર્તાપણું નથી પણ સાક્ષીપણું છે.
અધ્યાત્મસારના “આત્મનિશ્ચયાધિકારમાં પણ કહ્યું છે કેपराश्रितानां भावनां, कर्तृत्वायभिमानतः । कर्मणा बध्यतेऽज्ञानी, ज्ञानवांस्तु न लिप्यते ॥१॥ અર્થ -પર-
પુલાશ્રિત પર્યાયોના કર્તાપણદિકના અભિમાનથી અજ્ઞાની કર્મ વડે બંધાય છે પણ જ્ઞાની બંધાતો નથી. ૧. તાત્પર્ય એ છે કે વાસ્તવિક રીતે આત્મા પરભાવનો કર્તા નથી, પણ કર્તાપણાના અભિમાનથી અજ્ઞાની
ને મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org