________________
મહારાજ ફરમાવે છે કે
શુધ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું, તુજ સમાપત્તિ ઔષધ સકલ પાપનું; દ્રવ્ય અનુયોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી. ૧
અર્થ - શુદ્ધ સ્વરૂપનું ધ્યાન એ નિશ્ચયથી પોતાના સ્વરૂપનું જ ધ્યાન છે. શુદ્ધ આત્મસ્વરૂપનું એ ધ્યાન સર્વ પાપના નાશનું ઔષધ છે-સર્વ દોષોનો નાશ કરવાનું રસાયણ છે. પડદ્રવ્યની વિચારણા સ્વરૂપ સમ્મતિતર્ક આદિ દ્રવ્યાનુયોગના મહાગ્રન્યો થકી તે વાત જાણીને અનુક્રમે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનદશાને અમે ધારણ કરીએ છીએ. અહીં ચતુર્થ ગુણ સ્થાનકે ભક્તિ અવસ્થા મુખ્ય છે. પાંચમા-છઠ્ઠા ગુણ સ્થાનકે વૈરાગ્ય દશા મુખ્ય છે તથા અપ્રમત્ત સંયતથી ક્ષીણમોહાદિ ગુણસ્થાનપર્યત જ્ઞાનદશા મુખ્ય છે. તથા ગૌણપણે જ્ઞાનદશા ચતુર્થાદિ ગુણસ્થાનકે પણ હોય છે. જેથી મુખ્યપણે જ્યાં ભક્તિ આદિની આરાધના હોય, ત્યાં પણ શક્તિ અનુસાર જ્ઞાન-વૈરાગ્ય દશાનું અવલંબન પણ હોય જ છે. ૧.
શુદ્ધ નયના ધ્યાનનો મહિમા બતાવતાં આગળ પણ કહે છે કેજેહ અહંકાર મમકારનું બંધન, શુદ્ધ નય તે દઈ દહન જિમ ઈધન; શુદ્ધનય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. ૨.
અર્થ - અગ્નિ જેમ લાકડાને બાળી નાંખે તેમ શુદ્ધ નયનું ધ્યાન એટલે આત્મતત્ત્વ ચિત્તવનરૂપ ધ્યાન, અહંકાર અને મમકારના મૂળ બંધન-મૂળ કારણ રૂપ રાગદ્વેષને બાળીને ભસ્મ કરે છે. શુદ્ધનય-નિશ્ચયનય તે મોક્ષ માર્ગનો દીવો છે, કારણ કે મોક્ષમાર્ગે જતાં તે અજવાળું કરે છે. તથા તે શુદ્ધ નય સાધુને પોતાની આથિ એટલે સંપત્તિ છે-મૂળ પુંજી છે. કહ્યું છે કે
दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथदर्शिनी । शुद्धात्मचेतना या च, साधूनामक्षयो निधिः ॥१॥
અર્થ - જે શુદ્ધ-આત્મ-ચેતનાનું ધ્યાન છે, તે ખરેખર નિર્વાણ પથને બતાવનારી કદી પણ નાશ ન પામે તેવી દીપિકા છે તથા કદી પણ ક્ષય ન પામે તેવો સાધુઓનો નિધિ છે. ૧.
વળી એ જ શુદ્ધ નયના ધ્યાનનો પ્રભાવ વર્ણવે છે. સકલ ગણિપિટકનું સાર જેણે કહ્યું, તેહને પણ પરમ સાર એહ જ કહ્યું; ઓઘનિર્યુક્તિમાં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે. ૩.
અર્થ - આચાર્યના સમગ્ર ગુણરૂપ રત્નોની પેટી જે દ્વાદશાંગ ગણિપિટક તેનો સાર એટલે પ્રાધાન્યપણું જેણે જાણ્યું છે, એવા સમસ્ત દ્વાદશાંગીના જાણને પણ પરમસાર એટલે પ્રધાન રહસ્ય છે એ જ શુદ્ધનય પરિણમનરૂપ કહ્યું છે, તો બીજાની શી વાત? શ્રીમતી ઘનિર્યુક્તિમાં કહ્યું છે કેपरमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं । परिणामिय-पमाणं, निच्छयमवलंबमाणाणं ॥१॥
અર્થ - સમસ્ત ગણિપિટકના સારને જાણનારા તથા પરમાર્થનું અવલંબન લેનારા ઋષિઓનું પરમ રહસ્ય એ છે કે મોક્ષમાર્ગમાં “પરિણામ એ જ પ્રમાણ છે. ૧. તેથી એ નિશ્ચયના અવલંબન વિના દુઃખ ન જ ટળે. પ્રથમ અંગ શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે
जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव् जाणइ से एगं जाणइ ॥
નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org