SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૨હેલા ભેદનો છેદ કરીને સ્વયં અરિહંત સ્વરૂપ થાય છે એમ શ્રી વીરપરમાત્મા ઉપદેશે છે. ૧. શ્રી પ્રવચનસારમાં પણ કહ્યું છે કે जो जाणदि अरहंतं, दव्वत्त- गुणत्त - पज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयम् ॥१॥ અર્થ :- જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને તેથી ખરેખર તેનો મોહ નાશ પામે છે. ૧ આ એક જ ગાથામાં તમામ શાસ્ત્રોનું રહસ્ય સમાઈ જતું હોય તેમ જણાઈ આવે છે. જે આત્માને મોહનો ક્ષય કરી, અરિહંત સ્વરૂપી થઈ, અનંત સુખના ભોક્તા થવું છે, તેને માટે આ જ એક ઉપાયનું અવલંબન જરૂરી છે. અરિહંતના ધ્યાનથી પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાય છે અને શુદ્ધ આત્મસ્વરૂપની યથાર્થ સમજણ થવાથી પુદ્ગલમાં આત્મપણાની મિથ્યા ભ્રાંતિરૂપ અનાદિનો મિથ્યામોહ આપોઆપ નાશ પામે છે. સ્વ-આત્મ-સ્વભાવની યથાર્થ શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શનનું મૂળ છે. અરિહંતના આત્માનું દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે ધ્યાન ક૨વાથી પોતાનો આત્મા પણ તે સ્વરૂપ જ છે, તેનો ખ્યાલ આવે છે અને એ ખ્યાલ દૃઢ થતાં જ તે પરથી ભિન્ન આત્મ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા દૃઢ થાય છે. આત્મ સ્વભાવની યથાર્થ અને શુદ્ધ શ્રદ્ધાથી મોહ નાશ પામે છે. અનાદિ કાળથી જીવ સ્વને ભૂલી પર તરફ દૃષ્ટિ કરતો આવ્યો છે અને તે કારણે તેના રાગ દ્વેષ કેમે કરીને ટળતા નથી. એક વાર પણ જીવને એટલું શ્રદ્ધાન થઈ જાય કે નિશ્ચયથી ‘હું સર્વ પરપદાર્થોથી ભિન્ન છું અને અનંત જ્ઞાનદર્શનાદિ ગુણોનો પિંડ છું,’ ‘પરપદાર્થથી મને અણુમાત્ર લાભ કે નુકસાન છે જ નહિ,’ પછી પરપદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થવાનું તેને કાંઈ કા૨ણ રહેતું નથી. વસ્તુમાત્ર અનાદિ કાળથી છે, છે અને છે જ. વસ્તુ છે તો તે દરેક વસ્તુનો સ્વભાવ પણ છે. દરેક વસ્તુ સ્વભાવથી જ ત્રિકાળ ટકી રહી છે. વસ્તુસ્વભાવ સ્વતંત્ર છે પણ પરતંત્ર નથી. વસ્તુસ્વભાવ જો પરાધીન હોય તો વસ્તુનો જ નાશ થઈ જાય. વસ્તુસ્વભાવ સ્વતંત્ર હોવાથી એની અવસ્થાઓ પણ સ્વભાવ અનુસાર જ સ્વતંત્રપણે પ્રગટ થાય છે. જીવ, પુદ્ગલ, કાલ, આકાશાદિ છયે દ્રવ્યો પરસ્પર અપ્રવેશી છે. એક ક્ષેત્રાવગાહ રહેવા છતાં એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ નથી એ એક મોટો ચમત્કાર છે. પૂજ્યપાદ શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર ગ્રન્થના ચૌદમા ‘વિઘાષ્ટક’માં ફ૨માવે છે કે – मिथोयुक्तपदार्थानामसंक्रमचमत्क्रिया । चिन्मात्रपरिणामेन, विदुषैवाऽनुभूयते ॥ १ ॥ અર્થ :- પરસ્પર મળેલા જીવ-પુદ્ગલાદિ-દ્રવ્ય-પર્યાયરૂપ પદાર્થના અસંક્રમ એટલે એક બીજારૂપ ન થવારૂપ અસંકરણ અર્થાત્ ભિન્નતાનો ચમત્કાર, જ્ઞાનમાત્ર પરિણામવંત વિદ્વાન પુરુષથી જ અનુભવાય છે. ૧ હવે જો એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ જ નથી, તો તે અન્યને શો ગુણ-દોષ કે લાભ-હાનિ કરે ? ન જ કરે. આત્મતત્ત્વને પણ આ જ નિયમ લાગુ પડે છે. આત્માને પરથી લેશ માત્ર લાભહાનિ થઈ શકતી નથી. છતાં આ જીવ અનાદિ મિથ્યામોહને વશ થઈ, ૫૨થી પોતાને લાભ-હાનિ માની, રાગ-દ્વેષની આકુળતાથી એક ક્ષણ પણ વિરામ પામતો નથી. અજ્ઞાનવશ આત્મા પોતે જ, પોતાના સ્વભાવને નહિ ઓળખવાથી પરદ્રવ્યો પ્રત્યે રાગ-દ્વેષમાં જોડાય છે અને પર પદાર્થો સાથે એકત્વનો અર્થાત્ એકપણાનો અધ્યાસ કરે છે. એ એકત્વનો–એકપણાનો અધ્યાસ છોડાવવા માટે તથા આત્માને સ્વભાવમાં જ નિમગ્ન બનાવવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ નિશ્ચયનયનું અવલંબન લેવા ફરમાવ્યું છે. સીમંધરસ્વામીને વિનંતિરૂપ ૩૫૦ ગાથાના સ્તવનની ૧૬મી ઢાળમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy