SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ફળદાયી માન્યો છે. “ભાવ” ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ વિનાની અર્થજ્ઞાન સહિત અને શુદ્ધ ક્રિયાને પણ. શાસ્ત્રકારઓએ દ્રવ્ય ક્રિયા કહેલી છે. “અનુપયોગો દ્રવ્યમતિ વવના | ” “અનુપયોગ એ જ દ્રવ્ય છે.” એમ શાસ્ત્રકારોનું ફરમાન છે. ઉપયોગવાળાની કથંચિત અશુદ્ધ અગર અર્થજ્ઞાનહીન ક્રિયા પણ ભાવક્રિયાનું કારણ બની શકે છે. એથી વિપરીત ઉપયોગશૂન્યની શુદ્ધ અને અર્થજ્ઞાનવાળી ક્રિયા પણ ભાવક્રિયા કે તેનું સાક્ષાત્ કારણ બની શકતી નથી. ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે તેમ પ્રત્યેક સારી-નરસી ક્રિયામાં છે. અનુપયોગ થયેલો અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય અપરાધ ગણાતો નથી, તેમ વિના ઉપયોગે થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. ઇતર દર્શનકારોએ પણ કહ્યું છે કે, “ મન પર્વ મનુષ્યનાં વા વચનોક્ષયોઃ / મનુષ્યોનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે.” મન જેમાં ભળતું નથી એ ક્રિયા જેમ મોક્ષનો હેતુ નથી, તેમ તેવા પ્રકારના બંધનો હેતુ પણ થતી નથી. મનશૂન્યપણે કે ઉપયોગશૂન્યપણે થતી પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયા સાથે મનને મેળવવા માટે અર્થશાનની જેટલી જરૂર છે, તેથી કોઈ ગુણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે. શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયા પ્રત્યે ભક્તિ અને આદરવાળા પુણ્યવંત જીવો સામગ્રીના અભાવે અત્યલ્પ અર્થજ્ઞાનને ધારણ કરવા છતાં તેનાથી જે ફાયદો ઉઠાવી શકે છે, તે ફાયદો શ્રદ્ધા-સંવેગ-ભક્તિ અને આદરાદિથી શૂન્ય મોટા તત્ત્વવેત્તા પંડિતાગ્રણીઓ પણ મેળવી શકે નહિ. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધા-સંવેગાદિ ગુણોથી વિભૂષિત પુરુષરત્નો છે. પછી તે સાધુ હો, સાધ્વી હો, શ્રાવક હો, શ્રાવિકા હો કે ભલે ભદ્રક પરિણામી મિથ્યાદષ્ટિ હો. શ્રી મહાનિશીથાદિ સૂત્રોના યોગોહન કરનાર સંયમી, શુદ્ધ ચારિત્રના ખપી અને શાસ્ત્રો વિધિ-વિધાન પ્રત્યે પરિપૂર્ણ આદર ધરાવનારા નિર્ઝન્ય મુનિરાજના મુખથી, શ્રી ઉપધાનાદિ તપ કરવાપૂર્વક પ્રહણ કરેલો નવકાર એ વિધિપૂર્વક પ્રહણ કરેલો ગણાય છે. એ રીતે વિધિપૂર્વક અગર વિધિ પ્રત્યે સંપૂર્ણ આદર ધારણ કરી, અવસર મળ્યો એ વિધિને પૂર્ણ કરવાની ધારણા રાખી, નવકારને ગ્રહણ કરે તો નવકાર દ્વારા યથેષ્ટ ફળ મેળવી શકે છે. શ્રી નવકારમંત્રનો અધિકારી શ્રદ્ધાવાન છે. એ શ્રદ્ધા કેળવવા માટે પંચ પરમેષ્ઠિઓના મુખ્ય ઉપકારો કયા છે? એનું વારંવાર ચિત્તવન-મનન ઘણું ઉપકારક છે. શાસ્ત્રોમાં એ મુખ્ય ઉપકારોને ચૂંટીને પાંચ વિભાગમાં સમજાવ્યા છે. પંચપરમેષ્ઠિઓના પાંચ ઉપકારો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિઓ છે, અર્થાત્ પરમપદે બિરાજમાન પાંચ વિભૂતિઓ છે. જતિથી પાંચ છે. પણ વ્યક્તિશઃ અનંત છે. ત્રણે કાલ અને ત્રણે લોકમાં તેઓ પ્રતિષ્ઠિત છે. ચાર નિક્ષેપ અને પાંચ પદોથી તેઓ આરાધ્ય છે. આ વિશ્વને અલંકૃત કરનાર પાંચ અદ્વિતીય રત્નો છે. સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર-એ રત્નોની કાંતિ, વિશ્વને ઉજ્જવળ બનાવનાર પ્રભા સમાન છે. પંચપરમેષ્ઠિ અને તેમના ગુણ સ્વયં પોતાના તેજથી ત્રિભુવનમાં પ્રકાશી રહ્યા છે. જેઓ તેમના એ પ્રકાશને જોઈ શકતા નથી, તેઓ ઘોર અંધકારની છાયા નીચે વસી રહેલા દુર્ભગ આત્માઓ છે. એમ કહી શકાય. અરિહંતોનો ઉપકાર માગદિશકપણુંઃ અરિહંતો જેમ સ્વયં વીતરાગ, સર્વજ્ઞ અને ત્રિભુવન પૂજનીય છે, તેમ સિદ્ધ ભગવંતો અને સામાન્ય કેવળજ્ઞાનીઓ પણ વીતરાગ સર્વજ્ઞ અને સર્વપૂજનીય છે. તેથી અરિહંતોની વિશેષતા તેમના માર્ગદર્શકપણામાં છે. મોક્ષમાર્ગનું પ્રથમ ઉપદેશકપણું અરિહંતોના ફાળે જાય છે. જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત જન્મનારા અને દીક્ષા નવકારનો અધિકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy