SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારનો અધિકારી શાસ્ત્રોમાં પંચપરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ઘણો મોટો વર્ણવ્યો છે. એને સર્વ મંત્રરત્નોનું ઉત્પત્તિસ્થાન કહ્યું છે. એને સર્વ શાસ્ત્રોની આદિમાં ઉચ્ચારણ કરવાનું ફરમાન કર્યું છે. એના એકેક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના અનંત રસનો ઘાત થાય છે એમ ફરમાવ્યું છે. સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના સર્વ પરમર્ષિઓને પ્રમાણરૂપ હોવાથી એ મહામંગલસ્વરૂપ છે એમ ભારપૂર્વક પ્રતિપાદન કર્યું છે. પંચ પરમેષ્ઠિનમસ્કૃતિને આ લોક અને પરલોકમાં અનેક પ્રકારનાં વાંછિતો પૂરા પાડનાર તરીકે વર્ણવેલા છે. અર્થને આપનાર પણ એ જ છે, કામને આપનાર પણ એ જ છે, આરોગ્યને આપનાર પણ એ જ છે તથા અભિરતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે. પરલોકમાં સિદ્ધિગમન અથવા દેવલોકગમન અથવા શુભ કુળમાં આગમન અથવા બોધિલાભનું કારણ પણ એને જ કહેલ છે. સર્વ સુખનો પ્રયોજક અને સર્વ દુઃખનો ઘાતક શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર છે એમ તે તે સ્થળોએ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે. ભગવાન હરિભદ્રસૂરિજી “યોગબિન્દુ' નામના ગ્રન્યરત્નમાં ફરમાવે છે કે : अक्षरद्वयमप्येतत्, श्रूयमाणं विधानतः । गीतं पापक्षयायोञ्चैः, योगसिद्धैर्महात्मभिः ॥१॥ યોગ એવા બે અક્ષર પણ વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના લય માટે થાય છે એમ સિદ્ધયોગી એવા તીર્થંકર ગણધરાદિ મહાપુરુષોએ ફરમાવ્યું છે. એ જ શ્લોકની સ્વોપજ્ઞ ટીકામાં તેઓશ્રી ફરમાવે છે કે - अक्षरद्वयमपि किं पुनः पञ्चनमस्कारादीन्यनेकान्यक्षराणीत्यपि शब्दार्थः । एतत् 'योगः' इति शब्दलक्षणं श्रूयमाणमाकर्ण्यमानम् । तथाविधाऽर्थाऽनवबोधेऽपि, विधानतो विधानेन, श्रद्धा संवेगादि शुद्ध भावोल्लासकरकुड्मलयोजनादिलक्षणेन, गीतमुक्तं पापक्षयाय, मिथ्यात्वमोहाद्यकुशलकर्मनिर्मूलनायोच्चैरत्यर्थम् । कैर्गीतमित्याह-'योगसिद्वैः' योगः सिद्धो निष्पन्नो येषां ते तथा तैर्जिनगणधरादिभिः 'महात्मभिः' प्रशस्तभावैरिति ॥ અર્થાતુ - બે અક્ષર પણ અશુભકર્મના અત્યન્ત નિર્મુલન માટે થાય છે તો પછી પંચનમસ્કારાદિ અનેક અક્ષરો માટે તો કહેવું જ શું? “યોગ' એવા બે અક્ષરો સાંભળતાં તેવા પ્રકારના અર્થનું જ્ઞાન ન હોય તો પણ વિધાનપૂર્વક શ્રદ્ધા સંવેગાદિ ભાવોલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવાપૂર્વક મિથ્યાત્વમોહનીયાદિ અશુભ કર્મના અત્યંત નિર્મૂલન માટે થાય છે, એમ નિષ્પન્ન યોગી એવા શ્રી જિન-ગણધરાદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાત્માપુરુષોએ ફરમાવ્યું છે. ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ ઉપરોક્ત નિરૂપણ દ્વારા ફરમાવે છે કે શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારાદિ અનેક અક્ષરો નહિ, કિન્તુ શ્રી જિનવચનાનુસારી “યોગ” એવા બે અક્ષરનું શ્રવણ પણ અત્યંત પાપક્ષય માટે થાય છે. શરત એટલી જ કે તે વિધાનપૂર્વક હોવું જોઈએ. અને વિધાન એટલે શ્રદ્ધા, સંવેગાદિ માનસિક ભાવ અને કરકુમલયોજનાદિ શારીરિક વ્યાપાર. ઉપલક્ષણથી શુદ્ધ ઉચ્ચારણ આદિ વાચિક ક્રિયા તથા પ્રકારના અવબોધ વિના કાયિક, વાચિક અને માનસિક શુદ્ધ ભાવોલ્લાસપૂર્વક શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર આદિ અક્ષરોનું શ્રવણ પણ અતિ ક્લિષ્ટ પાપોના ક્ષયનું ઉચ્ચ કારણ માનેલું છે, તો પછી તથા પ્રકારના અવબોધ સહિત, શુદ્ધ અને સ્પષ્ટ શબ્દોચ્ચાર પૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન, ચિન્તન અને નિદિધ્યાસનાદિ અત્યંત અશુભ કર્મોના ક્ષયનું પરમ કારણ બને તેમાં તો પૂછવું જ શું? નવકારનો અધિકારી ti ૮૫ iff utilipi Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy