SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંતા એ પદનો બીજો સંસ્કૃત પર્યાય ‘પણ થાય છે. જેઓ કામ, ક્રોધ, ષ આદિ અંતરંગ શત્રુઓનો વિનાશ કરે છે તેઓ “ નૂ' કહેવાય છે. શત્રુઓનું દમન અથવા નાશ કરવો એ મહત્ત્વનું કાર્ય છે. એવું મહત્ત્વનું કાર્ય કરનાર શ્રી અરિહંતરૂપી મહાનુભાવ પરમેષ્ઠિઓનું ધ્યાન કરવાથી મહિમાસિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી નવકારનાં “લિકા પદમાં “ગરિમા' સિદ્ધિ સમાયેલી છે. તેનાં કારણો: (૧) “હા એ પદ ગુરુ માત્રાઓથી બનેલું છે અને પોતાના સ્વરૂપથી જ ગુરુભાવ એટલે ગરિમાનો સૂચક છે, તેથી તેનું ધ્યાન અથવા જપ “ગરિમા' સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. (૨) “સિદ્ધિ પદ એટલે મોક્ષ. મોક્ષમાં ગયેલા જીવો સિદ્ધ કહેવાય છે. સિદ્ધિ પદ બધાથી મોટું છે, તેથી સિદ્વિપદમાં સ્થિર મહાત્માઓના ધ્યાનથી ગરિમા' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) સિદ્ધિદાયક પદોમાં “સિલા એ પદ ત્રીજું છે, તેથી પણ તે ત્રીજી “ગરિમા' સિદ્ધિ આપવાવાળું છે. શ્રી નવકારના “કારિયા' એ પદમાં “ધના' સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો - (૧) “નવું શબ્દને ભાવાર્થક “ઈમનુ” પ્રત્યય લગાડવાથી “ધિકા' શબ્દ બને છે. આચાર્યોનો એ સ્વભાવ છે કે ઉપદેશ વગેરે દ્વારા બીજાઓને પ્રતિબોધ કરવો, તેથી લોકમાં રહેલા ઉપદેશ્ય વર્ગ તરફ તેઓ સદા લાઘવ સ્વભાવથી જોનારા છે. લાઘવ સ્વભાવથી જોનારા આચાર્યોના ધ્યાનથી થના ' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૨) આચાર્યો સમસ્ત જગતને શિક્ષા દેવાવાળા છે અને તેઓની આગળ સમસ્ત જગત લઘુ એટલે શિક્ષા લેવા યોગ્ય છે. આચાર્યોનું શિક્ષાદાનપણું તેઓને ગુરુ માનવાથી, તથા જગતનું શિક્ષાગ્રહણપણું પોતાને લઘુ માનવાથી જ સંભવી શકે છે. આચાર્યોનું આરાધન લઘુભાવને જ દયમાં રાખીને થઈ શકે છે, તેથી પણ “માયરિયાણં' એ પદના ધ્યાન અને જપથી લઘિમા' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકારના “વાયા પદમાં “પ્રાપ્તિ' સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો, (૧) ઉપ ', “ ” અને “ગાય” આ ત્રણ શબ્દોથી ઉપાધ્યાય પદ બનેલું છે. તેમાં “પ” અને “ ” એ બને અવ્યય છે તથા મુખ્ય પદ ‘મા’ છે અને તેનો અર્થ “પ્રાપ્તિ થાય છે. ‘૩૫' એટલે સામીપ્રકરણ વગેરે દ્વારા “ ” એટલે અંતઃકરણમાં ધ્યાન કરવાથી, “માય ” એટલે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ જેમનાથી થાય તેઓ ઉપાધ્યાય છે. આ શબ્દાર્થ દ્વારા જ સિદ્ધ થાય છે કે “વજ્ઞાાાં ' એ પદનાં ધ્યાન અને જપથી “પ્રાપ્તિ નામની સિદ્ધિનો લાભ થાય છે. (૨) જેઓની પાસે રહીને અથવા આવીને શિષ્યો અધ્યયન કરે તેઓને “ઉપાધ્યાય' કહેવાય છે. અથવા પાસે રહેલા કે આવેલા સાધુઓને સિદ્ધાન્તનું અધ્યયન કરાવે તેઓ “ઉપાધ્યાય' કહેવાય છે. અથવા જેઓની પાસે નિવાસ કરવાથી શ્રુતનો લાભ થાય તેઓને “ઉપાધ્યાય' કહેવાય છે. એ રીતે આરાધનારૂપ સામીપ્યકરણથી શ્રુતનો લાભ કરાવનાર ઉવાયા' એ પદના જપ અને ધ્યાનથી “પ્રાપ્તિ' નામની સિદ્ધિનો લાભ થાય છે. શ્રી નવકારના “સવ્વસાહૂ એ પદમાં “પ્રાકામ્ય' સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો - (૧) સાધુઓને કોઈ પણ જાતની કામના હોતી નથી. તેઓ હંમેશાં પૂર્ણ ઇચ્છાવાળા હોય છે. પૂર્ણકામ હોવાના કારણે તેઓનું ધ્યાન કરવાથી ધ્યાન કરનારને પણ પૂર્ણકામતા અથવા “પ્રાકામ્ય' સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) જેઓ બીજાનાં કાર્યોને સિદ્ધ કરે તેઓ સાધુ કહેવાય છે. “સાધુ' શબ્દનો આ અર્થજ એ વાતને પ્રગટ કરે છે કે સાધુજન બીજાઓની કામના તથા કાર્યોને પૂર્ણ કરે છે. તેથી ‘ દૂi એ પદના ધ્યાનથી “પ્રાકામ્ય' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકારના “નકુવા ' એ પદમાં “ઈશિત્વ' સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો - (૧) “ગ્ન’ શબ્દથી પંચપરમેષ્ઠિનું ગ્રહણ થાય છે. પરમ એટલે સર્વથી શ્રેષ્ઠ એવા સ્થાન પર સ્થિત, તેને સર્વોત્કૃષ્ટભાવમંગલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy