SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પરમેષ્ઠીઓને નમસ્કાર સ્વરૂપ પ્રધાન વિનયગુણના પાલન વિનાનું જ્ઞાન, ધ્યાન કે સંયમ એ સર્વ પ્રધાન મોક્ષસુખ આપવાને સમર્થ થઈ શકતું નથી. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ જેમ પ્રધાન વિનય ગુણના પાલન સ્વરૂપ છે, તેમ પ્રધાન ગુણોના બહુમાન સ્વરૂપ પણ છે. ગુણબહુમાન એ ચિત્તનો અચિજ્ય શક્તિયુક્ત ધર્મ છે. ગુણ બહુમાનના આશયવાળું ચિત્ત થોડા જ સમયમાં સર્વ પ્રકારની અશુદ્ધિ અને દોષોથી રહિત બની જાય છે. કાચી માટીના ઘડામાં ભરેલું પાણી જેમ પ્રતિક્ષણ ઘટનો નાશ કરનારું થાય છે, તેમ ચિત્તરૂપી કુંભમાં રહેલું ગુણબહુમાનરૂપી જલ ચિત્તના દોષો અને મલિનતાનો પ્રતિક્ષણ ક્ષય કરનારું થાય છે. ગુણબહુમાનને ધારણ કરનાર માનસિકભાવ જેમ અચિન્હ પ્રભાવસંપન્ન છે, તેમ ગુણબહુમાનને વ્યક્ત કરનારી વાચિક અને કાયિક ચેષ્ટાઓ પણ અચિજ્ય પ્રભાવસંપન્ન બની જાય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમાં એ ત્રણ વસ્તુઓ રહેલી છે. મનથી નમવાનો ભાવ, વચનથી નમવાના શબ્દ અને કાયાથી નમવાની ક્રિયા. એ રીતે જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ ત્રિવિધ ક્રિયાથી યુક્ત શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર પાપધ્વંસ અને કર્મક્ષયના અનન્ય સાધનરૂપ બની જાય છે, તેથી તે સર્વોત્કૃષ્ટ ભાવમંગલસ્વરૂપ છે. અને તેથી જ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારની ચૂલિકામાં ફરમાવ્યું છે કે – एष पंचनमस्कारः, सर्वपापप्रणाशनः । मंगलानां च सर्वेषां, प्रथमं भवति मंगलम् ॥१॥ પાંચ પરમેષ્ઠિઓએ કરેલો આ નમસ્કાર, સર્વ પાપોનો પ્રકર્ષે કરીને નાશ કરનારો છે તથા સર્વમંગલોમાં પ્રથમ-પ્રધાનસર્વોત્કૃષ્ટ મંગળસ્વરૂપ છે. શ્રી નમસ્કાર મંત્રમાં આઠ પ્રકારની સિદ્ધિઓ શ્રી નવકારમંત્ર સર્વોત્કૃષ્ટ ભાવમંગલસ્વરૂપ છે, તેનું બીજું એક કારણ એ પણ ગણાય કે એ નવકારનાં પદોમાં આઠ મહાસિદ્ધિઓ છૂપાયેલી છે. જેમકે શ્રી નવકારના પ્રથમ “નમો પદમાં અણિમા સિદ્ધિ રહેલી છે. જેના મુખ્ય કારણો નીચે મુજબ છે. ૧. “નનો’ પદ સંસ્કૃતના ‘નમઅવ્યયથી બને છે અને “નમ ના “નમ્ ધાતુને “અહુ પ્રત્યય લગાડવાથી બને છે. “મેં ધાતુનો અર્થ નમવું એવો થાય છે અને “નમવું” અથવા “નમ્રતા ધારણ કરવી” એ મનોવૃત્તિનો ધર્મ છે. નમવાની મનોવૃત્તિ સર્વથી સૂક્ષ્મ મનાયેલી છે, તેથી તેનો પદનું ધ્યાન “અણિમા' સિદ્ધિને પમાડનાર થાય છે. ૨. સંસ્કૃતના “નવું શબ્દના આદિ તથા મધ્ય અક્ષરનો વ્યત્યય કરવામાં આવે તો “મનસ્' શબ્દ થાય છે પ્રાકૃતમાં એ રીતે અક્ષરોનો વ્યત્યય પણ થાય છે. હવે મનોગતિનું અતિસૂક્ષ્મપણું હોવાથી “નમો પદના ધ્યાનથી “અણિમા' સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૩. ‘ળમાં' શબ્દ ‘જુ' શબ્દના ભાવ અર્થમાં બનેલો છે. પ્રાકૃત શૈલીથી “ગમ' શબ્દથી “નો શબ્દ બની શકે છે. તે આ પ્રમાણે પુરૂT માંથી “નો “૪' કાર “ પાછળ લઈ જવાથી “ો થઈ જાય છે અને આદિનો ' કાર “જુ' કાર પાછળ લેવાથી “' કાર પૂર્ણ થાય છે, તેથી જો પદ બન્યું. “રૂ કારનો લોપ કરવાથી “જનો પદ બાકી રહે છે. પ્રાકૃતમાં “વહુનનું સૂત્રથી સ્વરસંધિ-લિંગ-ધાતુ અર્થ વગેરેનો વ્યત્યય માનેલો છે. એ રીતે ગણિત શબ્દ ઉપરથી બનેલા “નો' પદના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી નવકારના ‘રિહંતા પદમાં નહિમા સિદ્ધિ સમાયેલી છે. તેનાં કારણો - ૧. ‘રિહંતાણં' એ પ્રાકૃત પદનો સંસ્કૃત પર્યાય “સર્ણતાનું છે. “બઈનાયાનું અથવા “ઈ-પ્રશંસાયાનું એ ધાતુથી “દંત' શબ્દ બને છે. જેઓ પૂજા અને પ્રશંસા કરવા યોગ્ય છે તેઓ “દંત કહેવાય છે. પૂજા અને પ્રશંસાનો હેતુ અરિહંતોનું મહત્ત્વ અથવા મહિમા છે. એવા મહિમાથી યુક્ત અરિહંતોનું ધ્યાન કરવાથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. સત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Tricks Jain Education International For Private & Personal Use Only www.jamentorary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy