SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વેઢાને વિષે નવ ફેરા એટલે કુલ ૧૦૮ વાર નવકારમંત્ર જપે તેને પિશાચ આદિ વ્યંતરો ઉપદ્રવ કરે નહીં. બંધન આધિ સંકટ હોય તો નંદ્યાવર્તને બદલે તેથી અવળા શંખાવર્તથી અથવા મંત્રના અક્ષરોના કિંવા પદોના વિપરીત ક્રમથી નવકારમંત્રનો લક્ષ (એક લાખ) આદિ સંખ્યા પ્રમાણ જપ કરવો જેથી શીધ્રપણે ફૂલેશનો નાશ થાય. કમળબંધજપ અથવા હસ્તજપ કરવાની શક્તિ ન હોય તેણે સૂત્ર-રત્ન-રુદ્રાક્ષ-ઈત્યાદિકની જપમાલા પોતાના હ્રયની સમશ્રેણિમાં પહેરેલાં વસ્ત્ર કે પગને સ્પર્શ કરે નહીં એવી રીતે ધારણ કરવી અને મેરુનું ઉલ્લંઘન ન કરતાં વિધિપ્રમાણે જપ કરવો, કહ્યું છે કે અંગુલીના અગ્ર ભાગથી, વ્યગ્રચિત્તથી તથા મેરુના ઉલ્લંઘનથી કરેલો જપ પ્રાયઃ અલ્પ ફળને આપે છે. લોકસમૂહમાં જપ કરવા કરતાં એકાંતમાં કરવો તે મંત્રાલરના ઉચ્ચાર કરીને કરવા કરતાં મૌનપણે કરવો તે અને મૌનપણે કરવા કરતાં પણ મનની અંદર કરવો તે શ્રેષ્ઠ છે. એ ત્રણે જપમાં પહેલાં કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો શ્રેષ્ઠ જાણવો. જપ કરતાં થાકી જવાય તો “ધ્યાન કરવું અને ધ્યાન કરતાં થાકી જવાય તો “જપ કરવો તેમ જ તે બે કરતાં થાકી જવાય તો “સ્ત્રોત્ર” કહેવું. શ્રી પાદલિપ્તસૂરિજીએ પોતે કરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં કહ્યું છે કે – માનસ ઉપાંશુ અને ભાષ્ય એવા જપના ત્રણ પ્રકાર છે. તેમાં કેવળ મનોવૃત્તિથી જ ઉત્પન્ન થયેલો અને માત્ર પોતાથી જ જાણી શકાય તે માનસજપ, સંભળાય નહીં તેવી રીતે અંદર બોલવું તે ઉપાંશુજા તથા બીજાથી સંભળાય તેવી રીતે કરવો તે ભાષ્યજ૫. એમાં પહેલો શાંતિ આદિ ઉત્તમ કાર્યો માટે, બીજો પુષ્ટિ આદિ મધ્યમ કાર્યો માટે તથા ત્રીજો અભિસાર-જારણ-મારણ આદિ અધમ કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે છે. માનસજપ યત્નસાધ્ય છે અને ભાષ્યજપ અધમ ફળ આપનારો છે માટે સાધારણ હોવાથી ઉપાંશુજપનો જ ઉપયોગ કરવો. નવકારના પાંચ અથવા નવપદ અનાનુપૂર્વીથી અર્થાત્ વિપરીતક્રમથી પણ ચિત્તની એકાગ્રતાને માટે ગણાય છે. નવકારનો એકએક અક્ષર કે એકએક પદનો જપ પણ ઘણાં જ ફળને આપનારો થાય છે. યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે પંચપરમેષ્ઠીના નામથી ઉત્પન્ન થયેલી સોળ અક્ષરની વિદ્યા છે તેના બસો જપ કરે તો ઉપવાસનું ફળ મળે. ‘રિહંત સિદ્ધ ગાય વર્ષીય સાહૂ એ સોળ અક્ષર જાણવા. તેમજ ભવ્યજીવ ત્રણસોવાર “રંતલ' એ છ અક્ષરના મંત્રને, ચારસોવાર “રિહંત' એ ચાર અક્ષરનામંત્રને અને પાંચસોવાર “અ” વર્ણના મંત્રને ચિત્તની એકાગ્રતાથી જપે તો ઉપવાસનું ફળ પામે. આ ફળ કેવળ જીવની પ્રવૃત્તિ કરવાને અર્થે જ છે. પરમાર્થથી તો નવકારજપનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. વળી કહ્યું છે કે નાભિકમળ સર્વતોમુખી “અ”કાર, શિરડકમળ “જિ” કાર, મુખકમળે ‘આ’ કાર, ર્દયકમળે ‘કાર અને કંઠકમળને વિષે “સા'કાર રહેલો છે એમ ધ્યાન કરવું તથા બીજા પણ સર્વકલ્યાણ કરનારા મંત્રબીજ ચિંતવવાં. આ લોકના ફળની ઈચ્છા કરનારાએ “ઓ' કાર સહિત પાઠ કરવો અને નિર્વાણપદની અભિલાષાવાળાએ “ઓ' કાર રહિત કરવો એ રીતે ચિત્ત સ્થિર થવાને માટે એ મંત્રના વર્ણ અને પદ અનુક્રમે જુદા કરીને પણ જપ થાય છે. શાસ્ત્રોમાં જપ વગેરેનું ઘણું ફળ કહ્યું છે. જેમકે पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकाटिसमो जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ।। ક્રોડો પૂજા સમાન એક સ્તોત્ર છે, ક્રોડો સ્તોત્રો સમાન એક જપ છે, ક્રોડો જપ સમાન એક ધ્યાન છે અને ક્રોડો ધ્યાન સમાન એક લય છે. લય એટલે ચિત્તની લીનતા, એકાગ્રતા, સ્થિરતા કે સ્વરૂપરમણતા અને એ જ ધ્યાનની સર્વોત્તમ ટોચ છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy