SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નમરકારનું ધ્યાન ધ્યાન કોને કહેવાય? મનુષ્યજીવનમાં યા કોઈ પણ પ્રાણીના જીવનમાં “ધ્યાન એ મુખ્ય વિષય છે. કોઈ પણ પ્રાણી કોઈ પણ ક્ષણે કોઈ પણ પ્રકારના ધ્યાન સિવાય રહી શકતો નથી. “ઉપયોગ” એ જીવનું લક્ષણ છે અને તે જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં ધ્યાન અવશ્ય હોય છે. અસંજ્ઞી (મન વિનાના પ્રાણીઓ)નું એ ધ્યાન અવ્યક્ત હોય છે અને સંજ્ઞી (મનવાળા) પ્રાણીઓનું ધ્યાન વ્યક્તિ હોય છે. વ્યક્તધ્યાનને શાસ્ત્રોમાં બે પ્રકારે વહેંચવામાં આવ્યું છે. અસ્થિર ચિત્તે થતું ધ્યાન એ ભાવના, અનુપ્રેક્ષા યા ચિન્તવના કહેવાય છે અને સ્થિર ચિત્તે થતું ધ્યાન એ ધ્યાન” કહેવાય છે. એ ધ્યાનના શુભ અને અશુભ બે વિભાગ પડી જાય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ શુભધ્યાનના પેટા વિભાગો છે તથા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ અશુભધ્યાનના પેટા વિભાગો છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ આત્માને કવચિત થાય છે, જ્યારે પ્રત્યેક સંસારી પ્રાણીનો મોટો કાળ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જ પસાર થાય છે. પ્રાણીઓનાં સુખદુઃખનો આધાર તેના ચિત્તની પરિણતિ ઉપર છે અને એ ચિત્તપરિણતિનું જ બીજું નામ ધ્યાન છે. કહ્યું છે કે चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥१॥ રાગાદિથી યુક્ત ચિત્ત એ જ સંસાર છે અને રાગાદિ-વિયુક્ત ચિત્ત એ જ મોક્ષ છે. ધ્યાનનો સુખ દુખ સાથે સંબંધ સંસાર અને મોક્ષનો સંબંધ ધ્યાનની સાથે પરમ્પરાએ છે, પરન્તુ સુખ અને દુઃખનો સંબંધ તો ધ્યાનની સાથે સાક્ષાત્ છે. આત્મા સુખી છે કે દુઃખી છે તેનું માપ તેના ધ્યાન પરથી નીકળી શકે છે. બાહ્ય કષ્ટના પ્રસંગોએ પણ શુભ ધ્યાનવાળા આત્માઓ સુખનો અનુભવ કરતા દેખાય છે અને બાહ્ય સુખોપભોગની સામગ્રીવાળા આત્માઓ પણ (અશુભ ધ્યાનથી) ચિન્તાગ્રસ્ત અને દુઃખી દશાવાળા અનુભવાય છે. સુખ-દુઃખનું કારણ બાહ્ય સ્થિતિ નથી કિન્તુ આન્તરિક ધ્યાન છે, એ વાત સત્ય હોવા છતાં પણ આન્તરિક ધ્યાનનો મુખ્ય આધાર બાહ્યસ્થિતિ ઉપર રહેલો હોય છે, એ કારણે સારી યા નરસી બાહ્યસ્થિતિને પણ વ્યવહારમાં સુખી યા દુઃખી સ્થિતિ કહેવાય છે. પરંતુ વ્યવહારનું એ વચન એકદેશીય છે. એકદેશીય વચનોને સર્વદેશીય વચનો તરીકે સ્વીકારી લેવાથી જ, તત્ત્વના વિષયમાં અનેક પ્રકારની ભ્રાન્તિઓ ઊભી થવા પામે છે. સુખ-દુઃખના વિષયમાં એ જાતિની ભ્રાન્તિ ઉત્પન્ન થવા ન પામે એ ખાતર સુખ-દુઃખનું આંતરિક અને સાચું કારણ ધ્યાન સિવાય બીજું એક પણ નથી એનો નિર્ણય પ્રથમ ફરી લેવો જોઈએ. વિષયોમાં શુભાશુભની કલ્પના જીવનું લક્ષણ “ઉપયોગી છે, “ઉપયોગ” એ જ્ઞાનાત્મક છે, જ્ઞાન વિષયાત્મક છે અને વિષય શુભ-અશુભ ઉભયાત્મક છે. શુભ વિષયનું જ્ઞાનદ્વારા વેદન કરતી વખતે આત્મા સુખને અનુભવે છે અને અશુભ વિષયનું જ્ઞાનદ્વારા વેદન કરતી વખતે આત્મા દુઃખને અનુભવે છે. વિષયોમાં શુભ-અશુભની કલ્પના જેટલા પ્રમાણમાં તીવ્ર હોય છે તેટલા પ્રમાણમાં સુખ-દુઃખના વેદનનો રસ પણ તીવ્ર હોય છે. જેમ જેમ વિષયોમાં શુભ-અશુભની કલ્પનાઓ વિરામ પામતી જાય છે, તેમ તેમ સુખ-દુઃખનું વેદન પણ મંદ રસવાળું બનતું જાય છે. વિષયોમાં શુભાશુભની કલ્પનાઓનો સર્વથા વિરામ થાય તેની સાથે રાગદ્વેષાત્મક સુખદુઃખાનુભવનો પણ વિરામ થાય છે અને એ વિરામ થયો એની સાથે જ શ્રી વીતરાગ દશાના સત્ય સુખનો એકાન્તિક, આત્મત્તિક અને અવિનશ્વરપણે સાક્ષાત્કાર થાય છે. ૭૪. આ તૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy