________________
આથી એ સિદ્ધ થાય છે કે, સત્ય સુખની પ્રાપ્તિનો ઉપાય વિષયોમાં શુભાશુભની કલ્પનાઓનો સર્વથા વિરામ છે. જ્યાં સુધી જડ વિષયોમાં શુભાશુભની કલ્પના છે ત્યાં સુધી શુભ વિષય પ્રત્યેનો રાગ અને અશુભ વિષય પ્રત્યેનો દ્વેષ નાશ પામનાર નથી. રાગ-દ્વેષ એ જ ચિત્તસંક્લેશનાં પરમ નિમિત્ત છે અને સંક્લિષ્ટ ચિત્તવાળા આત્માઓ નિરાબાધ સુખનો અનુભવ કરી શકે એ વાત જ શક્ય નથી. આથી અવિચ્છિન્ન સુખાનુભવમાં બાધા ઉત્પન્ન કરનાર ચિત્તનો જે સંક્લેશ છે તેના નાશનો ઉપાય શોધવો જોઈએ.
વિષયો પ્રત્યેની અનાદિકાલીન શુભાશુભ કલ્પનાઓના વિલય અર્થે શ્રી જિનશાસનમાં અનિત્યત્વાદિ બાર ભાવનાઓ ઉપદેશેલી છે. એ ભાવનાઓના પરિશીલન દ્વારા (જડ-ચેતન) પદાર્થ સંબંધી મિથ્યા કલ્પનાઓ નાશ પામે છે અને પદાર્થ જેવા આકારે છે તેવા આકારે સમજાય છે. એ સમજથી ચિત્ત સ્થિર થાય છે અને એવા સ્થિર ચિત્તવડે કરેલું ધ્યાન, ધ્યાનના સમયે પણ અપૂર્વ સુખનો અનુભવ કરાવે છે. એટલું જ નહિ પણ એવું સ્થિર ચિત્તે કરેલું ધ્યાન ઉત્તરોત્તર શુભધ્યાનની વૃદ્ધિ કરાવી આત્માની જ્ઞાનચેતનાનો સંપૂર્ણ વિકાસ કરે છે. ચૈતન્યના ત્રણ વિભાગો
કર્મબદ્ધ આત્માનું ચૈતન્ય ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છેઃ જ્ઞાનચૈતન્ય, કર્મ ચૈતન્ય અને કર્મફલ ચૈતન્ય આ ત્રણ પ્રકારનાં ચૈતન્યોમાં કોઈ પણ એક પ્રકારના ચૈતન્યનો અનુભવ આત્મા સદાય કર્યા કરે છે. આત્માની બોધપરિણતિ એ જ્ઞાનચૈતન્ય છે, રાગદ્વેષાત્મક પરિણતિ એ કર્મ ચૈતન્ય છે. અને સુખ દુઃખાત્મક પરિણતિ એ કર્મફલ ચૈતન્ય છે. આત્માનો પ્રત્યેક જ્ઞાન તેને રાગદ્વેષાત્મક સુખદુઃખાનુભવ કરાવનારું થતું નથી, પણ ઈનિષ્ટપદાર્થવિષયક જ્ઞાન જ સુખદુઃખનો અનુભવ કરાવનાર થાય છે.
આહારાદિ ઇષ્ટ પદાર્થો અને વિષકંટકાદિ અનિષ્ટ પદાર્થો કરતાં પણ ઈષ્ટ નહિ અને અનિષ્ટ પણ નહિ એવા-સમુદ્રના મધ્ય ભાગનું જળ આદિ પદાર્થોની સંખ્યા ઘણી મોટી છે. તેનું જ્ઞાન આત્મામાં રાગ યાષ બેમાંથી કોઈ પણ પ્રકારની લાગણી ઉત્પન્ન કરતું નથી. તેથી રાગદ્વેષાત્મક સુખ યા દુઃખનો પણ અનુભવ થતો નથી, કિન્તુ મધ્યસ્થવૃતિ રહે છે અને એ મધ્યસ્થવૃત્તિ જ સર્વ સુખના પુંજરૂપ આત્માની જ્ઞાનાખ્ય ચેતના છે. ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ એ કર્યાખ્ય ચેતના છે અને ઇષ્ટપ્રાપ્તિ વખતે સુખાનુભવ અનિષ્ટના સંયોગ વખતે દુઃખાનુભવ એ કર્મફલાખ ચેતના છે. એ ત્રણ પ્રકારની ચેતનામાં એક માત્ર જ્ઞાનાખ્ય ચેતના જ ઉપાદેય છે અને તેની પ્રાપ્તિ માટે કર્યાખ્ય ચેતના અને કર્મફલાખ ચેતના કદી પણ ઉદ્ભવ ન પામે એવો ઉપાય કરવાની આવશ્યકતા છે. એ ઉપાયનું નામ ભાવના અને ધ્યાન છે. સાલંબન ધ્યાન પવિત્ર પદોથી
અસ્થિર ચિત્તને સ્થિર કરવાનું કાર્ય શુભ ભાવનાઓ કરે છે અને સ્થિર થયેલા ચિત્તને વધુ સ્થિર કરવા માટેનું કાર્ય શુભધ્યાન દ્વારા સિદ્ધ થાય છે. શુભધ્યાન સાલંબન અને નિરાલંબન બે પ્રકારે છે. તેમાં પણ સાલંબનધ્યાનના અભ્યાસ વિના નિરાલંબનધ્યાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. બીજા શબ્દોમાં સાલંબનધ્યાનનો પરિપાક એ જ નિરાલંબનધ્યાન છે. સાલંબનધ્યાન શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં દર્શાવ્યાં છે. તેમાં પણ પવિત્ર પદોનું આલંબન લઈને જે ધ્યાન કરાય છે. તેનો મહિમા યોગગ્રંથોમાં ઘણો વર્ણવેલો છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સ્વરચિત શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે
यत्पदानि पवित्राणि, समालम्ब्य विधीयते । तत्पदस्थं समाख्यातं, ध्यानं सिद्धान्तपारगैः ॥१॥
સિદ્ધાન્ત-સાગરના પારંગત પુરુષોએ પદસ્થ ધ્યાન તેને કહેલું છે કે જે ધ્યાન પવિત્ર પદોનું આલંબન અંગીકાર કરીને કરવામાં આવે છે.
એ પવિત્ર પદોમાં શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારમંત્રના અડસઠ અક્ષરો અતિશય પવિત્ર છે. એ અડસઠ અક્ષરો નવ પદ અને આઠ સંપદામાં વહેંચાયેલા છે. તેને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીએ નિરન્તર ગણવાથી
N નમસ્કારનું ધ્યાન
૫
. ૭૫
N
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org