________________
આગમની મધ્યે રહેલ, મિથ્યાત્વ દોષથી ઉપહત બુદ્ધિવાળા જીવોથી પરિકલ્પિત કુભણિત (કુવચન) અને અઘટિત (અયુક્ત) અશેષ હેતુ દષ્ટાંત અને યુક્તિઓનો વિધ્વંસ કરવા માટે અત્યન્ત સમર્થ, પાંચ અધ્યયન અને એક ચૂલાપરિમાણ, પ્રવર પ્રવચનદેવતા વડે અધિષ્ઠિત જે પંચમંગલમહાશ્રુતસ્કંધ છે, તેનું પહેલું અધ્યયન રમો અરિહંતાણં ' કે જે ત્રણપદ, એક આલાપક અને સાત અક્ષરથી યુક્ત, અનંત ગમ, પર્યવ અને અર્થનું પ્રસાધક, સર્વ મહામંત્રો અને પ્રવર વિદ્યાઓનું પરમબીજભૂત છે તેને ભણવું જોઈએ અને તે દિવસે આયંબિલથી પારવું જોઈએ. તેજ રીતે બીજે દિવસે અનેક અતિશયો અને ગુણસંપદાઓથી યુક્ત, અનંતર કહેલ અર્થનું પ્રસાધક, અનંતર કહેલ ક્રમવડે જ બે પદ, એક આલાપક અને પાંચ અક્ષરનાં પરિમાણવાળું “નમો સિદ્ધાણં એ બીજું અધ્યયન ભણવું જોઈએ, તથા તે દિવસે આયંબિલથી પારવું જોઈએ. તે જ રીતે ત્રીજે દિવસે અનેક અતિશય અને ગુણોની સંપદાઓથી યુક્ત, અનંતર ભણિત અર્થને સાધનારું, અનંતર કહેલ ક્રમવડે જ, ત્રણ પદ, એક આલાપક અને સાત અક્ષર પરિમાણવાળું ‘નમો મારા ' એ ત્રીજું અધ્યયન આયંબિલ વડે ભણવું જોઈએ. તે જ રીતે અનંતર કહેલ અર્થને સાધનારું ત્રણ પદ, એક આલાપક અને સાત અક્ષરના પરિમાણવાળું “નમો ઉવજ્ઞાયા ? એ ચોથું અધ્યયન ભણવું જોઈએ. અને તે દિવસે આયંબિલથી પારવું જોઈએ. એ રીતે “નમો ની સંધ્યાહૂi I’ એ પાંચમું અધ્યયન પાંચમે દિવસે આંબિલ વડે ભણવું જઈએ. તે જ રીતે તે અર્થને અનુસરનારી અગિયાર પદ, ત્રણ આલાપક અને તેત્રીસ અક્ષર પરિમાણવાળી “ો પંઘ નકુવો , સવ્વપાવપૂVIIણો | માતા ઘ સવ્વલં, પઢમં હેવ મંર્તિ ” ચૂલિકાને છઠ્ઠા, સાતમા અને આઠમા દિવસે તે જ ક્રમ વિભાગ વડે આયંબિલથી ભણવી જોઈએ.
એ રીતે પંચમંગલમહાશ્રુતસ્કંધ, સ્વર, વર્ણ, પદ, અક્ષર, માત્રા તથા બિંદુવડે વિશુદ્ધ, મોટા ગુણોથી યુક્ત એવા ગુરુના ઉપદેશ મુજબ સંપૂર્ણપણે અધ્યયન કરીને તેવી રીતે કરવું જોઈએ કે જેથી પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે જીભના અગ્રભાગ ઉપર રમી રહે-અત્યન્ત રૂઢ થઈ જાય.
ત્યાર બાદ તે જ અનંતર કહેલ તિથિ-કરણ-મુહૂર્ત-નક્ષત્ર-યોગ-લગ્ન અને ચંદ્રબળ હોય ત્યારે જંતુવિરહિત સ્થળે, ચૈત્યાલયાદિના ક્રમ વડે, અઢમ ભક્ત (ત્રણ ઉપવાસ) કરીને સમ્યક પ્રકારે અનુજ્ઞા મેળવીને મોટા પ્રબંધવડે સુપરિસ્ફટ, નિપુણ અને અસંદિગ્ધપણે સૂત્ર તથા અર્થને હે ગૌતમ ! અનેક પ્રકારે સાંભળીને ધારણ કરવા. હે ગૌતમ! આ વિધિથી પંચમંગલમહાશ્રુતસ્કંધનું વિનયપૂર્વક ઉપધાન કરવું જોઈએ.”
(પદાનુસારિલબ્ધિવાળા છેલ્લા દશપૂર્વી શ્રી વજસ્વામિજી વડે લખાયેલ “શ્રી મહાનિથીથ સૂત્ર' પંચમ અધ્યયન અંતર્ગત આલાપકનો ગુજરાતી અનુવાદ). ઉપદેશક અને ઉત્તરસાઇક
સામાન્ય મત્ર-તત્રાદિને સિદ્ધ કરવા માટે પણ તે તે મંત્રોના કલ્પો આદિ મુજબ તપ, જપ, ક્રિયા, આસનાદિ કરવાં પડે છે. એટલું જ નહિ પણ ઘોર ઉપસર્નાદિકને પણ સહવા પડે છે અને તો જ તે સિદ્ધ થાય છે, તો પછી આ જન્મ અને જન્માન્તરોમાં અપૂર્વ લાભને આપનાર શ્રી નમસ્કારાદિ સૂત્રો, કે જે મહામંત્ર તુલ્ય છે, તેને સિદ્ધ કરવા માટે આકરી તપશ્ચર્યાદિનું વિધાન કરવામાં આવે તે કોઈ પણ રીતિએ અઘટિત નથી. મંત્રાદિકની સિદ્ધિમાં સહાયક થનાર જેમ ઉપદેશક અને ઉત્તરસાધકાદિની જરૂર પડે છે, તેમ અહીં પણ ઉપદેશકાદિની જગ્યાએ તેવા પ્રકારની યોગ્યતાવાળા ગુરુઓ અને ઉત્તરસાધકની જગ્યાએ તે તપની આરાધના કરવા તથા કરાવવા ઉઘુક્ત થયેલા સાધર્મિક બધુઓ છે. તેઓની સહાયથી જ ઉપધાન જેવું મહત્ કાર્ય વિપ્ન રહિતપણે સિદ્ધ થાય છે. ચિત્તની એકાગ્રતા ક્યારે થાય ? વર્તમાનમાં શ્રી નવકાર ગણનાર કે નહિ ગણનાર લગભગ સર્વની મુખ્ય ફરિયાદ એ છે કે-“શ્રી
2 લોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org