SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર :- સાધુ આદિના દાનમાં પણ દાનકૃત ઉપકાર-અપકારથી ફળની પ્રાપ્તિ થતી નથી, કિન્તુ પરાનુગ્રહરૂપ સંકલ્પ માત્રથી જ દાતાને ફળની નિષ્પત્તિ થાય છે. અન્યથા સાધુ આદિએ ભોજન કર્યા બાદ અજીર્ણાદિ થવાથી મૃત્યુ આદિ થાય તેનો દોષ પણ દાતાને લાગવો જોઈએ. પૂજ્યવડે પૂજાનું ગ્રહણ થાય તો જ ધર્મ થાય એવો નિયમ નથી, પણ પૂજ્યની પૂજાથી થતી પરિણામવિશુદ્ધિથી ધર્મ થાય છે. પૂજાનું ગ્રહણ ન થાય તોપણ તે વિશુદ્ધિ અવશ્ય થાય છે. અથવા શ્રી જિનાદિકની કરેલી પૂજાનું ગ્રહણ પણ તેઓ કરે છે. કારણ કે સંપ્રદાન ત્રણ પ્રકારે થાય છે, તેથી ગ્રહણ પણ ત્રણ પ્રકારે થાય છે. જેમ કે-પ્રેરક, અનુમોદક અને અનિષેધક, ત્રણે જુદી જુદી અપેક્ષાએ દાનને ગ્રહણ કરનારા છે. માટે શ્રી જિનાદિક અનિષેધક હોવાથી તેમની પૂજાનું અગ્રહણ જ થાય છે એમ નથી. અથવા શ્રી જિનાદિકની પૂજાથી શ્રદ્ધા, સંવેગ અને પરિણામની વિશુદ્ધિ થતી હોય તો તે પૂજા પરિગૃહીત છે કે અપરિગૃહીત છે એ ચર્ચા જ અનાવશ્યક બની જાય છે. પ્રશ્ન:- શ્રી સિદ્ધાદિકની પૂજાનું ફળ હોઈ શકે નહિ; કારણ કે તેઓ અમૂર્ત છે ચક્ષુવડે જોઈ શકાતા નથી, તો પછી તેઓની પૂજા કેવી રીતે થઈ શકે? ઉત્તર :- શ્રી સિદ્ધપરમાત્માઓ મૂર્તિરહિત અમૂર્ત છે, તેથી તો વિશેષ કરીને પૂજ્ય છે. રત્નત્રયી અમૂર્ત છે છતાં મોક્ષમાર્ગ બની શકે છે. તેમ શ્રી સિદ્ધપરમાત્માઓનું પૂજન પણ આત્માને પરમ ઉપકારક છે. મૂર્તિમાનની મૂર્તિ પૂજાતી નથી. કિન્તુ તેના અમૂર્ત ગુણો જ પૂજાય છે. શ્રી સિદ્ધભગવંતોના ગુણો તો વિશેષ કરીને અમૂર્ત છે તેથી તેઓ વિશેષ પૂજ્ય છે. પ્રશ્ન :- મૂર્તિમાનના ગુણોની પૂજા તદ્ગુણસંબંધને લીધે મૂર્તિની પૂજાથી થઈ શકે છે. શ્રી સિદ્ધ પરમાત્માના ગુણોની પૂજા કેવી રીતે થાય કારણ કે તેઓ અમૂર્ત છે. ઉત્તર - પૂજા મૂર્તિ કે ગુણોને અંગે જે ફળ મળે છે તેમાં સ્વગત પરિણામની વિશુદ્ધિ સિવાય અન્ય કોઈ હેતુ નથી. બાહ્ય અરિહંતાદિ આલંબનના નિમિત્તથી સ્વલ્કયગત જે શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે જ સર્વ ફળ આપે છે. તે પરિણામનો સંબંધ મૂર્તિ સાથે નથી પણ સ્વ-આત્મા સાથે છે, માટે મૂર્તામૂર્તિની ચિન્તા નિરર્થક છે. પ્રશ્ન:- શ્રી સિદ્ધ પરમાત્માઓ અતિશય દૂર હોવાના કારણે તેમની પૂજા કેવી રીતે ફળદાયી થઈ શકે? ઉત્તર :- જેમ દૂર રહેલા બંધુજનને સુખી અગર દુઃખી સાંભળીને આનન્દ અને શોકાદિ સંકલ્પથી દેહપુષ્ટિ અને દેહ દૌર્બલ્યાદિ ફળ થાય છે, તેવી રીતે દૂરસ્થ સિદ્ધાત્માઓ પણ વિશુદ્ધ પરિણામથી ધર્મ માટે અને અશુદ્ધ પરિણામથી અધર્મ માટે થાય છે. આલંબન દૂર હોય કે નજીક હોય, તેથી ફળમાં કાંઈ ભેદ પડતો નથી અથવા તગુણબહુમાનરૂપ શુભ પરિણામ આત્મસ્વભાવરૂપ હોવાથી નજીક છે અને તેનાથી અન્ય જે કાંઈ વસ્તુ છે તે અનાત્મરૂપ હોવાથી દૂર જ છે. પ્રશ્ન - જે સ્વપરિણામથી જ ધર્માધર્મ થાય છે તો પછી અરિહંતાદિ બાહ્ય આલંબનોની શી જરૂર છે? ઉત્તર :- તે શુભ પરિણામ બાહ્ય આલંબનથી જ થાય છે. શુભાશુભ પરિણામ એ ચિત્તનો ધર્મ છે, તેથી તે વિજ્ઞાનની પેઠે હંમેશાં બાહ્ય આલંબનોથી જ પ્રવર્તે છે. એ કારણે મોક્ષમાર્ગમાં બાહ્ય શુભ આલંબનો પરમ આવશ્યક છે. પ્રશ્ન- ગમે તેવા આલંબનથી પણ જેને શુભ પરિણામ થઈ શકતો હોય તેના માટે શુભાશભ આલંબનનો ભેદ પાડવાનું શું પ્રયોજન છે? ઉત્તર- જેમ આલંબનરહિત શુભ પરિણામ થતો નથી તેમ વિપરીત આલંબનથી પણ પ્રાયઃ શુભ પરિણામ થતો નથી, અન્યથા નીલાદિકનું શુક્લાદિરૂપ જ્ઞાન થવું જોઈએ. પ્રશ્ન- અજ્ઞાની અને નિઃશીલ આત્માને શુભ આલંબનરૂપ મુનિપણાથી પણ શુભ પરિમામ જણાતા નથી આ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ ri vss Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy