SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ નમસ્કારનું પ્રયોજન અને ફળ representen કર્મનો ક્ષય અને મંગળનું આગમન એ નમસ્કારનું પ્રયોજન છે. નમસ્કારનું ફળ બે પ્રકારનું છે ઃ આ લોક સંબંધી અને પરલોક સંબંધી. આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ તથા પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ, ઉત્તમ કુળ અને જિનપ્રણિત ધર્મની પ્રાપ્તિ વગેરે ફળો છે. નમસ્કાર સંબંધી સતત ઉપયોગ અને ક્રિયાવડે કર્મક્ષયાદિ ગુણોનો લાભ થાય છે તે ‘અનન્તર-પ્રયોજન' છે અને તેના પરિણામે કાલાન્તરે યા જન્માંતરે અર્થકામાદિની યા સ્વર્ગમોક્ષાદિની પ્રાપ્તિ તે ‘પરમ્પર–પ્રયોજન’ છે. નમસ્કાર એ શ્રુત એટલે આગમરૂપ છે. શ્રુતોપયોગરૂપ આત્મપરિણામ, આત્મહિતપરિક્ષા અને ભાવસંવરાદિ બહુ પ્રકા૨ના લાભવાળો છે, તેથી શ્રુતાત્મક નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય થાય છે. તે રીતે નમસ્કારના ઉપયોગથી પ્રતિસમય કર્મનો ક્ષય થતો હોવાથી તેને સર્વ કાર્યોમાં મંગળરૂપ તથા વિઘ્નવિનાશના અપ્રતિમ કારણ તરીકે માનેલ છે. પ્રશ્ન:- કોપ-પ્રસાદરહિત શ્રી જિન અને શ્રી સિદ્ધ એ પૂજાનું ફળ આપનારા નથી કારણ કે જેઓ પૂજાનું ફળ આપનારા છે તેઓ હંમેશાં રાજા વગેરેની જેમ કોપ-પ્રસાદ સહિત જ દેખાય છે. ઉત્તરઃ- શ્રી જિનો અને શ્રી સિદ્ધો પૂજાનું ફળ આપે છે એવું અમે કહેતા જ નથી. સર્વ જીવોને સ્વર્ગનરકાદિ કે સુખદુઃખાદિક ફળ સ્વકૃત પુણ્ય-પાપના બળે જ થાય છે. પુણ્ય-પાપ યાને ધર્મ-અધર્મ એ અપેક્ષાએ જ્ઞાનાદિકની જેમ આત્માના ગુણો હોવાથી કોઈને આપી શકાય કે કોઈની પાસેથી લઈ શકાય એવા નથી. આત્મગુણો પણ જો આપી કે લઈ શકાતા હોય તો કૃતનાશ, અકૃતાગમ, સાંકર્ય, એકત્વાદિ અનેક દોષો આવીને ઊભા રહે. એ કારણે નમસ્કારનું મુખ્ય ફળ અવ્યાબાધ-સુખરૂપ મોક્ષ છે અને સ્વર્ગાદિ ફળ એ આનુષંગિક ફળ છે. તેમાં મોક્ષરૂપ મુખ્ય ફળ ચૈતન્યાદિ ભાવોની જેમ આત્મપર્યાયરૂપ હોવાથી કોઈને પણ આપી શકાય કે કોઈની પાસેથી પણ લઈ શકાય તેમ નથી. પ્રશ્ન :- મુખ્ય ફળરૂપ મોક્ષ ભલે આત્મપર્યાય હોવાથી આપી કે લઈ શકાય નહિ, કિન્તુ સુંદ૨ ભક્તપાનાદિ યા મનોહર અર્થકામાદિ તો બીજાને આપી શકાય કે લઈ શકાય તેવા છે તો તેને શ્રી જિનો અને શ્રી સિદ્ધો કેવી રીતે આપે છે ? ઉત્તર:-અર્થકામાદિ કે ભક્તપાનાદિ બીજાને આપી શકાય તેવા છે, પણ પૂજાનો પ્રયત્ન ભક્તપાનાદિ માટે હોતો નથી કિન્તુ મોક્ષ માટે જ હોય છે. અથવા ભક્ત પાનાદિ પણ સ્વકૃત કર્મના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. બીજા દાતા તો તેમાં નિમિત્તમાત્ર છે. નિશ્ચયથી કોઈનો કોઈ દાતા પણ નથી અપહર્તા પણ નથી. સુખદુઃખાદિનો અંતરંગ હેતુ કર્મ જ છે. શરીર એ બાહ્ય હેતુ છે. શબ્દાદિ વિષયો, એથી પણ વધારે બાહ્ય હેતુઓ છે અને તેને આપના૨-લેનાર દાતા-અપહર્તાદિ તો અતિશય બાહ્યતર હેતુઓ છે. માટે નિશ્ચયથી કર્મ સિવાય સુખદુઃખનો દાતાર અન્ય કોઈ જ નથી. શ૨ી૨, વિષયો અને તેના આપનાર-લેનાર સુખદુઃખનાં નિમિત્તો કર્મના લીધે જ વ્યવહાર માત્રથી માનેલાં છે, તો પછી રાગદ્વેષરહિત શ્રી સિદ્ધાત્માઓ નમસ્કારના ફળને આપનારા છે એમ કહી જ કેમ શકાય ? પ્રશ્ન :- જો સર્વ શુભાશુભ ફળ સ્વકૃત-કર્મજનિત જ છે તો દાન-અપહરણાદિનું ફળ દાતા-હર્તાને થવું ન જોઈએ ? ઉત્તર ઃ- કર્મ સ્વકૃત છે, તેથી તેનું ફળ દાતા-હર્તાને ધટે છે. દાનાદિ સમયે પરાનુગ્રહ પરિણામ તથા નમસ્કારનું પ્રયોજન અને ફળ Jain Education International For Private & Personal Use Only ૬૩ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy