________________
ગણી, ગચ્છાધારી, અકૂચાન, પ્રવચનધર, ભટ્ટારક, ભગવાન, મહામુનિ, સદ્ગુરુ, કૃતધર આદિ દિવ્ય નામોને ધારણ કરે છે. તેવા આચાર્યોને કરેલો નમસ્કાર પણ શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ પરમાત્માને કરેલા નમસ્કારની જેમ અચિન્હ ફળને આપનારો થાય છે.
શ્રી આચાર્યનમસ્કારનું વર્ણન કરતાં શ્રી નિયુક્તિકાર ભગવાન ફરમાવે છે કે - आयरियनमुक्कारो, जीवं मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१॥ आयरियनमुक्कारो, धन्नाणं भवक्वयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ॥२॥ आयरियनमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिक्षणं कीरइ बहुसो ॥३॥ आयरियनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पटमं हवइ मंगलं ॥४॥
શ્રી આચાર્યભગવંતોને કરેલો નમસ્કાર જીવને હજારો ભવોથી છોડાવે છે અને ભાવપૂર્વક કરાતો તે બોધિના લાભને માટે થાય છે. ૧. આચાર્ય નમસ્કાર ધન્ય પુરુષોને ભવનો ક્ષય કરાવનાર થાય છે તથા હૃદયમાં અનુધ્યાન કરાતો તે ચિત્તના વિસ્ત્રોતસિકાગમનનો નિવારનાર થાય છે. ૨. આચાર્યનમસ્કાર એ રીતે મહાઅર્થવાળો માનેલો છે કે જે મરણાવસર પ્રાપ્ત થવા છતાં નિરન્તર અને વારંવાર કરાય છે. ૩. આચાર્યનમસ્કાર એ સર્વ પાપનો પ્રણાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. શ્રી ઉપાધ્યાય ભગવંતો
ઉપાધ્યાયનું નામ “યુવાવ' અથવા “૩ાા પણ છે. જેની સમીપે શિષ્યો દ્વાદશાંગ સૂત્રોનું અધ્યયન કરે તે ઉપાધ્યાય છે. દ્વાદશાંગ સ્વાધ્યાયકરણમાં ઉપયુક્ત, પાપનું પરિવર્જન કરનાર, ધ્યાનના ઉપયોગમાં તલ્લીન અને કર્મનો વિનાશ કરવામાં ઉદ્યમી ‘કહેવાય છે. “૩ાા ' શબ્દ પણ ઉપયોકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાતુ-શ્રી ઉપાધ્યાયભગવન્તો સદા ઉપયોગી અને નિરન્તર ધ્યાની હોય છે. એ જ રીતે શ્રી ઉપાધ્યાયભગવન્તો આચાર્યપદને યોગ્ય હોય છે, ગુરુના સઘળા ગુણોએ કરીને શોભતા હોય છે અને અગિયાર અંગ તથા બાર ઉપાંગનું અધ્યયનાદિ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલનાદિ કરનાર હોવાથી સદાય પચીસ ગુણોએ કરીને યુક્ત હોય છે. ઉપાધ્યાય, વાચક, પાઠક, અધ્યાપક, શ્રુતવૃદ્ધ, શિક્ષક, સ્થવિર, અપ્રમાદી, સદા નિર્વિષાદી, અદ્ધયાનંદી, આદિ ઉત્તમ નામોને ધારણ કરનારા, નિરન્તર શ્રી જિનાજ્ઞાના પ્રતિપાલક તથા અગણ્ય ગુણોથી વિભૂષિત હોય છે. એવા પૂજ્ય શ્રી ઉપાધ્યાય ભગવંતોને કરેલો નમસ્કાર, હૃયના દુર્ગાનાદિને દૂર કરી નાખે છે અને સર્વ મનોવાંછિત સુખોને મેળવી આપે છે.
શ્રી ઉપાધ્યાયનમસ્કાર સંબંધમાં નિર્યુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહસ્વામીજી મહારાજ ફરમાવે છે કેउवज्झायनमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो, होई पुणो बोहिलाभाए ॥१॥ उवज्झायनमुक्कारो, धन्नाणं भवक्वयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ॥२॥ उवझायनमुक्कारो, एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ॥३॥ उज्झायनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥४॥
ઉપાધ્યાય નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે અને ભાવપૂર્વક કરાતો તે બોધિલાભને માટે થાય છે. ૧. ઉપાધ્યાયનમસ્કાર ધન્ય પુરુષોને ભવક્ષયને માટે થાય છે તથા દયમાં અનુસ્મરણ કરાતો તે અપધ્યાનને નિવારનારો થાય છે. ૨. આ ઉપાધ્યાયનમસ્કાર મહાર્થવાળો છે એમ વર્ણવાયેલ છે તથા જે મરણ પ્રાપ્ત થયા છતાં નિરન્તર અને વારંવાર કરાય છે. ૪. ઉપાધ્યાયનમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે. અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ૪
નમસ્કારની વસ્તુ
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org