SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કોઈ ગામડિયો બહુ પ્રકારના નગરગુણોને જાણવા છતાં ઉપમાના અભાવે તેને કહી શકતો નથી, તેમ સિદ્ધોના સુખની કોઈ ઉપમા નહિ હોવાથી તેને કહી શકાતું નથી તોપણ કાંઈક સમજમાં આવે તે ખાતર શાસ્ત્રોમાં ફ૨માવ્યું છે કે – જેમ કોઈ પુરુષ સર્વ ઇચ્છાઓને તૃપ્ત કરનાર અમૃતતુલ્ય ભોજનનું ભક્ષણ કરી ક્ષુધા-તૃષાથી વિમુક્ત બનેલો અત્યંત તૃપ્તિના સુખને અનુભવે છે, તેમ અતુલ એવા નિર્વાણસુખને પામેલા સિદ્ધાત્માઓ પણ સર્વકાલ માટે તૃપ્ત છે તથા શાશ્વત અને અવ્યાબાધ સુખને પામેલા હોવાથી સદાકાળ સુખી છે. શ્રી સિદ્ધાત્માઓ સર્વ કર્મથી નિર્યુક્ત થયેલા હોવાથી ‘સિદ્ધ' છે. અજ્ઞાનનિદ્રાથી પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાદિ તત્ત્વોને જાણનારા હોવાથી ‘બુદ્ધ' છે. સંસા૨ના અથવા સર્વ પ્રયોજનસમૂહના પા૨ને પામેલા હોવાથી ‘પારગત' છે. અને અનુક્રમે ચતુદર્શ ગુણસ્થાનક ઉપર આરૂઢ થઈને અથવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનું ક્રમપૂર્વક આસેવન કરીને મુક્તિસ્થાનને પામેલા હોવાથી પરંપરગત' છે. કર્મકવચથી ઉન્મુક્ત છે તથા અજર, અમર અને અસંગ છે. અર્થાત્ શ્રી સિદ્ધના આત્માઓ સર્વ દુઃખથી રહિત થયેલા હોય છે. જન્મ – જરા – મરણાદિના બંધનોથી વિમુકત બનેલા હોય છે અને સદાકાળ શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવી રહ્યા હોય છે. એવા સિદ્ધોને કરેલા નમસ્કારનું ફળ દર્શાવતાં પણ નિર્યુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજી ફ૨માવે છે કે – सिद्धाण नमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१॥ सिद्धाण नमुक्कारो, धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ॥ २॥ सिद्धाण नमुक्कारो, एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिकखणं कीरइ बहुसो ॥३॥ सिद्धाण नमुक्कारो, सव्वपावप्यणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥४॥ (૧) શ્રી સિદ્ધ પરમાત્માન કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુકાવે છે. ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર બોધિલાભને માટે થાય છે. (૨) શ્રી સિદ્ધોને કરેલો નમસ્કાર ધન્યપુરુષોના ભવનો ક્ષય કરે છે. હૃદયમાં તેનું અનુસ્મરણ કરવાથી દુર્ધ્યાનનો નાશ થાય છે. (૩) શ્રી સિદ્ધોને કરેલો નમસ્કાર ખરેખર મહાઅર્થવાળો વર્ણવેલો છે, જે મરણ વખતે નિરન્તર અને વારંવા૨ ક૨વામાં આવે છે. (૪) શ્રી સિદ્ધોને કરેલો નમસ્કાર સર્વ પાપનો સર્વથા નાશ ક૨ના૨ છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. શ્રી આચાર્ય-ભગવંતો આચાર્ય ચાર પ્રકારના છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નામ અને સ્થાપના સુગમ છે. ‘દ્રવ્યાચાર્ય’ શિલ્પાદિ શાસ્ત્રોને શીખવનારા છે અને ‘ભાવાચાર્ય' પાંચ પ્રકારના આચારનું પાલન કરનારા-કરાવનારા અને ઉપદેશના૨ છે. જ્ઞાનાદિ પાંચ પ્રકારના ભાવાચારોમાં ઉપયુક્ત હોવાથી તેઓ ભાવાચાર્યો કહેવાય છે. એવા ભાવાચાર્યોને કરેલો નમસ્કાર પૂર્વસંચિત પાપોનો વિનાશ કરનાર થાય છે. ભાવાચાર્ય એ શ્રી જિનશાસનનો આઘાર છે. ચતુર્વિધ સંઘને ઉલ્લાસ પમાડનાર છે. અને શ્રુતજ્ઞાનના બળે સકલ વસ્તુને પ્રકાશિત કરનારા છે. શ્રી જિનેશ્વરદેવો મુક્તિમાર્ગ બતાવીને મુક્તિમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ નિથપ્રવચનનું ધારણ, પાલન અને પોષણ ક૨ના૨ આચાર્ય ભગવંતો જ હોય છે. ભાવાચાર્યો પાષાણમાં પણ અંકુરા ઉત્પન્ન કરવાની જેમ મૂર્ખ શિષ્યોને પણ પંડિત બનાવી દે છે. સૂત્રોમાં ભાવાચાર્યને શ્રી જિનેશ્વર સમાન કહ્યા છે અને તેમની આજ્ઞાનું શ્રી જિનની આજ્ઞાની જેમ પાલન કરવાનું ફ૨માન કર્યું છે. ભાવાચાર્યોની આજ્ઞા વિના વિદ્યા કે મંત્ર ફળતાં નથી, પણ તે જ વિદ્યા અને મંત્ર તેમની આજ્ઞાથી તત્કાળ ફળે છે. ધર્મોપદેશ આપવામાં જેઓ નિરંતર ઉઘત રહે છે તથા સૂરિ, ગણધર, ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ so Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy