________________
તેને જ ગ્રહણ કરાય છે. અથવા કોઈ પણ આપત્તિમાં શ્રી અરિહંત નમસ્કારનું વારંવાર અને નિરન્તર સ્મરણ કરવામાં આવે છે. શ્રી અરિહંતોને કરેલો નમસ્કાર, એ સર્વ પાપોનો નાશ કરનાર છે; એટલું જ નહિ, કિન્તુ સર્વ મંગળોમાં તે જ એક પ્રથમ મંગળ છે. એ જ હકીકતને શાસ્ત્રોમાં નીચેના શબ્દોથી ફરમાવેલી છે? अरिहंतनमुक्कारो, जीवं मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१॥
આ ગાથામાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ- એ ચારે પ્રકારના નમસ્કારનું વર્ણન છે. જેમકે‘હિંત' શબ્દ વડે “અદાકારવાળી બુદ્ધિ સ્થાપના-નમસ્કાર છે. નમુવાર' શબ્દ વડે નામનમસ્કાર છે. મા” શબ્દ વડે ભાવનમસ્કાર છે. ફ્રીમાળો' શબ્દ વડે અંજલિગ્રહણાદિ દ્રવ્યનમસ્કાર છે.
એ રીતે એક જ ગાથામાં નામ નમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ ચારે પ્રકારે કરાતો નમસ્કાર વર્ણવ્યો છે. એ નમસ્કાર જીવને અનન્ત સંસારથી મુકાવે છે અને જ્યાં સુધી મુક્તિ ન થાય, ત્યાં સુધી તે બોધિલાભ-શ્રી જિનધર્મની પ્રાપ્તિ માટે થાય છે. (૧). __ अरिहंतनमुक्कारो, धन्नाणं भवक्खयं कुणंताणं । हिययं अणुम्मुयंतो, विसुत्तियावारओ होइ ॥२॥
બ્દયમાં રહેલો અન્નમસ્કાર જ્ઞાનાદિ ધનવાલા, પરિત્તસંસારી અને પ્રતનુકર્મવાન્ જીવોના પુનર્ભવનો ક્ષય કરનાર તથા ચિત્તનું વિસ્ત્રોતગમન (અપધ્યાન) નિવારનાર થાય છે. (૨). अरिहंतनमुक्कारो, अस खलु वन्निओ महत्थोत्ति । जो मरणमि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ॥३॥
અન્નમસ્કાર મહાઅર્થવાળો છે. મૃત્યુ સમીપ આવે છતાં નિરન્તર બહુવાર કરાય છે અને મોટી આપત્તિમાં દ્વાદશાંગીને છોડી તેનું જ ધ્યાન અને સ્મરણ કરાય છે. (૩).
અગ્નિ આદિના ભય વખતે ઘરમાં રહેલી શેષ વસ્તુઓને છોડી, જેમ મહામૂલ્યવાળાં રત્નો અગર ચિંતામણિ રત્ન ગ્રહણ કરાય છે અથવા યુદ્ધમાં અતિશય આપત્તિ વખતે જેમ અન્ય શસ્ત્રો છોડીને જે અમોઘ હોય તે જ શસ્ત્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ મરણાદિ મહાભયો વખતે દ્વાદશાંગ શાસ્ત્રો છોડીને કેવળ એક અરિહંતનમસ્કાર જ ગ્રહણ કરાય છે, કારણ કે તે નમસ્કાર એ દ્વાદશાંગાર્પે છે.
પ્રશ્ન:- અરિહંત નમસ્કાર એ દ્વાદશાંગાર્થે શી રીતે ?
ઉત્તરઃ- દ્વાદશાંગી પરિણામવિશુદ્ધિના હેતુભૂત છે અને તે જ કાર્યને નમસ્કાર પણ કરે છે બંને વડે એક જ કાર્ય સિદ્ધ થતું હોવાથી નમસ્કાર પણ દ્વાદશાંગાથ છે એમ કહેવામાં કોઈ પણ જાતિની હરકત નથી. અથવા તો શ્રી વીતરાગસિદ્ધાન્તમાં એક પણ પદ કે જે સંવેગને પેદા કરનારું તથા મોહજાળને છેદનારું હોય તે નિશ્ચયથી દ્વાદશાંગાર્થ માનેલ છે. નમસ્કાર અનેકપદાત્મક હોવા છતાં વ્યવહારથી એક પદ કહેવાય છે. અને ઉપર્યુક્ત ન્યાયે તે દ્વાભાંગી કે જે ગણિપિટક-ગણધરોની પેટી કહેવાય છે, તેના અર્થસ્વરૂપ હોવાથી અતિ નિર્જરા માટે થાય છે. માટે તેની મહાWતા કહેલી છે અને એ જ કારણે અન્નમસ્કાર એ અભીષ્ણ એટલે નિરન્તર અને બહુશઃ એટલે વારંવાર કરાય છે.
अरिहन्तनमुक्कारो, सब्बपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥४॥
અહિંન્નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળભૂત છે અહીં “પાપ” શબ્દની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ થાય છે જે જીવને મલિન કરે, જે જીવના હિતને પીએ અથવા જે જીવને સંસારમાં રાખે તે પાપ કહેવાય છે. તત્ત્વથી આઠ કર્મ એ જ પાપ છે અન્નમસ્કાર તે સર્વ પાપનો નાશ કરે છે, એટલું જ નહિ, કિન્તુ નામાદિ સર્વ મંગળોમાં અન્નમસ્કાર પ્રથમ છે. અથવા મોક્ષરૂપ મુખ્ય પુરુષાર્થને સાધનાર હોવાથી
ત્રલોચદીપક મહામંત્રાધિરાજ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org