SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ઉપદેશમાળા ધારણ કરતાં રાજગૃહ નગરના ગુણુશીલ નામના ઉદ્યાનમાં સમવસર્યાં, દેવાએ આવીને ત્યાં સમવસરણ રચ્યુ'. વનપાલકે ત્વરાથી શ્રેણિક રાજા પાસે જઈ ને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિન્ ! આપના મનને ઘણા જ વ્હાલા શ્રી મહાવીર સ્વામિ વનમાં સમવસરેલા છે.’ એ પ્રમાણે વનપાલકનું એાલવુ' સાંભળીને રાજાને ઘણા હષ થયા. રાજાએ તેને કૈટી દ્રવ્ય અને સેાનાની જીભ આપી. પછી શ્રેણિક રાજા મેાટા આડ'બરસહિત પ્રભુને વંદન કરવા ચાલ્યેા. સૈન્યના અગ્ર ભાગે સુમુખ ને દુર્મુખ નામના બે ચાપદારા ચાલતા હતા. તેઓએ પ્રસન્નદ્ર મુનિને વનમાં કાર્યેાસગ મુદ્રાએ ઉભા રહેલા જોયા. પ્રથમ સુમુખે કહ્યું કે- આ મુનિને ધન્ય છે કે જેણે આવી મેાટી રાજ્યલક્ષ્મી તજી દઈને સયમ રૂપી સમૃદ્ધિ ગ્રહણ કરેલી છે. એના નામ માત્રના ઉચ્ચાર કરવાથી પાપ જાય તેા પછી સેવા કરવાથી જાય તેમાં તે શું કહેવું!' પછી દુર્મુખ બેલ્વે કે-‘અરે! આ મુનિ તે અધન્ય અને મહાપાપિ છે. તુ' એને વારંવાર શા માટે વખાણે છે ? એના જેવા પાપિ તા કાઈ નથી.’ સુમુખે મનમાં ચિંતવ્યુ` કે–· અહે। ! દુર્જનના સ્વભાવ જ આવે હાય છે કે જે ગુણામાંથી પણ દોષને જ ગ્રહણ કરે છે. ' કહ્યું છે કેઆક્રાંતવ મહે।પલેન મુનિના શસ્તેવ દુર્વાસસા સાતત્ય' ખત મુદ્રિતવ જતુના નીતેવ મૂર્છા વિષેઃ વહેવાતનુરજન્નુભિ: પરગુણાનું વસ્તુ ન શક્તા સતિ જિહ્વા લાહશલાકયા ખલમુખે વિદ્વત્ર સ`લક્ષ્યતે ।। । મોટા પથ્થરથી દબાયેલી હાય નહિ! દુર્વાસા મુનિથી શાપ પામેલી હાય નહિ ! લાખથી નિરતર ચેાટાડી દીધેલી હાય નહિ ! વિષથી મૂતિ થયેલ હાય નહિ અથવા જાડા દોરડાથી બાંધેલી હાય નહિ ! તેવી ખલ માણસની જીભ પારકાના ગુણ્ણા ખેલવાને અશક્ત હેાતી સતી લેાઢાના ખીલાથી જાણે વિધેલી હાય નહિ તેવી જણાય છે” વળી કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy