SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઉપદેશમાળા બુદ્ધિથી માહ પામેલા છુ. આ દેહને ધિક્કાર છે! અને સર્પની ફ્યુા જેવા આ વિષયેાને પણ ધિક્કાર છે ! હું આત્મા ! આ સ`સારમાં તુ એકલા જ છે. ખીજું કાઈ તારુ નથી.” આ પ્રમાણે વિચાર કરતાં પરમપદ પર આરાહણ કરવાની નિ:સરણી રૂપ ક્ષેપકશ્રેણીએ આરૂઢ થયા; અને ચાર ઘન ઘાતિકમા ક્ષય કરીને ઉજજવલ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે અવસરે શાસનદેવીએ આવીને મુનિના વેષ અણુ કર્યાં. તે સાધુના વેષ ધારણ કરીને તેમણે કેવલી પો પૃથ્વી ઉપર વિહાર કર્યાં, અને અનુક્રમે મેાક્ષસુખ પ્રાપ્ત કર્યું. એટલા માટે આત્મસાક્ષિક અનુષ્ટાન જ ફળદાયી છે; અન્ય સાક્ષિક અનુષ્ઠાન ફળદાયી નથી. આ પ્રમાણે અધ્યાત્મિક અનુષ્ઠાનમાં ભરતચર્ધીનુ‘ દૃષ્ટાંત જાણવુ‘. હવે પ્રસન્નચંદ્ર રાષિનુ' દૃષ્ટાંત કહે છે— પેાતનપુર નગરમાં પ્રસન્નચંદ્ર નામના રાજા હતા. તે અતિ ધાર્મિક, સત્યવાદી તથા ન્યાયધમર્મીમાં અદ્વિતીય નિપુણ હતા. તે એક દિવસે સધ્યાકાળે ઝરુખામાં એસી નગરનુ' સ્વરૂપ જોતા હતા. તે સમયે નાના પ્રકારનાં રગવાળાં વાદળાં થયાં. સધ્યાના રંગ ખીયેા. તે જોઈ રાજાને અતિ હષ થયેા. પછી તે તેના તરફ પુનઃ પુનઃ દૃષ્ટિ કરવા લાગ્યા. એટલામાં તે સય્યાસ્વરૂપ ક્ષણિક હાવાથી જોત-જોતાંમાં જ નાશ પામી ગયુ'. તે જોઈ રાજા વિચાર કરવા લાગ્યા કે અહેા ! સધ્યાના રંગની સુંદરતા કથાં ગઈ! પુદ્દગલા અનિત્ય છે. સધ્યાના રંગની પેઠે આ દેહ પણ અનિત્ય છે. સ'સારમાં પ્રાણીઓને કઈ પણ સુખ નથી. કહ્યું છે કે— દુખ સ્રીકુક્ષિમધ્યે પ્રથમમિહભવે ગર્ભાવાસે નરાણામ્ બાલત્વે ચાપિ દુખ' મલલુલિતવપુઃ શ્રીપયઃપાનમિશ્રણ્ । તારુણ્યે ચાપિ દુખ ભવતિ વિરહજ વૃદ્ધભાવેાપ્યસારઃ સ ંસારે રે મનુષ્યા વદત દિસુખ' રવલ્પમપ્યસ્તિ કિંચિત્ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy